જીગ્નેશ મેવાણીની ચિંતામાં થયો વધારો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 18:31:27

જીગ્નેશ મેવાણીની ચિંતા વધી ..

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અને અત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મહેસાણાથી ધાનેરા આઝાદી કૂચ યાત્રા મુદ્દે થયેલી ફરિયાદમાં મહેસાણા કોર્ટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને ચાર મહિના પૂર્વે કરેલી ત્રણ માસની સજામાં વધારો કરવા સરકારી વકીલે મહેસાણા સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં સમગ્ર મામલો પુનઃ ચર્ચાસ્પદ બન્યો છે.

 

જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં 2017માં આઝાદી કુંચ યાત્રા નિકળિ હતી. યાત્રા મંજૂરી વિના યોજાઈ હતી. કેસ અંતર્ગત જીગ્નેશ મેવાળી સહિત 10 લોકોને મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે ગત 5 મે 2022ના રોજ ત્રણ મહિનાની સજા ફટકારી હતી. ત્યારે જીગ્નેશ સહિત લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. હવે આ મામલે કોર્ટમાં 15 ઑક્ટોમ્બરે સુનવણી કરશે.

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .