Jamawat Weather Analysis : ગુજરાતીઓને વરસાદ માટે આ તારીખ સુધી જોવી પડશે રાહ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-02 17:01:43

જગતનો તાત કોઈ વખત વધારે વરસાદ પડવાને કારણે ચિંતિત હોય છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ચિંતિત હોય છે. જો વધારે વરસાદ થાય છે તો પણ અને જો વરસાદ નથી થતો તો પણ નુકસાન તો ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં તો મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેવું લાગતું હતું. ઓગસ્ટ મહિનો કોરો ગયો હતો ત્યારે અડધો સપ્ટેમ્બર મહિનો પણ કોરો જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના નહીંવત દર્શાવવામાં આવી છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પાકનું ટેન્શન થઈ રહ્યું છે. પાક નિષ્ફળ જશે તેવો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.

 

ઓગસ્ટ સાબિત થયો હતો કોરો મહિનો  

ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. પરંતુ ખેતી સંપૂર્ણ રીતે વરસાદ પર નિર્ભર કરે છે. પરંતુ આ વખતે ચોમાસાએ પોતાની સિસ્ટમ બદલી હોય તેવું લાગે છે. જુલાઈ દરમિયાન એટલો મૂશળાધાર વરસાદ થયો હતો પરંતુ તે બાદ ઓગસ્ટ મહિનો આખો કોરો સાબિત થયો. સપ્ટેમ્બરમાં પણ ચોમાસાની આવી જ સ્થિતિ રહેશે તેવું અનુમાન તેવી આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર સુધી એવી કોઈ સિસ્ટમ નથી બની રહી જેને કારણે વરસાદ આવી શકે છે. 7 તારીખ બાદ ગુજરાતના થોડા વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં 90 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 


7 સપ્ટેમ્બર બાદ અહીંયા વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી સંભાવના નહીંવત છે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં વરસાદ ન વરસે તેવી આગાહી કરી છે. 7 સપ્ટેમ્બર બાદ સાઉથ ગુજરાતના અનેક ભગોમાં હળવા વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગોમાં વરસાદ વરસી શકે છે. કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે હાલ વરસાદની સંભાવના નથી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી