અસિત મોદીએ હાથ જોડીને માફી માંગવી જ પડશે, આ આત્મસન્માનની લડાઈ છે: જેનિફર મિસ્ત્રી


  • Published By :
  • Published Date : 2023-05-17 19:31:55

ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી આજકાલ ખૂબ ચર્ચામાં છે. જેનિફર મિસ્રીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર શારિરીક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે આ બધુ તેણે પૈસા માટે કર્યું નથી, પરંતું સત્ય માટે કર્યું છે. અસિત મોદી ઉપરાંત અન્ય બે લોકો પર શોષણનો આરોપ લગાવનારી જેનિફરે વધુમાં કહ્યું કે આ તેમના આત્મસન્માન અને ન્યાયની લડાઈ છે. 


આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે


મીડિયા રિપોર્ટસ મુજબ જેનિફર મિસ્ત્રીએ કહ્યું છે કે "એક ખુબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે હું આ બધુ પૈસા માટે નથી કરી રહી, હું આ બધુ એટલા માટે કરી છું કે જેથી સત્યનો વિજય થાય, તેમને એ સ્વિકારવું જ પડશે કે તેમણે મારી સાથે ખુબ જ ખરાબ કર્યું છે. તેમણે મારી માફી માંગવી જ પડશે. બંને હાથ જોડીને મારી માફી માગવી જ પડશે. તેમણે તે કહેવું જ પડશે મને માફ કરી દે આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે" 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .