PMના કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્યને આમંત્રણ નહીં આપતા વિવાદ સર્જાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:57:55

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ મુલાકાતે છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે. ત્યારે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી નારાજ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 હજારથી વધુ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 


ભીખાભાઈ જોશીની અટકાયત કરાઈ 

જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીની સવારથી જ જૂનાગઢ પોલીસે અટકાયત કરી દીધી છે. ભીખા જોશીએ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ કાર્યક્રમ સરકારી છે તો જૂનાગઢની ધરતી પર કાર્યક્રમ હોય તો જૂનાગઢના ધારાસભ્યને જ આમંત્રણ નથી. 

આ જૂનાગઢની જનતાનું અપમાનઃ ભીખા જોશી

દેશના પ્રધાનમંત્રી જૂનાગઢની ધરતી પર છે. આ કાર્યક્રમ સરકારી છે પણ જૂનાગઢના ધારાસભ્યનું નામ નથી લખવામાં આવ્યું. આ જૂનાગઢની જનતાનું અપમાન છે. આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. અમારી અટકાયત કરવામાં આવી છે. ભાજપનો કાર્યક્રમ હોય તો વાંધો ના હતો પણ સરકારી કાર્યક્રમાં ભાજપના ધારાસભ્યને બોલાવ્યા પણ જૂનાગઢના ધારાસભ્યની બાદબાકી કરાઈ તે અયોગ્ય છે આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.