ઈસરોના ચોંકાવી દેનારો ખુલાસો, જોશીમઠમાં 12 દિવસમાં 5.4 સેંટીમીટર ધસી જમીન


  • Published By :
  • Published Date : 2023-01-13 15:11:38

ISRO (Indian Space Research Organisation)એ જોશીમઠને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈસરોના જણાવ્યા મુજબ જોશીમઠમાં માત્ર 12 દિવસોમાં 5.4 સેન્ટીમીટર જમીન ધસી ગઈ છે. ઈસરોએ જોશીમઠની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરી છે. જે મુજબ 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે જોશીમઠની જમીન 5.4 સેન્ટીમીટર નીચે ધસી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 2 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે. 


જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે


ઈસરોએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલથી નવેમ્બર 2022 વચ્ચે જમીન ધસવાનો દર બહુ જ ઓછો હતો. આ દરમિયાન જોશીમઠ 9 સેન્ટીમીટર નીચે ચાલી ગઈ છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે ક્રાઉન ઓફ ધ સબ્સિડેન્સ 2180 મીટરની ઉંચાઈ પર જોશીમઠ-ઓલી રોડની નજીક જ છે. તેનાથી જાણી શકાય છે કે જમીન ધસવાથી જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે. કોર્ટોસેટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવેલી તસવીરોમાં જોશીમઠમાં સેનાના હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર શહેરને સંવેદનશીલ ક્ષેત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. 


દર વર્ષે 2.60 ઈંચ ધસી રહ્યો છે જોશીમઠ


ઈસરો ઉપરાંત ઈન્સ્ટીટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)એ પણ રિપોર્ટ સરકારને સોંપ્યો છે. તે મુજબ જોશીમઠ દર વર્ષે 6.62 સેન્ટીમીટર એટલે લગભગ 2.60 ઈંચ ધસી રહી છે. IIRSએ લગભગ બે વર્ષ સુધી સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. IIRS દહેરાદુનના વૈજ્ઞાનિકોએ જુલાઈ 2020થી માર્ચ 2022 વચ્ચે જોશીમઠ અને તેની આસપાસથી લગભગ 6 કિલોમીટર વિસ્તારની સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યો.


જોશીમઠમાં થઈ રહ્યો છે ભૂગર્ભીય ફેરફાર


રિપોર્ટમાં જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં આવી રહેલા ભૂગર્ભીય ફેરફારો પણ જોવા મળ્યા છે. તાજેતરમાં જ IIRSએ તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જોશીમઠ દર વર્ષે 6.62 સેમી.ની દરથી નીચેની તરફ ધસી રહી છે. તેની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. તે સાથે જ IIRSએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોશીમઠના થ્રી-ડી ફેરફારોને બતાવવામાં આવ્યા છે. 


સમગ્ર ખીણમાં થઈ રહ્યા છે ભૂ:સ્ખલનો


IIRSએ જે વીડિયો જારી કર્યો છે, તેમાં પણ તે બતાવવામાં આવ્યું છે કે કે જમીન ધસી પડવાની પ્રક્રિયા માત્ર જોશીમઠમાં જ થઈ રહી નથી. સમગ્ર ખીણ પ્રદેશની તેની ઝપેટમાં આવી ગયો છે. આના કારણે આગામી સમયમાં ખતરનાક પરિણામો જોવા મળી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.