કરીના કપૂર પુત્રો તૈમૂર અને જેહ સાથે હોળી રમી, કરિશ્માએ પણ ખુબ ઉડાડ્યો રંગ અને ગુલાલ


  • Published By :
  • Published Date : 2023-03-07 17:31:07

દેશભરમાં હોળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, બોલિવુડ કલાકારોએ પણ આ દિવસે રંગમાં તરબોળ જોવા મળ્યા. બોલિવુડ અદાકારા કરીના કપૂર ખાને તેના બે પુત્રો તૈમુર અને જેહ અલી ખાન સાથે હોળીની મજા માણી હતી. તે જ પ્રકારે કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ તેના નિવાસ્થાને હોળીની ઉજવણી કરી હતી. બંને બહેનોએ તેમની તસવીરો સોશિયલ મિડીયા પર શેઅર કરી છે. 


કરિનાએ લખ્યું કે...


હોળી સેલિબ્રેશનની તસવીરો શેઅર કરતા કરિના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેઅર કરવાની સાથે સાથે લખ્યું કે આજે સારી ઉંઘ આવશે, કરિનાએ ગ્રીન ટી શર્ટ તો જેહ અને તૈમુર રંગોથી તરબોળ હાથમાં પિચકારી સાથે જોવા મળ્યા, કરિનાએ લખ્યું પોસ્ટમાં લખ્યું કે " આ ધમાકેદાર હોળી બાદ જે શાનદાર ઉંઘ અમે લેવાના છિએ, તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છિએ. તમારા બધાના જીવનમાં પણ રંગ, પ્રેમ અને ખુશીઓનો વરસાદ થાય. હેપ્પી હોળી". રસપ્રદ બાબત એ છે કે આ હોળીની ઉજવણીમાં સૈફ અલી ખાન જોવા મળ્યા નહોતા.  


કરિશ્મા કપૂરે પણ કરી ઉજવણી


હોળી પર, તૈમૂર અને જેહે ઘણા રંગો અને ગુલાલ ઉડાડ્યા હતા. તસવીરમાં બંને ભાઈઓ રંગે રંગાયેલા અને ભીંજાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે , કરિશ્મા કપૂરે પણ હોળીની ઉમંગભેર ઉજવણી કરી અને રંગ-ઉલાલ ઉડાડ્યો હતો. કરિશ્મા તેના ઘરે હોળી રમી હતી, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કપૂર પરિવારમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. રાજ કપૂર પણ તેમના મિત્રો અને કિન્નર સમુદાય સાથે આર કે સ્ટુડિયોમાં હોળી મનાવતા હતા. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.