પોરબંદર: ચૂંટણીમાં સેવા માટે આવેલા IRB જવાનોએ એકબીજા પર ચલાવી ગોળી


  • Published By :
  • Published Date : 2022-11-26 22:55:46

પોરબંદરના નવી બંદર ખાતે ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. ગોળીબારની અંદર 2 જવાનોના મોત થયા છે અને 2 જવાન ઈજાગ્રસ્તોને પોરબંદર શહેરની ભાવસિંહજી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. 


અગમ્ય કારણોસર જવાનોએ એકબીજા પર ચલાવી ગોળી

નવી બંદર સાયક્લોન સેન્ટર પર ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ફાયરિંગ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોરબંદર શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના લોકો પણ પહોંચી આવ્યા હતા. પોલીસે તપાસ કરી રહી છે કે જવાનો વચ્ચે ફાયરિંગ થયું તે કયા કારણથી થયું હતું. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે ચૂંટણીની કામગીરી મામલે ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર થતાં ગોળીબાર થયો હતો.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે