ઉમેદવારોને વિનામુલ્યે મુસાફરીની સરકારે જાહેરાત તો કરી છતાં પણ S.T વિભાગે ભાડું વસૂલ્યું


  • Published By :
  • Published Date : 2023-01-29 17:52:14

રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હજારો ઉમેદવારો રઝળી પડ્યા હતા. આંખોમાં સપના સાથે પરીક્ષા આવેલા ઉમેદવારોની પરીક્ષા રદ્દ થતા આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ઉમેદવારોએ ઠેર ઠેર ચક્કાજામ કર્યા હતા. ઉમેદવારોના રોષને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિનામુલ્યે એસ.ટીમા મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. 


સરકારની જાહેરાત છતાં ભાડૂ વસૂલ્યું


ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજાનાર પરીક્ષા મોકૂફ રખાતા ઉમેદવારોની હાલાકી વધી ગઈ હતી. આ પરીક્ષાર્થીઓ જ્યારે તેમના ગામ અને શહેર પરત ફરવા માટે બસ સ્ટેશને પહોંચ્યા ત્યારે એસટી તંત્રના બસ કંન્ડક્ટરોએ તેમની પાસેથી ભાડું વસૂલ્યું હતું. આ ઉમેદવારોએ સરકારના નિર્ણયની જાણ કરી તો એસટી વિભાગે કહ્યું કે અમને સરકારનો કોઈ પરીપત્ર મળ્યો નથી. તેથી જે તે સ્થળે પહોંચવા માટે ભાડુ તો ઉમેદવારોએ ભાડૂં તો આપવું જ પડશે. ભાડા મુદ્દે પણ ઉમેદવારો અને એસ ટી કર્મચારીઓ વચ્ચે તકરાર થઈ હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.