Jamawatએ કરી Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava અને Mansukh Vasava સાથે વાત, જાણો શું છે તેમના વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-02 17:55:46

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે... આ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છેલ્લા અનેક દાયકાઓથી સાંસદ છે.. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. તો સામે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને પાર્ટીના ઉમેદવારો આગામી પાંચ વર્ષમાં પોતાના મતવિસ્તારમાં શું કામો કરશે, તેમના વિઝન શું છે તે જાણવા જમાવટ જનતા વતી ઉમેદવારને ફોન કરે છે અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરે છે.. 

મનસુખ વસાવા પાસે માગ્યો પાંચ વર્ષનો હિસાબ

મનસુખ વસાવા આ વખતે ભલે ઉમેદવાર છે પરંતુ તે અનેક વર્ષોથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે.. ત્યારે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં પોતાના મત વિસ્તાર માટે શું કામ કર્યા તે અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો.. પાંચ વર્ષનો હિસાબ ગણાવતા તેમણે કહ્યું કે જે જમીન જંગલની જમીન હતી તે વર્ષોથી ખેડતાતા એવા  આદિવાસી પરિવારોને જમીન અપાવી.. ઉપરાંત એવા અનેક ખેડૂતોની પણ વાત કરી જે સિંચાઈથી વંચિત હતા તેમને અનેક યોજનાઓથી લાભ અપાવ્યા. સ્થાનિક લોકોને રોજગાર મળે તેવી વ્યવસ્થામાં કરવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય અનેક કામોની વાત કરી હતી. 


શું છે ચૈતર વસાવાનું વિઝન?

જ્યારે ચૈતર વસાવાને તેમના વિઝન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો તે જીતીને આવે છે તો તે સાતે સાત વિધાનસભામાં જનસંપર્ક કાર્યાલય ખોલશે. યુવાનોને કાયમી નોકરીઓ મળે તેવા પ્રયત્નો તે કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. તે ઉપરાંત શિક્ષણની વાત કરતા કહ્યું કે સારૂ અને સસ્તુ શિક્ષણ મળે તેવી તે વ્યવસ્થા કરશે.. ભ્રષ્ટાચાર નાબુદી કરવાનું કામ તે કરશે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે આ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોણ જીતે છે?        



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.