અસિત મોદીએ હાથ જોડીને માફી માંગવી જ પડશે, આ આત્મસન્માનની લડાઈ છે: જેનિફર મિસ્ત્રી


  • Published By :
  • Published Date : 2023-05-17 19:31:55

ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી આજકાલ ખૂબ ચર્ચામાં છે. જેનિફર મિસ્રીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર શારિરીક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે આ બધુ તેણે પૈસા માટે કર્યું નથી, પરંતું સત્ય માટે કર્યું છે. અસિત મોદી ઉપરાંત અન્ય બે લોકો પર શોષણનો આરોપ લગાવનારી જેનિફરે વધુમાં કહ્યું કે આ તેમના આત્મસન્માન અને ન્યાયની લડાઈ છે. 


આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે


મીડિયા રિપોર્ટસ મુજબ જેનિફર મિસ્ત્રીએ કહ્યું છે કે "એક ખુબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે હું આ બધુ પૈસા માટે નથી કરી રહી, હું આ બધુ એટલા માટે કરી છું કે જેથી સત્યનો વિજય થાય, તેમને એ સ્વિકારવું જ પડશે કે તેમણે મારી સાથે ખુબ જ ખરાબ કર્યું છે. તેમણે મારી માફી માંગવી જ પડશે. બંને હાથ જોડીને મારી માફી માગવી જ પડશે. તેમણે તે કહેવું જ પડશે મને માફ કરી દે આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે" 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી