Jamawat Weather Analysis : ગુજરાતીઓને વરસાદ માટે આ તારીખ સુધી જોવી પડશે રાહ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-02 17:01:43

જગતનો તાત કોઈ વખત વધારે વરસાદ પડવાને કારણે ચિંતિત હોય છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ચિંતિત હોય છે. જો વધારે વરસાદ થાય છે તો પણ અને જો વરસાદ નથી થતો તો પણ નુકસાન તો ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં તો મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેવું લાગતું હતું. ઓગસ્ટ મહિનો કોરો ગયો હતો ત્યારે અડધો સપ્ટેમ્બર મહિનો પણ કોરો જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના નહીંવત દર્શાવવામાં આવી છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પાકનું ટેન્શન થઈ રહ્યું છે. પાક નિષ્ફળ જશે તેવો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.

 

ઓગસ્ટ સાબિત થયો હતો કોરો મહિનો  

ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. પરંતુ ખેતી સંપૂર્ણ રીતે વરસાદ પર નિર્ભર કરે છે. પરંતુ આ વખતે ચોમાસાએ પોતાની સિસ્ટમ બદલી હોય તેવું લાગે છે. જુલાઈ દરમિયાન એટલો મૂશળાધાર વરસાદ થયો હતો પરંતુ તે બાદ ઓગસ્ટ મહિનો આખો કોરો સાબિત થયો. સપ્ટેમ્બરમાં પણ ચોમાસાની આવી જ સ્થિતિ રહેશે તેવું અનુમાન તેવી આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર સુધી એવી કોઈ સિસ્ટમ નથી બની રહી જેને કારણે વરસાદ આવી શકે છે. 7 તારીખ બાદ ગુજરાતના થોડા વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં 90 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 


7 સપ્ટેમ્બર બાદ અહીંયા વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી સંભાવના નહીંવત છે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં વરસાદ ન વરસે તેવી આગાહી કરી છે. 7 સપ્ટેમ્બર બાદ સાઉથ ગુજરાતના અનેક ભગોમાં હળવા વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગોમાં વરસાદ વરસી શકે છે. કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે હાલ વરસાદની સંભાવના નથી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.