જમ્મુ-કશ્મીરના કુપવાડામાં ઉંડી ખાઈમાં પડી જતા 3 જવાનો શહીદ, પેટ્રોલિગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-11 12:59:48

જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઉંડી ખાણમાં પડતા ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. મૃતકોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) પણ સમાવેશ થાય છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની માહિતી આપી છે. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનો લપસી પડતા ઉંડી ખીણમાં પડી ગયા હતા. 


LoCની નજીક પેટ્રોલિંગ કરતા હતા જવાનો 


આર્મીએ જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે સર્જાઈ જ્યારે જવાનો એલઓસીની નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જેસીઓ અને બે અન્ય રેંકના જવાનો માછિલ સેક્ટરમાં રૂટીન પેટ્રોલિંગ પર હતા તે સમયે જ લપસી પડતા ઉંડી ખાઈમાં પડી ગયા હતા.


શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટ કરીને કહ્યું એક નિયમિત ઓપરેશન્સ ટાસ્ક દરમિયાન એક જેસીઓ અને બે આઆરના જવાનો ઉડીં ખાઈમાં પડી ગયા છે. રસ્તા પર બરફ પડ્યો હતો. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.