સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની વાત પર ટ્રોલ થઈ રહી છે કાજોલ! જાણો કેમ તેમના ચાહકો થઈ રહ્યા છે ગુસ્સે ?


  • Published By :
  • Published Date : 2023-06-10 17:11:36

પોતાના ફિલ્મને અથવા તો વેબસિરીઝને પ્રમોટ કરવા કલાકારો અનેક સ્ટંટ કરતા હોય છે. ફિલ્મ નજીક આવતા લોકો વચ્ચે જવાનું કલાકારો પસંદ કરતા હોય છે. કોઈ ફિલ્મી સ્ટાર્સ જ્યાં આસાનીથી સામાન્ય લોકો મળી જતા હોય ત્યાં જવાનું પસંદ કરે છે તો કોઈ પબ્લિસીટી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પોતાની પોસ્ટને લઈ કાજોલ ટ્રોલ થઈ રહી છે.

  

ગઈકાલે સોશિયલ મીડિયા પરથી સંન્યાસ લેવાની કરી હતી જાહેરાત!

ટૂંક સમયમાં કાજોલની વેબસિરીઝ ધી ટ્રાયલ આવી રહી છે. પરંતુ તે વેબસિરીઝ રિલીઝ થાય તે પહેલા જ કાજોલ ટ્રોલ થઈ રહી છે. 9 જૂનના રોજ સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કાજોલે કરી હતી. ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. અને તે બાદ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છું. આની સાથે એક ફોટો શેર કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે પોતાના જીવનની સૌથી મુશ્કેલ ટ્રાયલને ફેસ કરવા જઈ રહી છું. આ પોસ્ટને લઈ કાજોલના ફેન્સમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. એવું તો કાજોલના જીવનમાં શું બન્યું કે તે સોશિયલ મીડિયા છોડવા માગે છે સહિતના અનેક વિચારો લોકો કરી રહ્યા હતા.


#ShameOnKajolHotstar સોશિયલ મીડિયા પર થયું ટ્રેન્ડ!

કાજોલ ત્યાં સુધી ટ્રોલ થઈ ન હતી. પરંતુ તેની બાદ જે પોસ્ટ કરવામાં આવી તેને કારણે સોશિયલ મીડિયા પર કાજોલ ટ્રેન્ડ થઈ રહી છે. બીજા પોસ્ટમાં તેમણે લખ્યું કે 12 જૂને મારો કોર્ટ રૂમ ડ્રામા #HotstarSpecials #TheTrial - પ્રેમ કાયદો દગોનું ટ્રેલર જોજો. #TheTrialOnHotstar।” વીડિયોમાં કાજોલને એક વકીલના બ્લેક યુનિફોર્મમાં ગંભીર હાવભાવ સાથે જોઈ શકાય છે. આનું ટ્રેલર 12 જૂને રિલીઝ થવાનું છે. આ પોસ્ટ થયા બાદ કાજોલની આગળની પોસ્ટ પણ દેખાવા લાગી હતી. યુઝર્સે આને પબ્લીસિટી સ્ટંટ ગણયો અને લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.  ત્યારે કાજોલ માટે હસવામાંથી ખસવું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.