ભાજપના નેતા જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલ્લો પડકાર, 'જેને લડવું હોય, સળી કરવી હોય તે ભૂતકાળ યાદ કરી લેજો'


  • Published By :
  • Published Date : 2023-09-25 21:27:07

ભાજપના નેતા જયેશ રાદડિયા રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં (Jamkandorana) આજે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સામાન્ય સભાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આ સામાન્ય સભામાં જેતપુરના ભાજપના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ વિવિધ સહકારી સંસ્થાના વર્ષ દરમિયાનના હિસાબો ખેડૂતો અને પશુપાલકો સમક્ષ રજુ કર્યા હતા આ સાથે જ જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં વિક્ષેપ નાખતી ટોળકી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ મિટિંગમાં જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું  કે 'લડવું હોય તો મેદાનમાં આવી જાવ'.

Image

જયેશ રાદડિયાનું વિરોધીઓ સામે આકરૂં વલણ


વિરોધીઓ પર પ્રહાર કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે કેટલાક લોકો સહકારી ક્ષેત્રમાં વિરોધ કરવા માટે છે. મારા પિતાજી વિઠ્ઠલ રાદડિયા હતા ત્યારે પણ પાંચ લોકોની ટોળકી સહકારી ક્ષેત્રને બદનામ કરવા માટે સક્રિય હતી. પેઢી બદલાય છે. પહેલા વિઠ્ઠલભાઇ ડેરીના ચેરમેન હતા આજે હું ડેરીનો ચેરમેન છું પરંતુ આ પાંચ લોકોની ટોળકી હજુ વિરોધ જ કરે છે અને આ ટોળકી પાંચના ક્યારેય છ થવાના નથી તેના તે જ રહેવાના છે. રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે હું રાજકીય વ્યક્તિ છું, પરંતુ સહકારી ક્ષેત્ર ભરોસાથી ટકી રહ્યું છે. રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય તેવા મારા હંમેશા પ્રયત્ન રહ્યા છે, પરંતુ રાજકીય રીતે સહકારી ક્ષેત્રમાં આવવું હોય તો મેદાનમાં આવી જવાની પણ ખુલ્લી ચેલેન્જ આપી હતી. રાદડિયાએ અંતમાં કહ્યું હતું કે વિપરીત પરિસ્થિતિ હતી ત્યારે પણ વિઠ્ઠલભાઇની આ સહકારી ઇમારતનો કાંકરો પણ હલાવી શક્યા ન હતા આજે તો આ ઇમારત  મજબુત છે આનો દાણો પણ તમારાથી નહી હલે, મારી ખુલ્લી ચેલેન્જ આ સાધારણ સભામાં છે. સહકારી ક્ષેત્રમાં રાજકારણ ના આવે તે માટેના આ પ્રયાસ છે છતાં જેને લડવું હોય સળી કરવી હોય તે ભૂતકાળ યાદ કરી લેજો કેટલી વીસો સો થયું. 'સહકારી ક્ષેત્રનો વિશ્વાસ ન તૂટે તે માટે વિરોધીઓને ખોટા કાવા દાવા ન કરવા પણ કહ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી