Jamawat Weather Analysis : Gujaratમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો તારીખો પ્રમાણે ક્યાં થશે વરસાદનું આગમન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-11 15:15:27

રાજ્યમાં ચોમાસાનું આગમન તો ધમાકેદાર થયું હતું. જૂન જુલાઈ મહિનામાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ  મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ફરી પધરામણી કરી છે જેને કારણે જગતના તાતની ચિંતા ઓછી થઈ છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આવશે વરસાદ 

ગુજરાતમાં વરસાદ ત્યારે આવે છે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સિસ્ટમ બનવાની છે જેને કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. પરંતુ એક અનુમાન એવું પણ છે આ સિસ્ટમ જો ફંટાઈ જશે તો ગુજરાતમાં વરસાદ  ના પણ આવી શકે.


તારીખો પ્રમાણે જાણો ક્યાં ક્યારે થશે વરસાદ 

આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવ્યું છે. તે સિવાય 12 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી તેમજ વલસાડમાં વરસદ આવી શકે છે. 



13 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો તાપી, ડાંગ, નર્મદા, નવસારી જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય 14 તારીખની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, સુરત, નવસારીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના ભાગોમાં વરસાદી માહોલ 15 તેમજ 16 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળી શકે છે. મધ્યમથી હળવો વરસાદ ત્યાં ખાબકી શકે છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે. 12 તારીખ સુધી તો ગુજરાતમાં વરસાદ રહેશે પરંતુ 12 તારીખ બાદ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે સપ્ટેમ્બરના આગામી દિવસો દરમિયાન પણ વરસાદી માહોલ જામ્યો છે. 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.     


ઓગસ્ટ મહિનો કોરો જતા ખેડૂતોની વધી હતી ચિંતા 

મહત્વનું છે કે અંબાલાલ કાકાએ વરસાદની આગાહી તો કરી છે પરંતુ વરસાદની સાથે સાથે ગરમીનું પ્રમાણ વધશે. ગરમીનું પ્રમાણ વધવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે અને તેને કારણે વરસાદની પધરામણી થાય છે. ઉલ્લેખનિય છે કે ઓગસ્ટ મહિનો કોરકટ સાબિત થવાને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણી કરી હતી. તેમનો પાક સફળ જશે તેવી અને તેમને કમાણી થશે તેવા સપના જગતના તાતે જોયા હતા. સિઝનની શરૂઆતમાં તો વરસાદે પણ ખેડૂતોને સાથ આપ્યો પરંતુ ઓગસ્ટ મહિના બાદ ન પડેલા વરસાદે ખેડૂતોને નારાજ કર્યા હતા.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.