ઈસરોના ચોંકાવી દેનારો ખુલાસો, જોશીમઠમાં 12 દિવસમાં 5.4 સેંટીમીટર ધસી જમીન


  • Published By :
  • Published Date : 2023-01-13 15:11:38

ISRO (Indian Space Research Organisation)એ જોશીમઠને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈસરોના જણાવ્યા મુજબ જોશીમઠમાં માત્ર 12 દિવસોમાં 5.4 સેન્ટીમીટર જમીન ધસી ગઈ છે. ઈસરોએ જોશીમઠની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરી છે. જે મુજબ 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે જોશીમઠની જમીન 5.4 સેન્ટીમીટર નીચે ધસી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 2 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે. 


જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે


ઈસરોએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલથી નવેમ્બર 2022 વચ્ચે જમીન ધસવાનો દર બહુ જ ઓછો હતો. આ દરમિયાન જોશીમઠ 9 સેન્ટીમીટર નીચે ચાલી ગઈ છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે ક્રાઉન ઓફ ધ સબ્સિડેન્સ 2180 મીટરની ઉંચાઈ પર જોશીમઠ-ઓલી રોડની નજીક જ છે. તેનાથી જાણી શકાય છે કે જમીન ધસવાથી જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે. કોર્ટોસેટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવેલી તસવીરોમાં જોશીમઠમાં સેનાના હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર શહેરને સંવેદનશીલ ક્ષેત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. 


દર વર્ષે 2.60 ઈંચ ધસી રહ્યો છે જોશીમઠ


ઈસરો ઉપરાંત ઈન્સ્ટીટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)એ પણ રિપોર્ટ સરકારને સોંપ્યો છે. તે મુજબ જોશીમઠ દર વર્ષે 6.62 સેન્ટીમીટર એટલે લગભગ 2.60 ઈંચ ધસી રહી છે. IIRSએ લગભગ બે વર્ષ સુધી સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. IIRS દહેરાદુનના વૈજ્ઞાનિકોએ જુલાઈ 2020થી માર્ચ 2022 વચ્ચે જોશીમઠ અને તેની આસપાસથી લગભગ 6 કિલોમીટર વિસ્તારની સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યો.


જોશીમઠમાં થઈ રહ્યો છે ભૂગર્ભીય ફેરફાર


રિપોર્ટમાં જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં આવી રહેલા ભૂગર્ભીય ફેરફારો પણ જોવા મળ્યા છે. તાજેતરમાં જ IIRSએ તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જોશીમઠ દર વર્ષે 6.62 સેમી.ની દરથી નીચેની તરફ ધસી રહી છે. તેની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. તે સાથે જ IIRSએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોશીમઠના થ્રી-ડી ફેરફારોને બતાવવામાં આવ્યા છે. 


સમગ્ર ખીણમાં થઈ રહ્યા છે ભૂ:સ્ખલનો


IIRSએ જે વીડિયો જારી કર્યો છે, તેમાં પણ તે બતાવવામાં આવ્યું છે કે કે જમીન ધસી પડવાની પ્રક્રિયા માત્ર જોશીમઠમાં જ થઈ રહી નથી. સમગ્ર ખીણ પ્રદેશની તેની ઝપેટમાં આવી ગયો છે. આના કારણે આગામી સમયમાં ખતરનાક પરિણામો જોવા મળી શકે છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.