PMના કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્યને આમંત્રણ નહીં આપતા વિવાદ સર્જાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:57:55

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ મુલાકાતે છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે. ત્યારે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી નારાજ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 હજારથી વધુ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 


ભીખાભાઈ જોશીની અટકાયત કરાઈ 

જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીની સવારથી જ જૂનાગઢ પોલીસે અટકાયત કરી દીધી છે. ભીખા જોશીએ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ કાર્યક્રમ સરકારી છે તો જૂનાગઢની ધરતી પર કાર્યક્રમ હોય તો જૂનાગઢના ધારાસભ્યને જ આમંત્રણ નથી. 

આ જૂનાગઢની જનતાનું અપમાનઃ ભીખા જોશી

દેશના પ્રધાનમંત્રી જૂનાગઢની ધરતી પર છે. આ કાર્યક્રમ સરકારી છે પણ જૂનાગઢના ધારાસભ્યનું નામ નથી લખવામાં આવ્યું. આ જૂનાગઢની જનતાનું અપમાન છે. આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. અમારી અટકાયત કરવામાં આવી છે. ભાજપનો કાર્યક્રમ હોય તો વાંધો ના હતો પણ સરકારી કાર્યક્રમાં ભાજપના ધારાસભ્યને બોલાવ્યા પણ જૂનાગઢના ધારાસભ્યની બાદબાકી કરાઈ તે અયોગ્ય છે આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.