પોરબંદર: ચૂંટણીમાં સેવા માટે આવેલા IRB જવાનોએ એકબીજા પર ચલાવી ગોળી


  • Published By :
  • Published Date : 2022-11-26 22:55:46

પોરબંદરના નવી બંદર ખાતે ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. ગોળીબારની અંદર 2 જવાનોના મોત થયા છે અને 2 જવાન ઈજાગ્રસ્તોને પોરબંદર શહેરની ભાવસિંહજી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. 


અગમ્ય કારણોસર જવાનોએ એકબીજા પર ચલાવી ગોળી

નવી બંદર સાયક્લોન સેન્ટર પર ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ફાયરિંગ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોરબંદર શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના લોકો પણ પહોંચી આવ્યા હતા. પોલીસે તપાસ કરી રહી છે કે જવાનો વચ્ચે ફાયરિંગ થયું તે કયા કારણથી થયું હતું. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે ચૂંટણીની કામગીરી મામલે ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર થતાં ગોળીબાર થયો હતો.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.