રાષ્ટ્રીય કક્ષા ફૂટબોલ મેચ અંડર 19ની ટીમમાં Jamnagarની આહીર સમાજની દીકરીની થઈ પસંદગી, ફરી એક વખત વાગશે જામનગરનો ડંકો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-04 17:33:45

દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. અનેક  ક્ષેત્રો એવા છે જ્યાં દીકરીઓનું પ્રદર્શન ગૌરવ અપાવે તેવું છે. કદાચ એવું એક પણ ક્ષેત્ર નહીં હોય જ્યાં મહિલાઓનું યોગદાન નહીં હોય. ત્યારે આજે એક એવી દીકરીની વાત કરવી છે જેની પંસદગી નેશનલ ટીમમાં થઈ છે. રાષ્ટ્રીય કક્ષા ફૂટબોલની સ્પર્ધા 6-1-2023થી 11-1-2023 સુધી પંજાબના લુધીયાણા ખાતે યોજાવાની છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા ફૂટબોલ રમતના ખેલાડી બહેનોના પ્રિ-નેશનલ કોચિંગ કેમ્પનું આયોજન સાબર સ્ટેડિયમ ભોલેશ્વર ખાતે કરવામાં આવ્યું છે જેમાં નેશનલ ટીમમાં આહીર સમાજનું ગૌરવ એવા જામનગરના આહિર સમાજના એક માત્ર દીકરી બંસી ચોંચાની પસંદગી નેશનલ ટીમમાં કરવામાં આવી છે.  


બંસી ચોચા પર આહીર સમાજને છે ગર્વ!

અનેક એવા સમાજ છે જે દીકરીઓને પ્રોત્સાહન આપે છે આગળ વધવા માટે. ત્યારે આહીર સમાજની આ પ્રથમ દીકરી છે જેની પસંદગી ફૂટબોલ નેશનલની ટીમમાં કરાઈ છે. નેશનલ ટીમમાં પ્રવેશ મેળવવા માટે અનેક વર્ષો સુધી પ્રેક્ટિસ કરી અને સતત પુરૂષાર્થ કર્યો. નેશનલ ટીમમાં સ્થાન મળવાથી બંસી ચોચા હવે ચોચા પરિવારનો તેમજ સમસ્ત આહિર સમાજ માટે ગૌરવ બની ગઈ છે. ઉલ્લેખનિય છે કે જામનગરનો સ્પોર્ટ્સ સાથે જૂનો નાતો રહેલો છે. ત્યારે હવે બંસી ચોચાએ નેશનલ ફૂટબોલ ટીમમાં સ્થાન મેળ્યું છે. 


પોતાની મહેનત અને લગનથી નેશનલ ટીમમાં મેળવ્યું સ્થાન 

કહેવાય છેને જો સાચી ધગસ હોય અને તેના માટે દિલથી પરિશ્રમ કરવામાં આવે તો તેનું પરિણામ અવશ્ય મળે છે તેનું આ ઉદાહરણ છે. સાતમા ધોરણથી આ દીકરી ફૂટબોલનો અભ્યાસ કરી રહી હતી. ફૂટબોલની પ્રેક્ટિસની શરૂઆત કરતા આ દીકરીએ આજે પોતાની મહેનત , પોતાના આત્મવિશ્વાસ અને પરિવારના સહયોગથી આજે નેશનલ લેવલે સ્થાન મેળવ્યું છે. અનેક વખત રાજ્ય સ્તરે ફૂટબોલની ટીમમાં રાજ્ય સરકાર તરફથી ફૂટબોલની ટીમમાં કાબિલે દાદ ખેલ ખેલીને રાજ્ય સરકાર તેમજ આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે. પોતાની મહેનત અને આત્મવિશ્વાસને કારણે દીકરીએ નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. 





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.