જમ્મુ-કશ્મીરના કુપવાડામાં ઉંડી ખાઈમાં પડી જતા 3 જવાનો શહીદ, પેટ્રોલિગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-11 12:59:48

જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઉંડી ખાણમાં પડતા ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. મૃતકોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) પણ સમાવેશ થાય છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની માહિતી આપી છે. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનો લપસી પડતા ઉંડી ખીણમાં પડી ગયા હતા. 


LoCની નજીક પેટ્રોલિંગ કરતા હતા જવાનો 


આર્મીએ જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે સર્જાઈ જ્યારે જવાનો એલઓસીની નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જેસીઓ અને બે અન્ય રેંકના જવાનો માછિલ સેક્ટરમાં રૂટીન પેટ્રોલિંગ પર હતા તે સમયે જ લપસી પડતા ઉંડી ખાઈમાં પડી ગયા હતા.


શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટ કરીને કહ્યું એક નિયમિત ઓપરેશન્સ ટાસ્ક દરમિયાન એક જેસીઓ અને બે આઆરના જવાનો ઉડીં ખાઈમાં પડી ગયા છે. રસ્તા પર બરફ પડ્યો હતો. સેનાએ જણાવ્યું કે ત્રણેય જવાનોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.