જમાવટનું Weather Analysis : આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણો વરસાદને લઈ અંબાલાલ કાકાએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-13 12:18:16

દેશમાં તેમજ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અનુમાન લગાવવામાં આવે છે. કયા જિલ્લામાં વરસાદ થશે ઉપરાંત કેટલો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવે છે. જો કોઈ જગ્યાએ વધારે વરસાદ થવાનો હોય તો હવામાન વિભાગ ઓરેન્જ, રેડ તેમજ યેલો એલર્ટ જાહેર કરે છે. ત્યારે આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરી છે.  

અનેક જિલ્લાઓમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ 

હવામાન વિભાગે આજ માટે એટલે કે 13 જુલાઈ માટે આગાહી કરી છે જે મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર રાજકોટ અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં  હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં થોડાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. 

 

15 જુલાઈ બાદ ગુજરાતમાં થશે સાવર્ત્રિક વરસાદ 

વરસાદી માહોલ 15 જુલાઈએ પણ યથાવત જોવા મળી શકે છે. 15 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સોરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં થોડાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. 16 જુલાઈના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


18 જુલાઈ માટે પણ કરાઈ છે વરસાદની આગાહી 

17 જુલાઈએ પણ વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લામાં અને દમણ દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદ પડી શકે છે. તે ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં અને દીવ દમણની ઘણી જગ્યાએ 18 જુલાઈએ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી આગાહી

મહત્વનું છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ કંઈક આવી જ આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદ ગુજરાતને ધમરોળશે. 15 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, ત્યારબાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. ઉલ્લેખનિય છે કે સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો છે. ચોમાસું ભલે મોડું આવ્યું પરંતુ ધોધમાર વરસાદ લઈને આવ્યું. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.