જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ, 7.28 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા, જૂન મહિનામાં આવશે પરિણામ


  • Published By :
  • Published Date : 2023-04-09 16:51:09

રાજ્યમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે નિર્વિઘ્ને પુરી થઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પરીક્ષાર્થીઓ સહિત વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉમેદવારો છેલ્લા બે વર્ષથી આ પરીક્ષાને લઈ તૈયારીઓ કરી રહ્યા હતા, પણ અવારનવાર પેપર લીકની ઘટનાઓ કે અન્ય વહીવટી કારણોથી પરીક્ષા યોજાવામાં વિઘ્ન આવતું રહ્યું હતું.


7.28 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા 
 

રાજ્યમાં આજે 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ન આવ્યે આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પરીક્ષાને લઈ વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા. કેન્દ્રમાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાયુ હતું. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરાઈ છે. ઉમેદવારો માટે એસટી તંત્રએ 6 હજારથી વધુ બસ દોડાવી હતી. 


જુનિયર ક્લાર્કનું પેપર અઘરૂ હતું?


જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ પરીક્ષા ખંડમાંથી બહાર આવીને ઉમેદવારોએ પરીક્ષા અંગે કહ્યું કે પેપર વધુ લાંબુ હોવાને કારણે સમય ખુટ્યો હતો. પંચાયતી રાજ, જોડકા સહિત ઇતિહાસના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇંગ્લિશ અને ગણિતના પ્રશ્નોમાં સમય વધારે બગડ્યો હતો. આ વખતે મેરીટ નીચું રહેવાની શક્યતા ઉમેદવારોએ દર્શાવી છે. 


પરીક્ષાનું રિઝલ્ટ જૂન મહિનામાં આવશે


જુનિયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થયા બાદ હવે પરીક્ષાર્થીઓની નજર પરિણામ પર છે. જો કે આ અંગે પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવવાનું છે. અત્રે ઉલ્લેખનિય છે કે પરીક્ષામાં આજે કોઇપણ જગ્યાએ કોઇ જ ગેરરીતિ સર્જાઇ નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.