કરીના કપૂર પુત્રો તૈમૂર અને જેહ સાથે હોળી રમી, કરિશ્માએ પણ ખુબ ઉડાડ્યો રંગ અને ગુલાલ


  • Published By :
  • Published Date : 2023-03-07 17:31:07

દેશભરમાં હોળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, બોલિવુડ કલાકારોએ પણ આ દિવસે રંગમાં તરબોળ જોવા મળ્યા. બોલિવુડ અદાકારા કરીના કપૂર ખાને તેના બે પુત્રો તૈમુર અને જેહ અલી ખાન સાથે હોળીની મજા માણી હતી. તે જ પ્રકારે કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ તેના નિવાસ્થાને હોળીની ઉજવણી કરી હતી. બંને બહેનોએ તેમની તસવીરો સોશિયલ મિડીયા પર શેઅર કરી છે. 


કરિનાએ લખ્યું કે...


હોળી સેલિબ્રેશનની તસવીરો શેઅર કરતા કરિના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેઅર કરવાની સાથે સાથે લખ્યું કે આજે સારી ઉંઘ આવશે, કરિનાએ ગ્રીન ટી શર્ટ તો જેહ અને તૈમુર રંગોથી તરબોળ હાથમાં પિચકારી સાથે જોવા મળ્યા, કરિનાએ લખ્યું પોસ્ટમાં લખ્યું કે " આ ધમાકેદાર હોળી બાદ જે શાનદાર ઉંઘ અમે લેવાના છિએ, તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છિએ. તમારા બધાના જીવનમાં પણ રંગ, પ્રેમ અને ખુશીઓનો વરસાદ થાય. હેપ્પી હોળી". રસપ્રદ બાબત એ છે કે આ હોળીની ઉજવણીમાં સૈફ અલી ખાન જોવા મળ્યા નહોતા.  


કરિશ્મા કપૂરે પણ કરી ઉજવણી


હોળી પર, તૈમૂર અને જેહે ઘણા રંગો અને ગુલાલ ઉડાડ્યા હતા. તસવીરમાં બંને ભાઈઓ રંગે રંગાયેલા અને ભીંજાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે , કરિશ્મા કપૂરે પણ હોળીની ઉમંગભેર ઉજવણી કરી અને રંગ-ઉલાલ ઉડાડ્યો હતો. કરિશ્મા તેના ઘરે હોળી રમી હતી, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કપૂર પરિવારમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. રાજ કપૂર પણ તેમના મિત્રો અને કિન્નર સમુદાય સાથે આર કે સ્ટુડિયોમાં હોળી મનાવતા હતા. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી