જામનગર અધિક કલેકટરે બહાર પાડ્યું કલમ 144નું જાહેરનામું, જાણો હવેથી લોકો આ સ્થળો પર નહીં કરી શકે ધરણા


  • Published By :
  • Published Date : 2023-07-15 17:35:46

પોતાની માગ સરકારના કાન સુધી પહોંચે તે માટે અનેક લોકો સરકારી કચેરી બહાર ધરણા કરવા બેસતા હોય છે. વિવિધ પ્રશ્નોને લઈ તેમજ પોતાની માગ, પોતાને થતી સમસ્યાને લઈ ધરણા અથવા તો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, વિભાગીય અધિકારીની કચેરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી તથા પોલીસ સ્ટેશનો અને અન્ય પોલીસ વિભાગની શાખા તેમજ કચેરીઓ આવેલી છે. જે કચેરી, શાખા, પોલિસ સ્ટેશન ખાતે આંદોલન, વિરોધ, ઉપવાસ નહીં કરી શકે. જો ધરણા કરવા કચેરી લોકો પહોંચશે તો કલમ 144 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.   


100 મીટરની અંદર લોકો નહીં કરી શકે આંદોલન 

લોકો પોતાની માગ ન સંતોષાય તો સરકારી કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ કરતા હોય છે, ધરણા,ઉપવાસ કરતા હોય છે. લોકો સૂત્રોચ્ચાર કરતા હોય છે અથવા તો સરઘષ કાઢતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેકટરે કલમ 144 નું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સરકારી કચેરી બહાર લોકો ધરણા, વિરોધ પ્રદર્શન નહીં કરી શકે. મહાનગરપાલિકાની તેમજ અન્ય વિભાગીય કચેરીઓની 100 મીટરની અંદર આવેલા વિસ્તારમાં આંદોલન,ઉપવાસ કે ધરણાં પર બેસવા પર રોક લગાવી દીધી છે. જાહેરનામા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી પોલીસ વિભાગની તમામ શાખા/ કચેરીના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


પરિસરમાં આંદોલન થવાને કારણે કામગીરી પર પડે છે અસર 

આ જાહેરનામા અંગે જ્યારે કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અવાજને કારણે તેમના કામ પર અસર થતી હોય છે. ધરણા, વિરોધ તેમજ મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે કામ પર અસર પડે છે જેને કારણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક વખત સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો સરકારી કચેરીને ઘેરતા હોય છે. ત્યારે આ જાહેરનામાને કારણે લોકો સરકારી કચેરીનો ઘેરાવો નહીં કરી શકે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.