PMના કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્યને આમંત્રણ નહીં આપતા વિવાદ સર્જાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:57:55

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ મુલાકાતે છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે. ત્યારે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી નારાજ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 હજારથી વધુ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 


ભીખાભાઈ જોશીની અટકાયત કરાઈ 

જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીની સવારથી જ જૂનાગઢ પોલીસે અટકાયત કરી દીધી છે. ભીખા જોશીએ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ કાર્યક્રમ સરકારી છે તો જૂનાગઢની ધરતી પર કાર્યક્રમ હોય તો જૂનાગઢના ધારાસભ્યને જ આમંત્રણ નથી. 

આ જૂનાગઢની જનતાનું અપમાનઃ ભીખા જોશી

દેશના પ્રધાનમંત્રી જૂનાગઢની ધરતી પર છે. આ કાર્યક્રમ સરકારી છે પણ જૂનાગઢના ધારાસભ્યનું નામ નથી લખવામાં આવ્યું. આ જૂનાગઢની જનતાનું અપમાન છે. આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. અમારી અટકાયત કરવામાં આવી છે. ભાજપનો કાર્યક્રમ હોય તો વાંધો ના હતો પણ સરકારી કાર્યક્રમાં ભાજપના ધારાસભ્યને બોલાવ્યા પણ જૂનાગઢના ધારાસભ્યની બાદબાકી કરાઈ તે અયોગ્ય છે આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે