રાજકોટના ઉપલેટામાં જનતા રેડ, દેશી દારૂ ઝડપી પાડયો, પોલીસની ઢીલી નીતિથી લોકો ત્રસ્ત


  • Published By :
  • Published Date : 2024-02-18 19:05:15

રાજ્યમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દરરોજ દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવા વિડીયો અને સમાચારો સામે આવતા રહે છે. સૌરાષ્ટ્રના ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસની રહેમનજર હેઠળ જ આ પ્રવૃતિ ચાલી રહી છે. જો કે હવે જનતા જાગૃત થઈ છે. પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસે સ્થાનિક કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો છે.


પોલીસે કાર્યવાહી ન કરતા જનતા જાગી


પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસે જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ કારણથી કારખાનેદારોમાં ભારો રોષ હતો. આજે તેમણે સમુહમાં એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી. ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો હતો. આ મામલે કારખાનેદારોએ જણાવ્યું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહિ લેવાતા કરવામાં આવી જનતા રેડ કરવામાં આવી હતી. 


અંતે પોલીસ દોડી આવી


પોરબંદર નેશનલ હાઇવે પર જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા અંતે પોલીસ દોડી આવી હતી.  પોલીસે દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી હતી, તેમને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.