ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશનની કાયાપલટ થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 17:47:51

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત મુલાકાતે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2 હજાર કરોડના ખર્ચે કામગીરી  કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી જે કામગીરી કરવામાં આવનાર છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 


શું નવું હશે આ નવા રેલ્વે સ્ટેશનમાં?

ગાર્ડન, મૉલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજી સાથે રેલવે સ્ટેશન ઉભું કરવામાં આવશે મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે તેવી તેના માટે વિશાળ એન્ટ્રી અને એક્ઝીટના દરવાજા બનાવશે. 1966થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર થાય છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા જળવાઈ રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. 


રેલ્વે સ્ટેશનનો નવો લુક 

કાલુપુર રેલ્વે સ્ટેશને નવો લુક આપવા માં આવશે જે ડિઝાઈન ખુબજ આકર્ષક દેખાય છે. આ લુકની ડિઝાઈન હડસન હાઈલાઈન પાર્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર સાથે સાથે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનને પણ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. અમદાવાદનું કાલુપુર સાથે સાબરમતી રેલ્વે સ્ટેશન પણ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .