Jamawat Weather Analysis : ગુજરાતીઓને વરસાદ માટે આ તારીખ સુધી જોવી પડશે રાહ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-02 17:01:43

જગતનો તાત કોઈ વખત વધારે વરસાદ પડવાને કારણે ચિંતિત હોય છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ચિંતિત હોય છે. જો વધારે વરસાદ થાય છે તો પણ અને જો વરસાદ નથી થતો તો પણ નુકસાન તો ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં તો મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેવું લાગતું હતું. ઓગસ્ટ મહિનો કોરો ગયો હતો ત્યારે અડધો સપ્ટેમ્બર મહિનો પણ કોરો જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના નહીંવત દર્શાવવામાં આવી છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પાકનું ટેન્શન થઈ રહ્યું છે. પાક નિષ્ફળ જશે તેવો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.

 

ઓગસ્ટ સાબિત થયો હતો કોરો મહિનો  

ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. પરંતુ ખેતી સંપૂર્ણ રીતે વરસાદ પર નિર્ભર કરે છે. પરંતુ આ વખતે ચોમાસાએ પોતાની સિસ્ટમ બદલી હોય તેવું લાગે છે. જુલાઈ દરમિયાન એટલો મૂશળાધાર વરસાદ થયો હતો પરંતુ તે બાદ ઓગસ્ટ મહિનો આખો કોરો સાબિત થયો. સપ્ટેમ્બરમાં પણ ચોમાસાની આવી જ સ્થિતિ રહેશે તેવું અનુમાન તેવી આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર સુધી એવી કોઈ સિસ્ટમ નથી બની રહી જેને કારણે વરસાદ આવી શકે છે. 7 તારીખ બાદ ગુજરાતના થોડા વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં 90 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 


7 સપ્ટેમ્બર બાદ અહીંયા વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી સંભાવના નહીંવત છે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં વરસાદ ન વરસે તેવી આગાહી કરી છે. 7 સપ્ટેમ્બર બાદ સાઉથ ગુજરાતના અનેક ભગોમાં હળવા વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગોમાં વરસાદ વરસી શકે છે. કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે હાલ વરસાદની સંભાવના નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.