અસિત મોદીએ હાથ જોડીને માફી માંગવી જ પડશે, આ આત્મસન્માનની લડાઈ છે: જેનિફર મિસ્ત્રી


  • Published By :
  • Published Date : 2023-05-17 19:31:55

ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી આજકાલ ખૂબ ચર્ચામાં છે. જેનિફર મિસ્રીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર શારિરીક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે આ બધુ તેણે પૈસા માટે કર્યું નથી, પરંતું સત્ય માટે કર્યું છે. અસિત મોદી ઉપરાંત અન્ય બે લોકો પર શોષણનો આરોપ લગાવનારી જેનિફરે વધુમાં કહ્યું કે આ તેમના આત્મસન્માન અને ન્યાયની લડાઈ છે. 


આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે


મીડિયા રિપોર્ટસ મુજબ જેનિફર મિસ્ત્રીએ કહ્યું છે કે "એક ખુબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે હું આ બધુ પૈસા માટે નથી કરી રહી, હું આ બધુ એટલા માટે કરી છું કે જેથી સત્યનો વિજય થાય, તેમને એ સ્વિકારવું જ પડશે કે તેમણે મારી સાથે ખુબ જ ખરાબ કર્યું છે. તેમણે મારી માફી માંગવી જ પડશે. બંને હાથ જોડીને મારી માફી માગવી જ પડશે. તેમણે તે કહેવું જ પડશે મને માફ કરી દે આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે" 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.