આખરે સરકારે કરી ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણુંક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-31 23:44:23

જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.  પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે. 

Bhavnath Mahadev Temple Junagadh Darshan Timings, Puja and Accommodation900 × 600

જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત હરિગીરી રિપીટ થશે કે પછી સરકારનું શાસન આવશે તે અટકળોનો હવે અંત આવ્યો છે. કેમ કે જૂનાગઢના કલેકટર દ્વારા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. હવે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સત્તાવાર રીતે ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળી લીધો છે. મહંત હરીગીરીની મુદત આજે પૂર્ણ થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડાક સમય પેહલા , મહંત હરીગીરીની સામે મહંત મહેશ ગિરીએ જે આક્ષેપો કર્યા હતા જેમ કે મહંત બનવા કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ભારે વિવાદ થયો હતો હવે પ્રથમવખત વહીવટદારની નિમણુંક જૂનાગઢ કલેકટર દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી જૂનાગઢ કલેકટર નવા મહંતનું નામ જાહેર નઈ કરે ત્યાં સુધી વહીવટદર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલનું શાસન રહેશે. આ પહેલીવાર થયું છે કે , જૂનાગઢના ભવનાથના મંદિરમાં વહીવટદારની નિમણુંક થઇ છે. 

₹8 crore allegedly paid to BJP for Bhavnath Mahant Post, reveals Juna  Akhada letter | Rs 8 crore allegedly paid to BJP for Bhavnath Mahant Post  reveals Juna Akhada letter - Gujarat Samachar

આપને જણાવી દયિકે , ભવનાથ મંદિરના અતિથિ ભવનના હિસાબનો પણ વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મહંત હરીગીરી બાપુ પર અનેક વિવાદો સામે આવ્યા છે. તેના કારણે તેમને રિપીટ ના કરવાની માંગ પ્રબળ બની હતી. સાથે જ તેમની પર પૈસા અને પાવરના જોરે મહંત પદ મેળવ્યાના આક્ષેપો થયા છે. બીજી તરફ રાજુગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત પદ માટે દાવો માંડ્યો હતો. આ બધા વચ્ચે મહંત હરીગીરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે , તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય રહેશે . ભવનાથ મંદિરના વહીવટને લઇને મહંત હરીગીરીને રિપીટ કરવા માટે , ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જૂનાગઢ કલેક્ટરને ભલામણ કરી હતી . તો બીજી બાજુ ઘણા સાધુ સંતોએ , નિયમ મુજબ ગુરુ શિષ્ય પરમપરા મુજબ મહંતની નિમણુંક કરવામાં નઈ આવે તો ચીમકી ઉચ્ચારવામા આવી છે.  




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.