કંઝાવલા કેસમાં 11 પોલીસ કર્મી સસ્પેન્ડ, ફરજ દરમિયાન લાપરવાહીની મળી સજા


  • Published By :
  • Published Date : 2023-01-13 15:55:07

કંઝાવલા કેસમાં ઢીલી કાર્યવાહીના પગલે ગૃહમંત્રાલયે પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરી છે. અંજલી નામની યુવતીને કારથી 13 કિલોમીટર સુધી ઢસડવાના કેસમાં ગૃહ મંત્રાલયે ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.


ફરજમાં ચૂક બાદ હકાલપટ્ટી


રોહિણી જિલ્લાના જે 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી બે સબ ઈન્સપેક્ટર, 4 આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, 4 હેડ કોન્સ્ટેબલ અને કોંન્સ્ટેબલનો સમાવેશ થાય છે. ઘટનાના દિવસે તેમાંથી 6 પીસીઆર ફરજ પર હતા અને 5 પિકેટ પર હતા. આ પોલીસકર્મીઓ પર ફરજ દરમિયાન બેજવાબદારીપૂર્વક વર્તવાનો આરોપ છે. અત્રે ઉલ્લેખનિય છે કે જે રૂટ પર આ ઘટના થઈ તે રૂટ પર તૈનાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુરૂવારે ગૃહ મંત્રાલયએ ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. ગૃહમંત્રાલયએ દિલ્હી પોલીસના ઉચ્ચ આધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ હકાલપટ્ટીના આદેશ આપ્યા છે. રિપોર્ટમાં સિનિયર પોલીસ અધિકારીઓના સુપરવિઝનમાં પણ ખામી જોવા મળી હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.