અસિત મોદીએ હાથ જોડીને માફી માંગવી જ પડશે, આ આત્મસન્માનની લડાઈ છે: જેનિફર મિસ્ત્રી


  • Published By :
  • Published Date : 2023-05-17 19:31:55

ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી આજકાલ ખૂબ ચર્ચામાં છે. જેનિફર મિસ્રીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર શારિરીક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે આ બધુ તેણે પૈસા માટે કર્યું નથી, પરંતું સત્ય માટે કર્યું છે. અસિત મોદી ઉપરાંત અન્ય બે લોકો પર શોષણનો આરોપ લગાવનારી જેનિફરે વધુમાં કહ્યું કે આ તેમના આત્મસન્માન અને ન્યાયની લડાઈ છે. 


આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે


મીડિયા રિપોર્ટસ મુજબ જેનિફર મિસ્ત્રીએ કહ્યું છે કે "એક ખુબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે હું આ બધુ પૈસા માટે નથી કરી રહી, હું આ બધુ એટલા માટે કરી છું કે જેથી સત્યનો વિજય થાય, તેમને એ સ્વિકારવું જ પડશે કે તેમણે મારી સાથે ખુબ જ ખરાબ કર્યું છે. તેમણે મારી માફી માંગવી જ પડશે. બંને હાથ જોડીને મારી માફી માગવી જ પડશે. તેમણે તે કહેવું જ પડશે મને માફ કરી દે આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે" 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.