આખરે સરકારે કરી ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણુંક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-31 23:44:23

જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.  પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે. 

Bhavnath Mahadev Temple Junagadh Darshan Timings, Puja and Accommodation900 × 600

જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત હરિગીરી રિપીટ થશે કે પછી સરકારનું શાસન આવશે તે અટકળોનો હવે અંત આવ્યો છે. કેમ કે જૂનાગઢના કલેકટર દ્વારા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. હવે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સત્તાવાર રીતે ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળી લીધો છે. મહંત હરીગીરીની મુદત આજે પૂર્ણ થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડાક સમય પેહલા , મહંત હરીગીરીની સામે મહંત મહેશ ગિરીએ જે આક્ષેપો કર્યા હતા જેમ કે મહંત બનવા કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ભારે વિવાદ થયો હતો હવે પ્રથમવખત વહીવટદારની નિમણુંક જૂનાગઢ કલેકટર દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી જૂનાગઢ કલેકટર નવા મહંતનું નામ જાહેર નઈ કરે ત્યાં સુધી વહીવટદર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલનું શાસન રહેશે. આ પહેલીવાર થયું છે કે , જૂનાગઢના ભવનાથના મંદિરમાં વહીવટદારની નિમણુંક થઇ છે. 

₹8 crore allegedly paid to BJP for Bhavnath Mahant Post, reveals Juna  Akhada letter | Rs 8 crore allegedly paid to BJP for Bhavnath Mahant Post  reveals Juna Akhada letter - Gujarat Samachar

આપને જણાવી દયિકે , ભવનાથ મંદિરના અતિથિ ભવનના હિસાબનો પણ વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મહંત હરીગીરી બાપુ પર અનેક વિવાદો સામે આવ્યા છે. તેના કારણે તેમને રિપીટ ના કરવાની માંગ પ્રબળ બની હતી. સાથે જ તેમની પર પૈસા અને પાવરના જોરે મહંત પદ મેળવ્યાના આક્ષેપો થયા છે. બીજી તરફ રાજુગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત પદ માટે દાવો માંડ્યો હતો. આ બધા વચ્ચે મહંત હરીગીરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે , તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય રહેશે . ભવનાથ મંદિરના વહીવટને લઇને મહંત હરીગીરીને રિપીટ કરવા માટે , ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જૂનાગઢ કલેક્ટરને ભલામણ કરી હતી . તો બીજી બાજુ ઘણા સાધુ સંતોએ , નિયમ મુજબ ગુરુ શિષ્ય પરમપરા મુજબ મહંતની નિમણુંક કરવામાં નઈ આવે તો ચીમકી ઉચ્ચારવામા આવી છે.  




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.