ભાવનગર તોડકાંડ મામલે કાનભા ગોહિલના 5 દિવસના રીમાન્ડ મંજુર, 29 એપ્રીલ સુધી રહેશે કસ્ટડીમાં


  • Published By :
  • Published Date : 2023-04-24 19:20:54

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ડમીકાંડ બાદ બહાર આવેલ તોડકાંડમાં ભાવનગર પોલીસે આજે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને ભાવનગર સેસન્સ કોર્ટમાં રજુ કર્યા કર્યા હતા. કાનભા ગોહિલ પાસેથી રૂ. 38 લાખ રિકવર કર્યા બાદ ભાવનગર પોલીસે તેમને ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ હાજર કરીને કોર્ટ પાસે તેમના પાસે રીમાન્ડ માગ્યા હતા.


કાનભા ગોહિલના રિમાન્ડ મંજૂર


પ્રાપ્ત વિગતો મુજબ તોડકાંડ મામલે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી રુપિયા 38 લાખ કબજે કર્યા હતા. જો કે કાનભા ગોહિલની વધુ પૂછપરછ માટે પોલીસે ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ કાનભાના રિમાન્ડ માગતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કાનભા ગોહિલ હવે 29 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.


1 કરોડમાંથી 38 લાખ રિકવર


ભાવનગર તોડકાંડમાં 1 કરોડ ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 શખ્સો સામે એક કરોડની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે એસઆઇટીની ટીમ દ્વારા યુવરાજસિંહ જાડેજાની સાથે અન્ય શખ્સોની થયેલી અટકાયતમાં યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલના હસ્તે એક કરોડ પૈકી 38 લાખ જેવી રકમ પોલીસે જપ્ત કરી છે. પોલીસે 38 લાખ રૂપિયા પંચોની હાજરીમાં જપ્ત કર્યા છે જેના પુરાવા પણ પોલીસે જાહેર કર્યા હતાં.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.