કોંગ્રેસના કામિનીબા રાઠોડ આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-22 12:30:20

દેહગામ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટના મળતા નારાજ કામિનીબા રાઠોડે અંતે કોંગ્રેસ સાથે છેડા ફાડી કેસરીયો ધારણ કરશે. આજે ભાજપની પત્રકાર પરિષદમાં કામિનીબા જોડાઈ શકે છે . 


કોંગ્રેસના તામામ પદથી રાજીનામું આપ્યું !

કામિનીબા રાઠોડે ગત રોજ જ કોંગ્રેસના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યો હોવાનો પત્ર પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરને લખ્યો હતો. આ પત્રની નકલ તેમણે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ મોકલી આપ્યો હતો. કામિનીબા રાઠોડને કોંગ્રેસે દહેગામ બેઠક પરથી ટિકિટ ના આપતાં તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.


ભાજપમાં જોડાશે પણ ચુંટણી લડવા મળશે ?

કામિનીબા રાઠોડ ની ઈચ્છા હતી કે દહેગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને વિધાનસભા સુધી પહોંચવું. ટિકિટ મેળવવા માટે તેમણે છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી પ્રયાસ ચાલુ કર્યા હતા. તેમ છતાં અંતે કોંગ્રેસે તેમને ટિકિટ ના આપતાં હવે તેઓ પક્ષ છોડી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.