કંઝાવલા કેસમાં 11 પોલીસ કર્મી સસ્પેન્ડ, ફરજ દરમિયાન લાપરવાહીની મળી સજા


  • Published By :
  • Published Date : 2023-01-13 15:55:07

કંઝાવલા કેસમાં ઢીલી કાર્યવાહીના પગલે ગૃહમંત્રાલયે પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરી છે. અંજલી નામની યુવતીને કારથી 13 કિલોમીટર સુધી ઢસડવાના કેસમાં ગૃહ મંત્રાલયે ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.


ફરજમાં ચૂક બાદ હકાલપટ્ટી


રોહિણી જિલ્લાના જે 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી બે સબ ઈન્સપેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, 4 હેડ કોન્સ્ટેબલ અને કોંન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ઘટનાના દિવસે તેમાંથી 6 પીસીઆર ફરજ પર હતા અને 5 પિકેટ પર હતા. આ પોલીસકર્મીઓ પર ફરજ દરમિયાન બેજવાબદારીપૂર્વક વર્તવાનો આરોપ છે. અત્રે ઉલ્લેખનિય છે કે જે રૂટ પર આ ઘટના થઈ તે રૂટ પર તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુરૂવારે ગૃહ મંત્રાલયએ ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. ગૃહમંત્રાલયએ દિલ્હી પોલીસના ઉચ્ચ આધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ હકાલપટ્ટીના આદેશ આપ્યા છે. રિપોર્ટમાં સિનિયર પોલીસ અધિકારીઓના સુપરવિઝનમાં પણ ખામી જોવા મળી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.