અંતે કાજલ હિન્દુસ્તાનીની કરાઈ ધરપકડ, ઉનામાં રામનવમી પર આપ્યું હતું ઉશ્કેરણીજનક ભાષણ


  • Published By :
  • Published Date : 2023-04-09 18:24:23

ગીર સોમનાથના ઉનામાં રામનવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના ગુનામાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. રામનવમીના તહેવારે ઉનામાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપતા કોમી અથડામણ અને વિરોધ પ્રદર્શન થયા હતા. 


કાજલ હિન્દુસ્તાની સામે નોંધાઈ હતી FIR


કાજલ હિન્દુસ્તાની સામે ઉનામાં ફરિયાદ નોંધાયા બાદ તેણે નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. 40 વર્ષીય કાજલ હિન્દુસ્તાનીની આજે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દેતા હવે તેને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવી છે. 


કાજલ હિંદુસ્તાની પર આરોપ શું છે?


રામનવમીના પ્રસંગે ઉના શહેરના ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજનમાં જેમાં તેજાબી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ ચોક્કસ સમુદાય વિશે લવ જેહાદ સહિતના મુદ્દાઓ પર ભડકાઉ ભાષણ આપતા ભારે તંગદીલી સર્જાઈ હતી. ઉનાના કુંભારવાડામાં પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. કાજલના નિવેદન બાદ એક સમાજ દ્વારા ઉના બંધનું એલાન અપાયું હતું. બાદમાં પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 


કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહીની ઉઠી હતી માગ


કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ 31 માર્ચે મુસ્લિમ સમાજના લોકોએ વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરીને કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કર્યો હતો. બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપી હતી. જે બાદ કાજલ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 295 (A) હેઠળ FIR નોંધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.