Jamawat Weather Analysis : Gujaratમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો તારીખો પ્રમાણે ક્યાં થશે વરસાદનું આગમન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-11 15:15:27

રાજ્યમાં ચોમાસાનું આગમન તો ધમાકેદાર થયું હતું. જૂન જુલાઈ મહિનામાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ  મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ફરી પધરામણી કરી છે જેને કારણે જગતના તાતની ચિંતા ઓછી થઈ છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આવશે વરસાદ 

ગુજરાતમાં વરસાદ ત્યારે આવે છે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સિસ્ટમ બનવાની છે જેને કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. પરંતુ એક અનુમાન એવું પણ છે આ સિસ્ટમ જો ફંટાઈ જશે તો ગુજરાતમાં વરસાદ  ના પણ આવી શકે.


તારીખો પ્રમાણે જાણો ક્યાં ક્યારે થશે વરસાદ 

આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવ્યું છે. તે સિવાય 12 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી તેમજ વલસાડમાં વરસદ આવી શકે છે. 



13 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો તાપી, ડાંગ, નર્મદા, નવસારી જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય 14 તારીખની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, સુરત, નવસારીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના ભાગોમાં વરસાદી માહોલ 15 તેમજ 16 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળી શકે છે. મધ્યમથી હળવો વરસાદ ત્યાં ખાબકી શકે છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે. 12 તારીખ સુધી તો ગુજરાતમાં વરસાદ રહેશે પરંતુ 12 તારીખ બાદ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે સપ્ટેમ્બરના આગામી દિવસો દરમિયાન પણ વરસાદી માહોલ જામ્યો છે. 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.     


ઓગસ્ટ મહિનો કોરો જતા ખેડૂતોની વધી હતી ચિંતા 

મહત્વનું છે કે અંબાલાલ કાકાએ વરસાદની આગાહી તો કરી છે પરંતુ વરસાદની સાથે સાથે ગરમીનું પ્રમાણ વધશે. ગરમીનું પ્રમાણ વધવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે અને તેને કારણે વરસાદની પધરામણી થાય છે. ઉલ્લેખનિય છે કે ઓગસ્ટ મહિનો કોરકટ સાબિત થવાને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણી કરી હતી. તેમનો પાક સફળ જશે તેવી અને તેમને કમાણી થશે તેવા સપના જગતના તાતે જોયા હતા. સિઝનની શરૂઆતમાં તો વરસાદે પણ ખેડૂતોને સાથ આપ્યો પરંતુ ઓગસ્ટ મહિના બાદ ન પડેલા વરસાદે ખેડૂતોને નારાજ કર્યા હતા.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.