જમ્મુ-કશ્મીરના કુપવાડામાં ઉંડી ખાઈમાં પડી જતા 3 જવાનો શહીદ, પેટ્રોલિગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-11 12:59:48

જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઉંડી ખાણમાં પડતા ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. મૃતકોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) પણ સમાવેશ થાય છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની માહિતી આપી છે. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનો લપસી પડતા ઉંડી ખીણમાં પડી ગયા હતા. 


LoCની નજીક પેટ્રોલિંગ કરતા હતા જવાનો 


આર્મીએ જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે સર્જાઈ જ્યારે જવાનો એલઓસીની નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જેસીઓ અને બે અન્ય રેંકના જવાનો માછિલ સેક્ટરમાં રૂટીન પેટ્રોલિંગ પર હતા તે સમયે જ લપસી પડતા ઉંડી ખાઈમાં પડી ગયા હતા.


શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટ કરીને કહ્યું એક નિયમિત ઓપરેશન્સ ટાસ્ક દરમિયાન એક જેસીઓ અને બે આઆરના જવાનો ઉડીં ખાઈમાં પડી ગયા છે. રસ્તા પર બરફ પડ્યો હતો. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.