કોણ છે કમલા સોહોની, જેમની 112મી જન્મજયંતિ Google ઉજવી રહ્યું છે?


  • Published By :
  • Published Date : 2023-06-18 11:46:00

દેશના મહાન બાયોકેમિસ્ટ ડો. કમલા સોહોનીનો આજે 112મો જન્મ દિવસ હોવાથી ગુગલે તેમને યાદ કરી ગુગલ ડુડલના માધ્યમથી તેની ઉજવણી કરી રહ્યું છે. કમલા સોહોનીનો જન્મ આજના દિવસે એટલે કે વર્ષ 18 જૂન 1911ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ બાયોકેમિસ્ટમાં પીએચડી પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા હતા. તેમણે આ સિધ્ધી ત્યારે પ્રાપ્ત કરી જ્યારે ભારતીય મહિલાઓને વૈજ્ઞાનિક વિષયોમાં મહત્વપૂર્ણ રીતે ઓછું પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું.



કમલા સોહોનીને સમર્પિત ડૂડલ


વૈજ્ઞાનિક કમલા સોહોની ભારતની પ્રથમ મહિલા હતી જેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર (IISc) માં પ્રવેશ મેળવ્યો હતો, જે દેશની શ્રેષ્ઠ સંસ્થા ગણાય છે. ભારતીય વિજ્ઞાનમાં તેમના નોંધપાત્ર કાર્ય અને સિદ્ધિઓની ઉજવણી કરતા ગૂગલે લખ્યું, આજનું ડૂડલ ભારતીય બાયોકેમિસ્ટ કમલા સોહોનીના જન્મદિવસની ઉજવણી કરે છે. જેમણે મહિલાઓ માટે STEM માં ડિગ્રી મેળવવાનો માર્ગ મોકળો કર્યો.


પ્રારંભિક શિક્ષણ


ડૉ. કમલા સોહોનીનો જન્મ આ દિવસે 1911માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના માતા-પિતા બંને કેમિસ્ટ હતા. તેમના પિતા અને કાકાના પગલે ચાલતા, તેમણે બોમ્બે યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1933માં સ્નાતક થયા, તેઓ તેમના વર્ગના ટોપર હતા.


વિદેશમાં અભ્યાસ અને પીએચ.ડી.


ડૉ. સોહોનીએ 1937 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન શિષ્યવૃત્તિ મેળવી. તેમણે સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે એન્ઝાઈમ સાયટોક્રોમ સી, તમામ છોડની કોશિકાઓમાં હોય છે. માત્ર 14 મહિનામાં તેમણે આ વિષય પર પોતાનો થીસીસ પૂર્ણ કર્યો અને પીએચ.ડી. કર્યું. જ્યારે ડૉ. કમલા સોહોનીએ તેમની પીએચડી પ્રાપ્ત કરી ત્યારે ભારતમાં વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓનું બહુ ઓછું પ્રતિનિધિત્વ હતું. પરંતુ ડો.કમલા સોહોનીએ આ સિદ્ધિ મેળવીને ઈતિહાસ રચ્યો હતો.


સ્વાસ્થ્યપ્રદ નીરાના વિકાસમાં સિંહફાળો


ભારત પરત ફર્યા બાદ ડો. સોહોનીએ વિશિષ્ટ ખોરાકના ફાયદાઓ પર તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો અને નીરા નામના પામ અમૃતમાંથી બનાવેલ આરોગ્યપ્રદ આહાર પૂરકના વિકાસમાં ફાળો આપ્યો. આ પૌષ્ટિક પીણું વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે કુપોષિત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે ઉત્તમ સાબિત થયું છે. નીરા પરના તેમના કાર્ય માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.