સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની વાત પર ટ્રોલ થઈ રહી છે કાજોલ! જાણો કેમ તેમના ચાહકો થઈ રહ્યા છે ગુસ્સે ?


  • Published By :
  • Published Date : 2023-06-10 17:11:36

પોતાના ફિલ્મને અથવા તો વેબસિરીઝને પ્રમોટ કરવા કલાકારો અનેક સ્ટંટ કરતા હોય છે. ફિલ્મ નજીક આવતા લોકો વચ્ચે જવાનું કલાકારો પસંદ કરતા હોય છે. કોઈ ફિલ્મી સ્ટાર્સ જ્યાં આસાનીથી સામાન્ય લોકો મળી જતા હોય ત્યાં જવાનું પસંદ કરે છે તો કોઈ પબ્લિસીટી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પોતાની પોસ્ટને લઈ કાજોલ ટ્રોલ થઈ રહી છે.

  

ગઈકાલે સોશિયલ મીડિયા પરથી સંન્યાસ લેવાની કરી હતી જાહેરાત!

ટૂંક સમયમાં કાજોલની વેબસિરીઝ ધી ટ્રાયલ આવી રહી છે. પરંતુ તે વેબસિરીઝ રિલીઝ થાય તે પહેલા જ કાજોલ ટ્રોલ થઈ રહી છે. 9 જૂનના રોજ સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કાજોલે કરી હતી. ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. અને તે બાદ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છું. આની સાથે એક ફોટો શેર કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે પોતાના જીવનની સૌથી મુશ્કેલ ટ્રાયલને ફેસ કરવા જઈ રહી છું. આ પોસ્ટને લઈ કાજોલના ફેન્સમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. એવું તો કાજોલના જીવનમાં શું બન્યું કે તે સોશિયલ મીડિયા છોડવા માગે છે સહિતના અનેક વિચારો લોકો કરી રહ્યા હતા.


#ShameOnKajolHotstar સોશિયલ મીડિયા પર થયું ટ્રેન્ડ!

કાજોલ ત્યાં સુધી ટ્રોલ થઈ ન હતી. પરંતુ તેની બાદ જે પોસ્ટ કરવામાં આવી તેને કારણે સોશિયલ મીડિયા પર કાજોલ ટ્રેન્ડ થઈ રહી છે. બીજા પોસ્ટમાં તેમણે લખ્યું કે 12 જૂને મારો કોર્ટ રૂમ ડ્રામા #HotstarSpecials #TheTrial - પ્રેમ કાયદો દગોનું ટ્રેલર જોજો. #TheTrialOnHotstar।” વીડિયોમાં કાજોલને એક વકીલના બ્લેક યુનિફોર્મમાં ગંભીર હાવભાવ સાથે જોઈ શકાય છે. આનું ટ્રેલર 12 જૂને રિલીઝ થવાનું છે. આ પોસ્ટ થયા બાદ કાજોલની આગળની પોસ્ટ પણ દેખાવા લાગી હતી. યુઝર્સે આને પબ્લીસિટી સ્ટંટ ગણયો અને લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.  ત્યારે કાજોલ માટે હસવામાંથી ખસવું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી