જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ, 7.28 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા, જૂન મહિનામાં આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-04-09 16:51:09

રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે નિર્વિઘ્ને પુરી થઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પરીક્ષાર્થીઓ સહિત વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉમેદવારો છેલ્લા બે વર્ષથી આ પરીક્ષાને લઈ તૈયારીઓ કરી રહ્યા હતા, પણ અવારનવાર પેપર લીકની ઘટનાઓ કે અન્ય વહીવટી કારણોથી પરીક્ષા યોજાવામાં વિઘ્ન આવતું રહ્યું હતું.


7.28 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા 
 

રાજ્યમાં આજે 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ન આવ્યે આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પરીક્ષાને લઈ વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા. કેન્દ્રમાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાયુ હતું. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરાઈ છે. ઉમેદવારો માટે એસટી તંત્રએ 6 હજારથી વધુ બસ દોડાવી હતી. 


જુનિયર ક્લાર્કનું પેપર અઘરૂ હતું?


જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ પરીક્ષા ખંડમાંથી બહાર આવીને ઉમેદવારોએ પરીક્ષા અંગે કહ્યું કે પેપર વધુ લાંબુ હોવાને કારણે સમય ખુટ્યો હતો. પંચાયતી રાજ, જોડકા સહિત ઇતિહાસના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇંગ્લિશ અને ગણિતના પ્રશ્નોમાં સમય વધારે બગડ્યો હતો. આ વખતે મેરીટ નીચું રહેવાની શક્યતા ઉમેદવારોએ દર્શાવી છે. 


પરીક્ષાનું રિઝલ્ટ જૂન મહિનામાં આવશે


જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ હવે પરીક્ષાર્થીઓની નજર પરિણામ પર છે. જો કે આ અંગે પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવવાનું છે. અત્રે ઉલ્લેખનિય છે કે પરીક્ષામાં આજે કોઇપણ જગ્યાએ કોઇ જ ગેરરીતિ સર્જાઇ નથી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.