જયનારાયણ વ્યાસે ભાજપ સામે મોરચો માંડ્યો, સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર માટે કર્યો પ્રયાર


  • Published By :
  • Published Date : 2022-11-27 17:42:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસોના બાકી રહ્યા છે ત્યારે રાજકારણના અવનવા રંગરૂપ જોવા મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે એ જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતા રાજકારણ ગરમાયું છે.


જયનારાયણ વ્યાસે આપ્યો ચંદનજી ઠાકોરને ટેકો 


જયનારાયણ વ્યાસે પાટણની સિદ્ધરપુર વિધાનસભા બેઠકના વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો.જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી છે. આ સભામાં તેમણે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મોટી લીડથી જીતાડવા લોકોને હાકલ કરી છે.


ભાજપથી નારાજ હતા


જયનારાયણ વ્યાસ છેલ્લા ઘણા દિવસથી ભાજપના ટોચના નેતાઓથી નારાજ હતા. જયનારાયણ વ્યાસે 20 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું.  જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે નિવેદન આપ્યું હતું કે, ‘નેતાઓના કોઈ પણ સંબંધીઓને ટિકિટ નહીં મળે, જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે જણાવ્યું હતું કે 75 વર્ષ થયા હોવાથી પાર્ટી ટિકિટ નહીં આપી શકે. જયનારાયણ વ્યાસે અમને રાજીનામું મોકલ્યું છે અમે તેમના રાજીનામાનો સ્વીકાર કાર્યો છે.’ પાટીલના આ નિવેદનની જયનારાયણ વ્યાસ ટીકા કરી કરી હતી.


સિદ્ધપુરમાં ત્રિપાંખિયો જંગ


સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.