Jamawat Weather Analysis : જતા જતા જાણો વરસાદ ક્યાં બોલાવશે ધબધબાટી, Ambalal Patelએ કરી છે આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-26 16:55:24

વરસાદ ટૂંક સમયમાં ગુજરાતમાંથી વિરામ લઈ લેવાનો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવાને આરે છે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં તો વરસાદ વરસ્યો ન હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દીધી હતી. અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ જતા જતાં  સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરતો જશે.   

કોઈક જગ્યાઓ પર જ વરસી શકે છે છુટો છવાયો વરસાદ 

ગુજરાતમાં વરસાદે સપ્ટેમ્બર મહિનામાં ધબધબાટી બોલાવી હતી. રાજ્યમાં સરેરાશ 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે પરંતુ અનેક જિલ્લાઓ એવા નોંધાયા છે જ્યાં વરસાદની ઘટ હોય. ગાંધીનગર તેમજ અમદાવાદનું નામ આ લિસ્ટમાં હતું. ત્યારે હવે ગુજરાતમાં વરસાદ વિરામ લેવાને આરે છે. થોડા દિવસો પછી ચોમાસાની સિઝન પૂર્ણ થઈ જશે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદ નહીં વરસે. કોઈ એકાદ જગ્યા પર છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કેટલીક જગ્યાઓ પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.


નવરાત્રી દરમિયાન આવશે વરસાદ - અંબાલાલ પટેલ

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં સામાન્ય 34થી 36 તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચોમાસાની વિદાય અંગે આગાહી કરી હતી. વરસાદના વિદાયને લઈ તો આગાહી કરી છે પરંતુ સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધશે તેવી વાત પણ તેમણે કહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. સાથે સાથે એવી પણ આગાહી કરી કે ઓક્ટોબર મહિનામાં એટલે કે નવરાત્રીના સમય દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. 

ક્યાં કેટલો વરસાદ પડ્યો?

જો રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ 69 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 144 તાલુકા એવા છે જે 20થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 38 તાલુકાઓ છે. એવી પણ માહિતી સામે આવી છે કે આખી સિઝન દરમિયાન 10 ઈંચથી ઓછો વરસાદ કોઈ પણ તાલુકામાં નથી વરસ્યો. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.