જામનગર અધિક કલેકટરે બહાર પાડ્યું કલમ 144નું જાહેરનામું, જાણો હવેથી લોકો આ સ્થળો પર નહીં કરી શકે ધરણા


  • Published By :
  • Published Date : 2023-07-15 17:35:46

પોતાની માગ સરકારના કાન સુધી પહોંચે તે માટે અનેક લોકો સરકારી કચેરી બહાર ધરણા કરવા બેસતા હોય છે. વિવિધ પ્રશ્નોને લઈ તેમજ પોતાની માગ, પોતાને થતી સમસ્યાને લઈ ધરણા અથવા તો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, વિભાગીય અધિકારીની કચેરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી તથા પોલીસ સ્ટેશનો અને અન્ય પોલીસ વિભાગની શાખા તેમજ કચેરીઓ આવેલી છે. જે કચેરી, શાખા, પોલિસ સ્ટેશન ખાતે આંદોલન, વિરોધ, ઉપવાસ નહીં કરી શકે. જો ધરણા કરવા કચેરી લોકો પહોંચશે તો કલમ 144 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.   


100 મીટરની અંદર લોકો નહીં કરી શકે આંદોલન 

લોકો પોતાની માગ ન સંતોષાય તો સરકારી કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ કરતા હોય છે, ધરણા,ઉપવાસ કરતા હોય છે. લોકો સૂત્રોચ્ચાર કરતા હોય છે અથવા તો સરઘષ કાઢતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેકટરે કલમ 144 નું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સરકારી કચેરી બહાર લોકો ધરણા, વિરોધ પ્રદર્શન નહીં કરી શકે. મહાનગરપાલિકાની તેમજ અન્ય વિભાગીય કચેરીઓની 100 મીટરની અંદર આવેલા વિસ્તારમાં આંદોલન,ઉપવાસ કે ધરણાં પર બેસવા પર રોક લગાવી દીધી છે. જાહેરનામા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી પોલીસ વિભાગની તમામ શાખા/ કચેરીના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


પરિસરમાં આંદોલન થવાને કારણે કામગીરી પર પડે છે અસર 

આ જાહેરનામા અંગે જ્યારે કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અવાજને કારણે તેમના કામ પર અસર થતી હોય છે. ધરણા, વિરોધ તેમજ મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે કામ પર અસર પડે છે જેને કારણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક વખત સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો સરકારી કચેરીને ઘેરતા હોય છે. ત્યારે આ જાહેરનામાને કારણે લોકો સરકારી કચેરીનો ઘેરાવો નહીં કરી શકે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.