કંઝાવલા કેસમાં 11 પોલીસ કર્મી સસ્પેન્ડ, ફરજ દરમિયાન લાપરવાહીની મળી સજા


  • Published By :
  • Published Date : 2023-01-13 15:55:07

કંઝાવલા કેસમાં ઢીલી કાર્યવાહીના પગલે ગૃહમંત્રાલયે પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરી છે. અંજલી નામની યુવતીને કારથી 13 કિલોમીટર સુધી ઢસડવાના કેસમાં ગૃહ મંત્રાલયે ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.


ફરજમાં ચૂક બાદ હકાલપટ્ટી


રોહિણી જિલ્લાના જે 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી બે સબ ઈન્સપેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, 4 હેડ કોન્સ્ટેબલ અને કોંન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ઘટનાના દિવસે તેમાંથી 6 પીસીઆર ફરજ પર હતા અને 5 પિકેટ પર હતા. આ પોલીસકર્મીઓ પર ફરજ દરમિયાન બેજવાબદારીપૂર્વક વર્તવાનો આરોપ છે. અત્રે ઉલ્લેખનિય છે કે જે રૂટ પર આ ઘટના થઈ તે રૂટ પર તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુરૂવારે ગૃહ મંત્રાલયએ ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. ગૃહમંત્રાલયએ દિલ્હી પોલીસના ઉચ્ચ આધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ હકાલપટ્ટીના આદેશ આપ્યા છે. રિપોર્ટમાં સિનિયર પોલીસ અધિકારીઓના સુપરવિઝનમાં પણ ખામી જોવા મળી હતી.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.