જમાવટનું Weather Analysis : આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો વરસાદને લઈ અંબાલાલ કાકાએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-13 12:18:16

દેશમાં તેમજ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અનુમાન લગાવવામાં આવે છે. કયા જિલ્લામાં વરસાદ થશે ઉપરાંત કેટલો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવે છે. જો કોઈ જગ્યાએ વધારે વરસાદ થવાનો હોય તો હવામાન વિભાગ ઓરેન્જ, રેડ તેમજ યેલો એલર્ટ જાહેર કરે છે. ત્યારે આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરી છે.  

અનેક જિલ્લાઓમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ 

હવામાન વિભાગે આજ માટે એટલે કે 13 જુલાઈ માટે આગાહી કરી છે જે મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર રાજકોટ અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં  હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં થોડાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. 

 

15 જુલાઈ બાદ ગુજરાતમાં થશે સાવર્ત્રિક વરસાદ 

વરસાદી માહોલ 15 જુલાઈએ પણ યથાવત જોવા મળી શકે છે. 15 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સોરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં થોડાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. 16 જુલાઈના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


18 જુલાઈ માટે પણ કરાઈ છે વરસાદની આગાહી 

17 જુલાઈએ પણ વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લામાં અને દમણ દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદ પડી શકે છે. તે ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં અને દીવ દમણની ઘણી જગ્યાએ 18 જુલાઈએ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી આગાહી

મહત્વનું છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ કંઈક આવી જ આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદ ગુજરાતને ધમરોળશે. 15 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, ત્યારબાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. ઉલ્લેખનિય છે કે સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો છે. ચોમાસું ભલે મોડું આવ્યું પરંતુ ધોધમાર વરસાદ લઈને આવ્યું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.