ભાવનગર તોડકાંડ મામલે કાનભા ગોહિલના 5 દિવસના રીમાન્ડ મંજુર, 29 એપ્રીલ સુધી રહેશે કસ્ટડીમાં


  • Published By :
  • Published Date : 2023-04-24 19:20:54

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ડમીકાંડ બાદ બહાર આવેલ તોડકાંડમાં ભાવનગર પોલીસે આજે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને ભાવનગર સેસન્સ કોર્ટમાં રજુ કર્યા કર્યા હતા. કાનભા ગોહિલ પાસેથી રૂ. 38 લાખ રિકવર કર્યા બાદ ભાવનગર પોલીસે તેમને ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ હાજર કરીને કોર્ટ પાસે તેમના પાસે રીમાન્ડ માગ્યા હતા.


કાનભા ગોહિલના રિમાન્ડ મંજૂર


પ્રાપ્ત વિગતો મુજબ તોડકાંડ મામલે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી રુપિયા 38 લાખ કબજે કર્યા હતા. જો કે કાનભા ગોહિલની વધુ પૂછપરછ માટે પોલીસે ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ કાનભાના રિમાન્ડ માગતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કાનભા ગોહિલ હવે 29 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.


1 કરોડમાંથી 38 લાખ રિકવર


ભાવનગર તોડકાંડમાં 1 કરોડ ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 શખ્સો સામે એક કરોડની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે એસઆઇટીની ટીમ દ્વારા યુવરાજસિંહ જાડેજાની સાથે અન્ય શખ્સોની થયેલી અટકાયતમાં યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલના હસ્તે એક કરોડ પૈકી 38 લાખ જેવી રકમ પોલીસે જપ્ત કરી છે. પોલીસે 38 લાખ રૂપિયા પંચોની હાજરીમાં જપ્ત કર્યા છે જેના પુરાવા પણ પોલીસે જાહેર કર્યા હતાં.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.