આખરે સરકારે કરી ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણુંક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-31 23:44:23

જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.  પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે. 

Bhavnath Mahadev Temple Junagadh Darshan Timings, Puja and Accommodation900 × 600

જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત હરિગીરી રિપીટ થશે કે પછી સરકારનું શાસન આવશે તે અટકળોનો હવે અંત આવ્યો છે. કેમ કે જૂનાગઢના કલેકટર દ્વારા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. હવે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સત્તાવાર રીતે ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળી લીધો છે. મહંત હરીગીરીની મુદત આજે પૂર્ણ થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડાક સમય પેહલા , મહંત હરીગીરીની સામે મહંત મહેશ ગિરીએ જે આક્ષેપો કર્યા હતા જેમ કે મહંત બનવા કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ભારે વિવાદ થયો હતો હવે પ્રથમવખત વહીવટદારની નિમણુંક જૂનાગઢ કલેકટર દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી જૂનાગઢ કલેકટર નવા મહંતનું નામ જાહેર નઈ કરે ત્યાં સુધી વહીવટદર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલનું શાસન રહેશે. આ પહેલીવાર થયું છે કે , જૂનાગઢના ભવનાથના મંદિરમાં વહીવટદારની નિમણુંક થઇ છે. 

₹8 crore allegedly paid to BJP for Bhavnath Mahant Post, reveals Juna  Akhada letter | Rs 8 crore allegedly paid to BJP for Bhavnath Mahant Post  reveals Juna Akhada letter - Gujarat Samachar

આપને જણાવી દયિકે , ભવનાથ મંદિરના અતિથિ ભવનના હિસાબનો પણ વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મહંત હરીગીરી બાપુ પર અનેક વિવાદો સામે આવ્યા છે. તેના કારણે તેમને રિપીટ ના કરવાની માંગ પ્રબળ બની હતી. સાથે જ તેમની પર પૈસા અને પાવરના જોરે મહંત પદ મેળવ્યાના આક્ષેપો થયા છે. બીજી તરફ રાજુગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત પદ માટે દાવો માંડ્યો હતો. આ બધા વચ્ચે મહંત હરીગીરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે , તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે મને માન્ય રહેશે . ભવનાથ મંદિરના વહીવટને લઇને મહંત હરીગીરીને રિપીટ કરવા માટે , ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જૂનાગઢ કલેક્ટરને ભલામણ કરી હતી . તો બીજી બાજુ ઘણા સાધુ સંતોએ , નિયમ મુજબ ગુરુ શિષ્ય પરમપરા મુજબ મહંતની નિમણુંક કરવામાં નઈ આવે તો ચીમકી ઉચ્ચારવામા આવી છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.