જમ્મુ-કશ્મીરના કુપવાડામાં ઉંડી ખાઈમાં પડી જતા 3 જવાનો શહીદ, પેટ્રોલિગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-11 12:59:48

જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઉંડી ખાણમાં પડતા ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. મૃતકોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) પણ સમાવેશ થાય છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની માહિતી આપી છે. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનો લપસી પડતા ઉંડી ખીણમાં પડી ગયા હતા. 


LoCની નજીક પેટ્રોલિંગ કરતા હતા જવાનો 


આર્મીએ જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે સર્જાઈ જ્યારે જવાનો એલઓસીની નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જેસીઓ અને બે અન્ય રેંકના જવાનો માછિલ સેક્ટરમાં રૂટીન પેટ્રોલિંગ પર હતા તે સમયે જ લપસી પડતા ઉંડી ખાઈમાં પડી ગયા હતા.


શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટ કરીને કહ્યું એક નિયમિત ઓપરેશન્સ ટાસ્ક દરમિયાન એક જેસીઓ અને બે આઆરના જવાનો ઉડીં ખાઈમાં પડી ગયા છે. રસ્તા પર બરફ પડ્યો હતો. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે