Jamawat Weather Analysis : Gujaratમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો તારીખો પ્રમાણે ક્યાં થશે વરસાદનું આગમન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-11 15:15:27

રાજ્યમાં ચોમાસાનું આગમન તો ધમાકેદાર થયું હતું. જૂન જુલાઈ મહિનામાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ  મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો. ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ફરી પધરામણી કરી છે જેને કારણે જગતના તાતની ચિંતા ઓછી થઈ છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આવશે વરસાદ 

ગુજરાતમાં વરસાદ ત્યારે આવે છે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સિસ્ટમ બનવાની છે જેને કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. પરંતુ એક અનુમાન એવું પણ છે આ સિસ્ટમ જો ફંટાઈ જશે તો ગુજરાતમાં વરસાદ  ના પણ આવી શકે.


તારીખો પ્રમાણે જાણો ક્યાં ક્યારે થશે વરસાદ 

આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવ્યું છે. તે સિવાય 12 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી તેમજ વલસાડમાં વરસદ આવી શકે છે. 



13 સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો તાપી, ડાંગ, નર્મદા, નવસારી જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય 14 તારીખની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, સુરત, નવસારીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના ભાગોમાં વરસાદી માહોલ 15 તેમજ 16 સપ્ટેમ્બર દરમિયાન જોવા મળી શકે છે. મધ્યમથી હળવો વરસાદ ત્યાં ખાબકી શકે છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે. 12 તારીખ સુધી તો ગુજરાતમાં વરસાદ રહેશે પરંતુ 12 તારીખ બાદ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે સપ્ટેમ્બરના આગામી દિવસો દરમિયાન પણ વરસાદી માહોલ જામ્યો છે. 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.     


ઓગસ્ટ મહિનો કોરો જતા ખેડૂતોની વધી હતી ચિંતા 

મહત્વનું છે કે અંબાલાલ કાકાએ વરસાદની આગાહી તો કરી છે પરંતુ વરસાદની સાથે સાથે ગરમીનું પ્રમાણ વધશે. ગરમીનું પ્રમાણ વધવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે અને તેને કારણે વરસાદની પધરામણી થાય છે. ઉલ્લેખનિય છે કે ઓગસ્ટ મહિનો કોરકટ સાબિત થવાને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણી કરી હતી. તેમનો પાક સફળ જશે તેવી અને તેમને કમાણી થશે તેવા સપના જગતના તાતે જોયા હતા. સિઝનની શરૂઆતમાં તો વરસાદે પણ ખેડૂતોને સાથ આપ્યો પરંતુ ઓગસ્ટ મહિના બાદ ન પડેલા વરસાદે ખેડૂતોને નારાજ કર્યા હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.