ઈસરોના ચોંકાવી દેનારો ખુલાસો, જોશીમઠમાં 12 દિવસમાં 5.4 સેંટીમીટર ધસી જમીન


  • Published By :
  • Published Date : 2023-01-13 15:11:38

ISRO (Indian Space Research Organisation)એ જોશીમઠને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈસરોના જણાવ્યા મુજબ જોશીમઠમાં માત્ર 12 દિવસોમાં 5.4 સેન્ટીમીટર જમીન ધસી ગઈ છે. ઈસરોએ જોશીમઠની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરી છે. જે મુજબ 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે જોશીમઠની જમીન 5.4 સેન્ટીમીટર નીચે ધસી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 2 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે. 


જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે


ઈસરોએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલથી નવેમ્બર 2022 વચ્ચે જમીન ધસવાનો દર બહુ જ ઓછો હતો. આ દરમિયાન જોશીમઠ 9 સેન્ટીમીટર નીચે ચાલી ગઈ છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે ક્રાઉન ઓફ ધ સબ્સિડેન્સ 2180 મીટરની ઉંચાઈ પર જોશીમઠ-ઓલી રોડની નજીક જ છે. તેનાથી જાણી શકાય છે કે જમીન ધસવાથી જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે. કોર્ટોસેટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવેલી તસવીરોમાં જોશીમઠમાં સેનાના હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર શહેરને સંવેદનશીલ ક્ષેત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. 


દર વર્ષે 2.60 ઈંચ ધસી રહ્યો છે જોશીમઠ


ઈસરો ઉપરાંત ઈન્સ્ટીટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)એ પણ રિપોર્ટ સરકારને સોંપ્યો છે. તે મુજબ જોશીમઠ દર વર્ષે 6.62 સેન્ટીમીટર એટલે લગભગ 2.60 ઈંચ ધસી રહી છે. IIRSએ લગભગ બે વર્ષ સુધી સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. IIRS દહેરાદુનના વૈજ્ઞાનિકોએ જુલાઈ 2020થી માર્ચ 2022 વચ્ચે જોશીમઠ અને તેની આસપાસથી લગભગ 6 કિલોમીટર વિસ્તારની સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યો.


જોશીમઠમાં થઈ રહ્યો છે ભૂગર્ભીય ફેરફાર


રિપોર્ટમાં જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં આવી રહેલા ભૂગર્ભીય ફેરફારો પણ જોવા મળ્યા છે. તાજેતરમાં જ IIRSએ તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જોશીમઠ દર વર્ષે 6.62 સેમી.ની દરથી નીચેની તરફ ધસી રહી છે. તેની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. તે સાથે જ IIRSએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોશીમઠના થ્રી-ડી ફેરફારોને બતાવવામાં આવ્યા છે. 


સમગ્ર ખીણમાં થઈ રહ્યા છે ભૂ:સ્ખલનો


IIRSએ જે વીડિયો જારી કર્યો છે, તેમાં પણ તે બતાવવામાં આવ્યું છે કે કે જમીન ધસી પડવાની પ્રક્રિયા માત્ર જોશીમઠમાં જ થઈ રહી નથી. સમગ્ર ખીણ પ્રદેશની તેની ઝપેટમાં આવી ગયો છે. આના કારણે આગામી સમયમાં ખતરનાક પરિણામો જોવા મળી શકે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.