ઈસરોના ચોંકાવી દેનારો ખુલાસો, જોશીમઠમાં 12 દિવસમાં 5.4 સેંટીમીટર ધસી જમીન


  • Published By :
  • Published Date : 2023-01-13 15:11:38

ISRO (Indian Space Research Organisation)એ જોશીમઠને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈસરોના જણાવ્યા મુજબ જોશીમઠમાં માત્ર 12 દિવસોમાં 5.4 સેન્ટીમીટર જમીન ધસી ગઈ છે. ઈસરોએ જોશીમઠની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરી છે. જે મુજબ 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે જોશીમઠની જમીન 5.4 સેન્ટીમીટર નીચે ધસી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના 2 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે. 


જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે


ઈસરોએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલથી નવેમ્બર 2022 વચ્ચે જમીન ધસવાનો દર બહુ જ ઓછો હતો. આ દરમિયાન જોશીમઠ 9 સેન્ટીમીટર નીચે ચાલી ગઈ છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે ક્રાઉન ઓફ ધ સબ્સિડેન્સ 2180 મીટરની ઉંચાઈ પર જોશીમઠ-ઓલી રોડની નજીક જ છે. તેનાથી જાણી શકાય છે કે જમીન ધસવાથી જોશીમઠ-ઔલી રોડ પણ ધસી પડશે. કોર્ટોસેટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવેલી તસવીરોમાં જોશીમઠમાં સેનાના હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર શહેરને સંવેદનશીલ ક્ષેત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. 


દર વર્ષે 2.60 ઈંચ ધસી રહ્યો છે જોશીમઠ


ઈસરો ઉપરાંત ઈન્સ્ટીટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)એ પણ રિપોર્ટ સરકારને સોંપ્યો છે. તે મુજબ જોશીમઠ દર વર્ષે 6.62 સેન્ટીમીટર એટલે લગભગ 2.60 ઈંચ ધસી રહી છે. IIRSએ લગભગ બે વર્ષ સુધી સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. IIRS દહેરાદુનના વૈજ્ઞાનિકોએ જુલાઈ 2020થી માર્ચ 2022 વચ્ચે જોશીમઠ અને તેની આસપાસથી લગભગ 6 કિલોમીટર વિસ્તારની સેટેલાઈટ તસવીરોનો સ્ટડી કર્યો.


જોશીમઠમાં થઈ રહ્યો છે ભૂગર્ભીય ફેરફાર


રિપોર્ટમાં જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં આવી રહેલા ભૂગર્ભીય ફેરફારો પણ જોવા મળ્યા છે. તાજેતરમાં જ IIRSએ તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જોશીમઠ દર વર્ષે 6.62 સેમી.ની દરથી નીચેની તરફ ધસી રહી છે. તેની સેટેલાઈટ તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. તે સાથે જ IIRSએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોશીમઠના થ્રી-ડી ફેરફારોને બતાવવામાં આવ્યા છે. 


સમગ્ર ખીણમાં થઈ રહ્યા છે ભૂ:સ્ખલનો


IIRSએ જે વીડિયો જારી કર્યો છે, તેમાં પણ તે બતાવવામાં આવ્યું છે કે કે જમીન ધસી પડવાની પ્રક્રિયા માત્ર જોશીમઠમાં જ થઈ રહી નથી. સમગ્ર ખીણ પ્રદેશની તેની ઝપેટમાં આવી ગયો છે. આના કારણે આગામી સમયમાં ખતરનાક પરિણામો જોવા મળી શકે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.