Jamawatએ કરી Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava અને Mansukh Vasava સાથે વાત, જાણો શું છે તેમના વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-02 17:55:46

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે... આ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છેલ્લા અનેક દાયકાઓથી સાંસદ છે.. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. તો સામે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને પાર્ટીના ઉમેદવારો આગામી પાંચ વર્ષમાં પોતાના મતવિસ્તારમાં શું કામો કરશે, તેમના વિઝન શું છે તે જાણવા જમાવટ જનતા વતી ઉમેદવારને ફોન કરે છે અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરે છે.. 

મનસુખ વસાવા પાસે માગ્યો પાંચ વર્ષનો હિસાબ

મનસુખ વસાવા આ વખતે ભલે ઉમેદવાર છે પરંતુ તે અનેક વર્ષોથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે.. ત્યારે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં પોતાના મત વિસ્તાર માટે શું કામ કર્યા તે અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો.. પાંચ વર્ષનો હિસાબ ગણાવતા તેમણે કહ્યું કે જે જમીન જંગલની જમીન હતી તે વર્ષોથી ખેડતાતા એવા  આદિવાસી પરિવારોને જમીન અપાવી.. ઉપરાંત એવા અનેક ખેડૂતોની પણ વાત કરી જે સિંચાઈથી વંચિત હતા તેમને અનેક યોજનાઓથી લાભ અપાવ્યા. સ્થાનિક લોકોને રોજગાર મળે તેવી વ્યવસ્થામાં કરવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય અનેક કામોની વાત કરી હતી. 


શું છે ચૈતર વસાવાનું વિઝન?

જ્યારે ચૈતર વસાવાને તેમના વિઝન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો તે જીતીને આવે છે તો તે સાતે સાત વિધાનસભામાં જનસંપર્ક કાર્યાલય ખોલશે. યુવાનોને કાયમી નોકરીઓ મળે તેવા પ્રયત્નો તે કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. તે ઉપરાંત શિક્ષણની વાત કરતા કહ્યું કે સારૂ અને સસ્તુ શિક્ષણ મળે તેવી તે વ્યવસ્થા કરશે.. ભ્રષ્ટાચાર નાબુદી કરવાનું કામ તે કરશે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે આ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોણ જીતે છે?        



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.