ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશનની કાયાપલટ થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 17:47:51

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત મુલાકાતે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2 હજાર કરોડના ખર્ચે કામગીરી  કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી જે કામગીરી કરવામાં આવનાર છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 


શું નવું હશે આ નવા રેલ્વે સ્ટેશનમાં?

ગાર્ડન, મૉલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજી સાથે રેલવે સ્ટેશન ઉભું કરવામાં આવશે મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે તેવી તેના માટે વિશાળ એન્ટ્રી અને એક્ઝીટના દરવાજા બનાવશે. 1966થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર થાય છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા જળવાઈ રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. 


રેલ્વે સ્ટેશનનો નવો લુક 

કાલુપુર રેલ્વે સ્ટેશને નવો લુક આપવા માં આવશે જે ડિઝાઈન ખુબજ આકર્ષક દેખાય છે. આ લુકની ડિઝાઈન હડસન હાઈલાઈન પાર્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર સાથે સાથે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનને પણ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. અમદાવાદનું કાલુપુર સાથે સાબરમતી રેલ્વે સ્ટેશન પણ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી