Jamawatએ કરી Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava અને Mansukh Vasava સાથે વાત, જાણો શું છે તેમના વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-02 17:55:46

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે... આ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છેલ્લા અનેક દાયકાઓથી સાંસદ છે.. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. તો સામે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... બંને પાર્ટીના ઉમેદવારો આગામી પાંચ વર્ષમાં પોતાના મતવિસ્તારમાં શું કામો કરશે, તેમના વિઝન શું છે તે જાણવા જમાવટ જનતા વતી ઉમેદવારને ફોન કરે છે અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરે છે.. 

મનસુખ વસાવા પાસે માગ્યો પાંચ વર્ષનો હિસાબ

મનસુખ વસાવા આ વખતે ભલે ઉમેદવાર છે પરંતુ તે અનેક વર્ષોથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે.. ત્યારે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં પોતાના મત વિસ્તાર માટે શું કામ કર્યા તે અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો.. પાંચ વર્ષનો હિસાબ ગણાવતા તેમણે કહ્યું કે જે જમીન જંગલની જમીન હતી તે વર્ષોથી ખેડતાતા એવા  આદિવાસી પરિવારોને જમીન અપાવી.. ઉપરાંત એવા અનેક ખેડૂતોની પણ વાત કરી જે સિંચાઈથી વંચિત હતા તેમને અનેક યોજનાઓથી લાભ અપાવ્યા. સ્થાનિક લોકોને રોજગાર મળે તેવી વ્યવસ્થામાં કરવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય અનેક કામોની વાત કરી હતી. 


શું છે ચૈતર વસાવાનું વિઝન?

જ્યારે ચૈતર વસાવાને તેમના વિઝન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો તે જીતીને આવે છે તો તે સાતે સાત વિધાનસભામાં જનસંપર્ક કાર્યાલય ખોલશે. યુવાનોને કાયમી નોકરીઓ મળે તેવા પ્રયત્નો તે કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. તે ઉપરાંત શિક્ષણની વાત કરતા કહ્યું કે સારૂ અને સસ્તુ શિક્ષણ મળે તેવી તે વ્યવસ્થા કરશે.. ભ્રષ્ટાચાર નાબુદી કરવાનું કામ તે કરશે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે આ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોણ જીતે છે?        



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.