Jamawatની ટીમે કર્યો Kutch Loksabha Seatના Vinod chavda અને Nitesh Lalanને ફોન, જાણો શું છે તેમનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-05-05 13:35:14

મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. દર પાંચ વર્ષે આપણે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા હોઈએ છીએ.. મતદાન કરતા પહેલા અનેક વાતોને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ.. પરંતુ અગત્યનો સવાલ મતદાતાના મનમાં એ જાણવાનો હોય છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન તેમના સાંસદ તેમના માટે શું કરશે? ઉમેદવારો કયા વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે અને જનતા માટે તે શું કામ કરશે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.

ભાજપના ઉમેદવાર સાથે ના થઈ શક્યો સંપર્ક કારણ કે...

જનતા વતી ઉમેદવારનું વિઝન જાણવા જમાવટની ટીમે કચ્છ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો.. ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ લાલનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.. જમાવટની ટીમે ભાજપના ઉમેદવારને ફોન કર્યો ત્યારે તે ફ્રી ન હતા... એટલા માટે તેઓ કચ્છની જનતા માટે શું કામ કરશે તે જાણી શકાયું નથી.. મહત્વનું છે કે છેલ્લી અનેક ટર્મથી કચ્છમાં ભાજપનો વિજય થયો છે.


શું કહ્યું ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે?

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ લાલનનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદાના નીરના, એ તાલુકાઓમાં કોલેજની વાત હોય. એ શિક્ષકોની ઘટ હોય, સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ જેવા વિષયો પર તે કામ કરશે... મોરબી વિધાનસભા વિસ્તારમાં એક પણ ફરવા લાયક સ્થળ નથી..ત્યાં ઈન્ડસ્ટ્રીના મોટા પ્રોબ્લેમ છે,રેલવે કનેક્ટિવીટિના પ્રશ્નો છે સહિતના અનેક મુદ્દાઓ પર તે મજબૂતાઈથી કામ કરશે તેવી વાત તેમણે કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે કચ્છની જનતા કોને મત આપી સંસદ પહોંચાડે છે?      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે