જીતુ વાઘાણી એ કહ્યું "AAP નો અસલી ચહેરો ખુલ્લો પડ્યો "


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:03:09

દિલ્હી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં હજારો લોકો દ્વારા રામ અને કૃષ્ણને ભગવાન માનવા શપથ લેતા વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ભાજપએ વિડિયો દ્વારા ઘેરવાનો પ્રયાસ કર્યો ગુજરાતમાં પણ ભાજપે બાબતને મુદ્દો બનાવી AAPને ઘેર્યું છે.

 

આપ પર કર્યા પ્રહાર !!!

અંગે જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ આયોજિત કરીને કહ્યું આમ આદમી પાર્ટીના નેતા માત્ર ધર્માંતરણના કાર્યક્રમમાં હાજર રહે છે પરંતુ હિંદુ દેવી દેવતાઓને પુજીશું નહી તેવા શપથ પણ લેવડાવે છે. આમ આદમી પાર્ટીની હિન માનસિકતા છતી કરે છે. જે પ્રકારે હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે તે ગુજરાતીઓ સહન નહી કરે.

વધુમાં તેમણે આક્ષેપ લગાવતા કહ્યું હું ચેતવણી આપુ છું કે હિંદુ સમાજની અગ્નિ પરિક્ષા લેવાનું બંધ કરો. કેજરીવાલનો નાટકીય ચહેરો ખુલ્લો પડ્યો છે. નાટક કંપનીએ અત્યાર સુધી મંત્રી પર કોઇ પગલા નથી લીધા.તે તેના ઇરાદો સ્પષ્ટ કરે છે. ભુતકાળમાં પણ કાશ્મીર ફાઇલમાં પંડિતો વચ્ચે, તોફાનોમાં તમારા મંત્રીઓ સંડોવાયેલા છે. ટુકડે ટુકડે ગેંગને પણ તમે સપોર્ટ કર્યો છે. તમારા આચરણ અને વ્યવહારમાં બંન્નેમાં વસ્તું છે તમારા ચાવવા અને બતાવવાના બંન્ને દાત ખુલ્લા પડ્યા છે. નેતા વિરુદ્ધ કડકમાં કડક પગલા તમારામાં હિંમત હોય તો લો.

 

દિલ્હીમાં ધર્માંતરણના કાર્યક્રમ

ધર્માંતરણનો અવડો મોટો કાર્યક્રમ થાય અને દિલ્હીમાં આયોજિત થાય છે રાજધાનીમાં આવા કાર્યક્રમ થાય તે બાબત શરમજનક છે જાહેરમાં પ્રકારના શપથો વખતે બંધારણીય શપથ લીધા હોય તેવી વ્યક્તિ હાજર રહે તે હિંદુ સમાજનું અપમાન કરીને તેના પર થુંકવાનુ પાપ કર્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે