અંતે કાજલ હિન્દુસ્તાનીની કરાઈ ધરપકડ, ઉનામાં રામનવમી પર આપ્યું હતું ઉશ્કેરણીજનક ભાષણ


  • Published By :
  • Published Date : 2023-04-09 18:24:23

ગીર સોમનાથના ઉનામાં રામનવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના ગુનામાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. રામનવમીના તહેવારે ઉનામાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપતા કોમી અથડામણ અને વિરોધ પ્રદર્શન થયા હતા. 


કાજલ હિન્દુસ્તાની સામે નોંધાઈ હતી FIR


કાજલ હિન્દુસ્તાની સામે ઉનામાં ફરિયાદ નોંધાયા બાદ તેણે નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. 40 વર્ષીય કાજલ હિન્દુસ્તાનીની આજે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દેતા હવે તેને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવી છે. 


કાજલ હિંદુસ્તાની પર આરોપ શું છે?


રામનવમીના પ્રસંગે ઉના શહેરના ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજનમાં જેમાં તેજાબી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ ચોક્કસ સમુદાય વિશે લવ જેહાદ સહિતના મુદ્દાઓ પર ભડકાઉ ભાષણ આપતા ભારે તંગદીલી સર્જાઈ હતી. ઉનાના કુંભારવાડામાં પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. કાજલના નિવેદન બાદ એક સમાજ દ્વારા ઉના બંધનું એલાન અપાયું હતું. બાદમાં પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 


કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહીની ઉઠી હતી માગ


કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ 31 માર્ચે મુસ્લિમ સમાજના લોકોએ વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરીને કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કર્યો હતો. બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપી હતી. જે બાદ કાજલ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 295 (A) હેઠળ FIR નોંધી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.