Jamawatની ટીમે કર્યો Kutch Loksabha Seatના Vinod chavda અને Nitesh Lalanને ફોન, જાણો શું છે તેમનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-05 13:35:14

મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. દર પાંચ વર્ષે આપણે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા હોઈએ છીએ.. મતદાન કરતા પહેલા અનેક વાતોને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ.. પરંતુ અગત્યનો સવાલ મતદાતાના મનમાં એ જાણવાનો હોય છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન તેમના સાંસદ તેમના માટે શું કરશે? ઉમેદવારો કયા વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે અને જનતા માટે તે શું કામ કરશે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.

ભાજપના ઉમેદવાર સાથે ના થઈ શક્યો સંપર્ક કારણ કે...

જનતા વતી ઉમેદવારનું વિઝન જાણવા જમાવટની ટીમે કચ્છ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો.. ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ લાલનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.. જમાવટની ટીમે ભાજપના ઉમેદવારને ફોન કર્યો ત્યારે તે ફ્રી ન હતા... એટલા માટે તેઓ કચ્છની જનતા માટે શું કામ કરશે તે જાણી શકાયું નથી.. મહત્વનું છે કે છેલ્લી અનેક ટર્મથી કચ્છમાં ભાજપનો વિજય થયો છે.


શું કહ્યું ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે?

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ લાલનનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદાના નીરના, એ તાલુકાઓમાં કોલેજની વાત હોય. એ શિક્ષકોની ઘટ હોય, સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ જેવા વિષયો પર તે કામ કરશે... મોરબી વિધાનસભા વિસ્તારમાં એક પણ ફરવા લાયક સ્થળ નથી..ત્યાં ઈન્ડસ્ટ્રીના મોટા પ્રોબ્લેમ છે,રેલવે કનેક્ટિવીટિના પ્રશ્નો છે સહિતના અનેક મુદ્દાઓ પર તે મજબૂતાઈથી કામ કરશે તેવી વાત તેમણે કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે કચ્છની જનતા કોને મત આપી સંસદ પહોંચાડે છે?      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.