રાજકુમાર જાટના કેસમાં ગણેશ ગોંડલના ઘરમાં હાજર શખ્સ સામે નોંધાયો ગુનો, પિતા-પુત્ર સામે પણ અરજી.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-24 17:56:52

ગોંડલ ઘણા દિવસોથી ચર્ચામાં છે અને આ ચર્ચામાં રોજ નવા વળાંકો સામે આવે છે. ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર રાજસ્થાનના રતનલાલ જાટ પોતાના દિકરાના મૃત્યુને લઈને આરોપ લગાવી રહ્યાં છે.. અને સતત કહી રહ્યાં છે કે એમના કારણે જ આ સ્થિતિ ઉભી થઈ છે. રાજસ્થાનમાં વિરોધ નોંધાયો અને લોકસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.. હવે આખરે 19 દિવસના અંતે આ કેસમાં જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે. સવાલ એ છે કે શું કાર્યવાહી થશે ખરા.


ગોંડલમાં રહેતો અને UPSCની તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે ગૂમ થયા બાદ તેનો મૃતદેહ રાજકોટ નજીકથી મળી આવ્યો હતો. રાજકોટ પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં થયાનું જાહેર કરી દીધું છે. પણ આ કેસમાં અનેક ખુટતી કડીઓ જોડવાનો પ્રયાસ પોલીસ પોતાની તપાસમાં નથી કરતી તેવું લાગી રહ્યું છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સામે આવ્યા બાદ અંતે 19 દિવસે ગુનો નોંધવામાં આવ્યો છે.  ભારે વિવાદ પછી આખરે ગોંડલ પોલીસે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે બંગલામાં હાજર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. મૃતક રાજકુમાને બંગલામાં હાજર એક વ્યક્તિએ તમાચો માર્યો હતો. ગોંડલ પોલીસના સુત્રોના કહેવા પ્રમાણે રતનલાલ આ અજાણ્યા શખ્સને ઓળખતા ન હોવાથી એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.


તો બીજી બાજુ ગણેશ જાડેજાએ પણ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. ત્યારે હવે આ કેસ નવો વળાંક લઈ રહ્યો છે. બીજી તરફ ગણેશ જાહેજાએ મૃતક રાજકુમાર તેના પિતા સાથે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અરજીમાં જણાવ્યું જણાવ્યું છે કે બંને પિતા-પુત્ર બંગલોમાં કામ છે તેમ કહી બંગલોમાં ઘુસી બંગાલમાં હાજર માણસોએ તેમને ખુરશી આપી હતી. ત્યાર પછી બંને પિતા-પુત્ર મોબાઈલને લઈને મારવાડી ભાષામાં ઝઘડતા હતા. જેથી બંનેને બંગલોમાંથી બહાર જવાનું કહેવાતાં રતનલાલ તો તૈયાર થઈ ગયા પુત્ર મૃતક રાજકુમાર હતા. તેનો પુત્ર બંગલોમાંથી બહાર જવા તૈયાર ન હતો. એટલું જ નહીં ખુરશી પકડીને ઊભો રહી ગયો હતો. મહામહેનતે તેને બહાર મોકલવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે આક્ષેપ થયા હોવાથી રતનલાલ જાટની એનસી અને ગણેશ જાડેજાએ આપેલી અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોપવામાં આવી છે. એનસી ગઈ તા. 15ના રોજ નોંધાવાનું અને તે પહેલા ગણેશ જાડેજાએ અરજી આપ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગણેશ જાડેજાએ જાટ પિતા-પુત્રએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ માટે અરજી દાખલ કરવામાં આવી છે. ગોંડલ પોલીસ દ્વારા નવા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા નથી. રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં શરીર ઉપર ઈજાના નિશાન છે, ત્યારે મોત કુદરતી કે ઈજા ના કારણે થયું છે? તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. મૃતક રાજકુમાર જાટના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકના ઘરેથી નીકળવાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર ન થયા, ગણેશ જાડેજાએ યુવકને પોતાના ઘરે કેમ બોલાવ્યો અને જયરાજસિંહ ના ઘરની બહાર ઝઘડો કેમ થયો જેના કારણે તેને માર મારવામાં આવ્યો આ તમામ બાબતો ઉપર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી.


ઓલરેડી આ કેસમાં ઘણા બધા સવાલો છુટી રહ્યાં છે તેના પર તપાસ થાય એ પણ બહુ જ જરુરી છે.જાટ યુવાનને માર મારવાના કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા હતા. અને રિપોર્ટ પ્રમાણે આ હત્યા હોય શકે તેવી પણ શક્યતાઓ વધારે છે. કેમ કે રિપોર્ટમાં ક્યાંય અકસ્માત થયો હોય તેવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.  મૃતક રાજકુમાર જાટના શરીરના કેટલાક ભાગો પર જે 4-4 સે.મી.ના ચોક્કસ જગ્યાએ ઇજાનાં નિશાન છે, એ અકસ્માતને કારણે ન થાય, કારણ કે અકસ્માતમાં કેટલા સેન્ટિમીટરના ભાગમાં ઇજા થાય એ નક્કી હોતું નથી, જે વાહન અથડાયું હોય અને જે ભાગે અથડાયું હોય એ ભાગ કેટલો બોથડ છે અને કેટલો વજનદાર છે એના પરથી ઇજાનાં નાનાં અથવા તો મોટાં નિશાન થાય, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 4-4 સે.મી.ની જાડાઇના જે નિશાન થયાં છે એ લાકડી જેવા બોથડ પદાર્થથી ઘા મરાયા હોય એવાં પણ હોઇ શકે.. આ સિવાય પ્રાઈવેટ પાર્ટમાં પણ અંદર સુધી ચીરાના નિશાન છે જે અકસ્માતના કારણે ન થાય તેવું તબીબોનું સ્પષ્ટપણે માનવુ છે. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.