Jamawatની ટીમે કર્યો Kutch Loksabha Seatના Vinod chavda અને Nitesh Lalanને ફોન, જાણો શું છે તેમનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-05 13:35:14

મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. દર પાંચ વર્ષે આપણે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા હોઈએ છીએ.. મતદાન કરતા પહેલા અનેક વાતોને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ.. પરંતુ અગત્યનો સવાલ મતદાતાના મનમાં એ જાણવાનો હોય છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન તેમના સાંસદ તેમના માટે શું કરશે? ઉમેદવારો કયા વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે અને જનતા માટે તે શું કામ કરશે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.

ભાજપના ઉમેદવાર સાથે ના થઈ શક્યો સંપર્ક કારણ કે...

જનતા વતી ઉમેદવારનું વિઝન જાણવા જમાવટની ટીમે કચ્છ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો.. ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ લાલનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.. જમાવટની ટીમે ભાજપના ઉમેદવારને ફોન કર્યો ત્યારે તે ફ્રી ન હતા... એટલા માટે તેઓ કચ્છની જનતા માટે શું કામ કરશે તે જાણી શકાયું નથી.. મહત્વનું છે કે છેલ્લી અનેક ટર્મથી કચ્છમાં ભાજપનો વિજય થયો છે.


શું કહ્યું ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે?

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ લાલનનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદાના નીરના, એ તાલુકાઓમાં કોલેજની વાત હોય. એ શિક્ષકોની ઘટ હોય, સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ જેવા વિષયો પર તે કામ કરશે... મોરબી વિધાનસભા વિસ્તારમાં એક પણ ફરવા લાયક સ્થળ નથી..ત્યાં ઈન્ડસ્ટ્રીના મોટા પ્રોબ્લેમ છે,રેલવે કનેક્ટિવીટિના પ્રશ્નો છે સહિતના અનેક મુદ્દાઓ પર તે મજબૂતાઈથી કામ કરશે તેવી વાત તેમણે કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે કચ્છની જનતા કોને મત આપી સંસદ પહોંચાડે છે?      



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.