રાજકોટના ઉપલેટામાં જનતા રેડ, દેશી દારૂ ઝડપી પાડયો, પોલીસની ઢીલી નીતિથી લોકો ત્રસ્ત


  • Published By :
  • Published Date : 2024-02-18 19:05:15

રાજ્યમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દરરોજ દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવા વિડીયો અને સમાચારો સામે આવતા રહે છે. સૌરાષ્ટ્રના ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસની રહેમનજર હેઠળ જ આ પ્રવૃતિ ચાલી રહી છે. જો કે હવે જનતા જાગૃત થઈ છે. પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસે સ્થાનિક કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો છે.


પોલીસે કાર્યવાહી ન કરતા જનતા જાગી


પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસે જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ કારણથી કારખાનેદારોમાં ભારો રોષ હતો. આજે તેમણે સમુહમાં એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી. ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો હતો. આ મામલે કારખાનેદારોએ જણાવ્યું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહિ લેવાતા કરવામાં આવી જનતા રેડ કરવામાં આવી હતી. 


અંતે પોલીસ દોડી આવી


પોરબંદર નેશનલ હાઇવે પર જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા અંતે પોલીસ દોડી આવી હતી.  પોલીસે દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી હતી, તેમને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.