PMના કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્યને આમંત્રણ નહીં આપતા વિવાદ સર્જાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:57:55

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ મુલાકાતે છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે. ત્યારે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી નારાજ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 હજારથી વધુ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 


ભીખાભાઈ જોશીની અટકાયત કરાઈ 

જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીની સવારથી જ જૂનાગઢ પોલીસે અટકાયત કરી દીધી છે. ભીખા જોશીએ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ કાર્યક્રમ સરકારી છે તો જૂનાગઢની ધરતી પર કાર્યક્રમ હોય તો જૂનાગઢના ધારાસભ્યને જ આમંત્રણ નથી. 

આ જૂનાગઢની જનતાનું અપમાનઃ ભીખા જોશી

દેશના પ્રધાનમંત્રી જૂનાગઢની ધરતી પર છે. આ કાર્યક્રમ સરકારી છે પણ જૂનાગઢના ધારાસભ્યનું નામ નથી લખવામાં આવ્યું. આ જૂનાગઢની જનતાનું અપમાન છે. આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. અમારી અટકાયત કરવામાં આવી છે. ભાજપનો કાર્યક્રમ હોય તો વાંધો ના હતો પણ સરકારી કાર્યક્રમાં ભાજપના ધારાસભ્યને બોલાવ્યા પણ જૂનાગઢના ધારાસભ્યની બાદબાકી કરાઈ તે અયોગ્ય છે આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .