કોણ છે કમલા સોહોની, જેમની 112મી જન્મજયંતિ Google ઉજવી રહ્યું છે?


  • Published By :
  • Published Date : 2023-06-18 11:46:00

દેશના મહાન બાયોકેમિસ્ટ ડો. કમલા સોહોનીનો આજે 112મો જન્મ દિવસ હોવાથી ગુગલે તેમને યાદ કરી ગુગલ ડુડલના માધ્યમથી તેની ઉજવણી કરી રહ્યું છે. કમલા સોહોનીનો જન્મ આજના દિવસે એટલે કે વર્ષ 18 જૂન 1911ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ બાયોકેમિસ્ટમાં પીએચડી પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા હતા. તેમણે આ સિધ્ધી ત્યારે પ્રાપ્ત કરી જ્યારે ભારતીય મહિલાઓને વૈજ્ઞાનિક વિષયોમાં મહત્વપૂર્ણ રીતે ઓછું પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું.



કમલા સોહોનીને સમર્પિત ડૂડલ


વૈજ્ઞાનિક કમલા સોહોની ભારતની પ્રથમ મહિલા હતી જેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર (IISc) માં પ્રવેશ મેળવ્યો હતો, જે દેશની શ્રેષ્ઠ સંસ્થા ગણાય છે. ભારતીય વિજ્ઞાનમાં તેમના નોંધપાત્ર કાર્ય અને સિદ્ધિઓની ઉજવણી કરતા ગૂગલે લખ્યું, આજનું ડૂડલ ભારતીય બાયોકેમિસ્ટ કમલા સોહોનીના જન્મદિવસની ઉજવણી કરે છે. જેમણે મહિલાઓ માટે STEM માં ડિગ્રી મેળવવાનો માર્ગ મોકળો કર્યો.


પ્રારંભિક શિક્ષણ


ડૉ. કમલા સોહોનીનો જન્મ આ દિવસે 1911માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના માતા-પિતા બંને કેમિસ્ટ હતા. તેમના પિતા અને કાકાના પગલે ચાલતા, તેમણે બોમ્બે યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1933માં સ્નાતક થયા, તેઓ તેમના વર્ગના ટોપર હતા.


વિદેશમાં અભ્યાસ અને પીએચ.ડી.


ડૉ. સોહોનીએ 1937 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન શિષ્યવૃત્તિ મેળવી. તેમણે સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે એન્ઝાઈમ સાયટોક્રોમ સી, તમામ છોડની કોશિકાઓમાં હોય છે. માત્ર 14 મહિનામાં તેમણે આ વિષય પર પોતાનો થીસીસ પૂર્ણ કર્યો અને પીએચ.ડી. કર્યું. જ્યારે ડૉ. કમલા સોહોનીએ તેમની પીએચડી પ્રાપ્ત કરી ત્યારે ભારતમાં વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓનું બહુ ઓછું પ્રતિનિધિત્વ હતું. પરંતુ ડો.કમલા સોહોનીએ આ સિદ્ધિ મેળવીને ઈતિહાસ રચ્યો હતો.


સ્વાસ્થ્યપ્રદ નીરાના વિકાસમાં સિંહફાળો


ભારત પરત ફર્યા બાદ ડો. સોહોનીએ વિશિષ્ટ ખોરાકના ફાયદાઓ પર તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો અને નીરા નામના પામ અમૃતમાંથી બનાવેલ આરોગ્યપ્રદ આહાર પૂરકના વિકાસમાં ફાળો આપ્યો. આ પૌષ્ટિક પીણું વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે કુપોષિત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે ઉત્તમ સાબિત થયું છે. નીરા પરના તેમના કાર્ય માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.