જામનગર અધિક કલેકટરે બહાર પાડ્યું કલમ 144નું જાહેરનામું, જાણો હવેથી લોકો આ સ્થળો પર નહીં કરી શકે ધરણા


  • Published By :
  • Published Date : 2023-07-15 17:35:46

પોતાની માગ સરકારના કાન સુધી પહોંચે તે માટે અનેક લોકો સરકારી કચેરી બહાર ધરણા કરવા બેસતા હોય છે. વિવિધ પ્રશ્નોને લઈ તેમજ પોતાની માગ, પોતાને થતી સમસ્યાને લઈ ધરણા અથવા તો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, વિભાગીય અધિકારીની કચેરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી તથા પોલીસ સ્ટેશનો અને અન્ય પોલીસ વિભાગની શાખા તેમજ કચેરીઓ આવેલી છે. જે કચેરી, શાખા, પોલિસ સ્ટેશન ખાતે આંદોલન, વિરોધ, ઉપવાસ નહીં કરી શકે. જો ધરણા કરવા કચેરી લોકો પહોંચશે તો કલમ 144 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.   


100 મીટરની અંદર લોકો નહીં કરી શકે આંદોલન 

લોકો પોતાની માગ ન સંતોષાય તો સરકારી કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ કરતા હોય છે, ધરણા,ઉપવાસ કરતા હોય છે. લોકો સૂત્રોચ્ચાર કરતા હોય છે અથવા તો સરઘષ કાઢતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેકટરે કલમ 144 નું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સરકારી કચેરી બહાર લોકો ધરણા, વિરોધ પ્રદર્શન નહીં કરી શકે. મહાનગરપાલિકાની તેમજ અન્ય વિભાગીય કચેરીઓની 100 મીટરની અંદર આવેલા વિસ્તારમાં આંદોલન,ઉપવાસ કે ધરણાં પર બેસવા પર રોક લગાવી દીધી છે. જાહેરનામા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી પોલીસ વિભાગની તમામ શાખા/ કચેરીના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


પરિસરમાં આંદોલન થવાને કારણે કામગીરી પર પડે છે અસર 

આ જાહેરનામા અંગે જ્યારે કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અવાજને કારણે તેમના કામ પર અસર થતી હોય છે. ધરણા, વિરોધ તેમજ મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે કામ પર અસર પડે છે જેને કારણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક વખત સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો સરકારી કચેરીને ઘેરતા હોય છે. ત્યારે આ જાહેરનામાને કારણે લોકો સરકારી કચેરીનો ઘેરાવો નહીં કરી શકે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે