જુનાગઢમાં પતિ અને બે પુત્રના મોત બાદ મહિલાએ પણ મોતને વ્હાલું કર્યું, શહેરમાં ઘેરા શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-07-26 18:21:45

જુનાગઢના કડીયાવાડ વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થવાના કિસ્સામાં સંજય ડાભીની સાથે તેના બે પુત્રો પુત્ર દક્ષ અને તરુણનું મકાનના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે મોત થયું હતું. હવે મૃતક સંજય ડાભીના ધર્મપત્નીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા જૂનાગઢ શહેરમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગઈ કાલે પતિ અને બે પુત્રોને ગુમાવનાર મયુરીબેન ગંભીર આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે એસીડ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું.


સારવાર દરમિયાન મોત


બિલ્ડીંગ ધરાશાઈ થવાની ઘટનામાં પતિ અને બે બાળકોને ગુમાવનાર મયુરી બેન ખૂબ જ ભાંગી પડ્યા હતા. પતિ અને બે માસુમ પુત્રનું મોત થતા તેનો આઘાત તેવો જીરવી શક્યા નહી હોય અને આઘાતજનક પરિસ્થિતિમાં આજે મહિલાએ અચાનક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મયુરીબેન સંજયભાઈ ડાભીએ આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ હતી. મયુરી બેનએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હાલ તો મહિલાની હાલત બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા. તેઓનું નિવેદન હજુ સુધી પોલીસ મેળવી શકી નથી. સમગ્ર મામલામાં એફઆઇઆર કરવાની લઈને પણ હજુ કામગીરી શરૂ થઈ નથી પરંતુ ગઈ કાલના અકસ્માતના આઘાતમાં મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે.


શું હતી સમગ્ર ઘટના?


જૂનાગઢની દાતાર રોડ પર કડિયાવાડ શાકમાર્કેટના પાછલા વિસ્તારમાં 40 વર્ષ જૂનું જર્જરિત થયેલી બે માળની ધરાસાયી થતા ચાર વ્યક્તિના મકાનના કાટમાળમાં દબાઈ જવાથી મોત થયા છે. ચાર લોકોના મોતના કારણે જૂનાગઢ આખું ઘેરા શોકની લાગણીમાં જોવા મળી રહ્યું છે.




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે