કંઝાવલા કેસમાં 11 પોલીસ કર્મી સસ્પેન્ડ, ફરજ દરમિયાન લાપરવાહીની મળી સજા


  • Published By :
  • Published Date : 2023-01-13 15:55:07

કંઝાવલા કેસમાં ઢીલી કાર્યવાહીના પગલે ગૃહમંત્રાલયે પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરી છે. અંજલી નામની યુવતીને કારથી 13 કિલોમીટર સુધી ઢસડવાના કેસમાં ગૃહ મંત્રાલયે ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.


ફરજમાં ચૂક બાદ હકાલપટ્ટી


રોહિણી જિલ્લાના જે 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી બે સબ ઈન્સપેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, 4 હેડ કોન્સ્ટેબલ અને કોંન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ઘટનાના દિવસે તેમાંથી 6 પીસીઆર ફરજ પર હતા અને 5 પિકેટ પર હતા. આ પોલીસકર્મીઓ પર ફરજ દરમિયાન બેજવાબદારીપૂર્વક વર્તવાનો આરોપ છે. અત્રે ઉલ્લેખનિય છે કે જે રૂટ પર આ ઘટના થઈ તે રૂટ પર તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુરૂવારે ગૃહ મંત્રાલયએ ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. ગૃહમંત્રાલયએ દિલ્હી પોલીસના ઉચ્ચ આધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ હકાલપટ્ટીના આદેશ આપ્યા છે. રિપોર્ટમાં સિનિયર પોલીસ અધિકારીઓના સુપરવિઝનમાં પણ ખામી જોવા મળી હતી.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.