કોણ છે કમલા સોહોની, જેમની 112મી જન્મજયંતિ Google ઉજવી રહ્યું છે?


  • Published By :
  • Published Date : 2023-06-18 11:46:00

દેશના મહાન બાયોકેમિસ્ટ ડો. કમલા સોહોનીનો આજે 112મો જન્મ દિવસ હોવાથી ગુગલે તેમને યાદ કરી ગુગલ ડુડલના માધ્યમથી તેની ઉજવણી કરી રહ્યું છે. કમલા સોહોનીનો જન્મ આજના દિવસે એટલે કે વર્ષ 18 જૂન 1911ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ બાયોકેમિસ્ટમાં પીએચડી પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા હતા. તેમણે આ સિધ્ધી ત્યારે પ્રાપ્ત કરી જ્યારે ભારતીય મહિલાઓને વૈજ્ઞાનિક વિષયોમાં મહત્વપૂર્ણ રીતે ઓછું પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું.



કમલા સોહોનીને સમર્પિત ડૂડલ


વૈજ્ઞાનિક કમલા સોહોની ભારતની પ્રથમ મહિલા હતી જેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર (IISc) માં પ્રવેશ મેળવ્યો હતો, જે દેશની શ્રેષ્ઠ સંસ્થા ગણાય છે. ભારતીય વિજ્ઞાનમાં તેમના નોંધપાત્ર કાર્ય અને સિદ્ધિઓની ઉજવણી કરતા ગૂગલે લખ્યું, આજનું ડૂડલ ભારતીય બાયોકેમિસ્ટ કમલા સોહોનીના જન્મદિવસની ઉજવણી કરે છે. જેમણે મહિલાઓ માટે STEM માં ડિગ્રી મેળવવાનો માર્ગ મોકળો કર્યો.


પ્રારંભિક શિક્ષણ


ડૉ. કમલા સોહોનીનો જન્મ આ દિવસે 1911માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના માતા-પિતા બંને કેમિસ્ટ હતા. તેમના પિતા અને કાકાના પગલે ચાલતા, તેમણે બોમ્બે યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1933માં સ્નાતક થયા, તેઓ તેમના વર્ગના ટોપર હતા.


વિદેશમાં અભ્યાસ અને પીએચ.ડી.


ડૉ. સોહોનીએ 1937 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન શિષ્યવૃત્તિ મેળવી. તેમણે સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે એન્ઝાઈમ સાયટોક્રોમ સી, તમામ છોડની કોશિકાઓમાં હોય છે. માત્ર 14 મહિનામાં તેમણે આ વિષય પર પોતાનો થીસીસ પૂર્ણ કર્યો અને પીએચ.ડી. કર્યું. જ્યારે ડૉ. કમલા સોહોનીએ તેમની પીએચડી પ્રાપ્ત કરી ત્યારે ભારતમાં વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓનું બહુ ઓછું પ્રતિનિધિત્વ હતું. પરંતુ ડો.કમલા સોહોનીએ આ સિદ્ધિ મેળવીને ઈતિહાસ રચ્યો હતો.


સ્વાસ્થ્યપ્રદ નીરાના વિકાસમાં સિંહફાળો


ભારત પરત ફર્યા બાદ ડો. સોહોનીએ વિશિષ્ટ ખોરાકના ફાયદાઓ પર તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો અને નીરા નામના પામ અમૃતમાંથી બનાવેલ આરોગ્યપ્રદ આહાર પૂરકના વિકાસમાં ફાળો આપ્યો. આ પૌષ્ટિક પીણું વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે કુપોષિત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે ઉત્તમ સાબિત થયું છે. નીરા પરના તેમના કાર્ય માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .