કરીના કપૂર પુત્રો તૈમૂર અને જેહ સાથે હોળી રમી, કરિશ્માએ પણ ખુબ ઉડાડ્યો રંગ અને ગુલાલ


  • Published By :
  • Published Date : 2023-03-07 17:31:07

દેશભરમાં હોળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, બોલિવુડ કલાકારોએ પણ આ દિવસે રંગમાં તરબોળ જોવા મળ્યા. બોલિવુડ અદાકારા કરીના કપૂર ખાને તેના બે પુત્રો તૈમુર અને જેહ અલી ખાન સાથે હોળીની મજા માણી હતી. તે જ પ્રકારે કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ તેના નિવાસ્થાને હોળીની ઉજવણી કરી હતી. બંને બહેનોએ તેમની તસવીરો સોશિયલ મિડીયા પર શેઅર કરી છે. 


કરિનાએ લખ્યું કે...


હોળી સેલિબ્રેશનની તસવીરો શેઅર કરતા કરિના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેઅર કરવાની સાથે સાથે લખ્યું કે આજે સારી ઉંઘ આવશે, કરિનાએ ગ્રીન ટી શર્ટ તો જેહ અને તૈમુર રંગોથી તરબોળ હાથમાં પિચકારી સાથે જોવા મળ્યા, કરિનાએ લખ્યું પોસ્ટમાં લખ્યું કે " આ ધમાકેદાર હોળી બાદ જે શાનદાર ઉંઘ અમે લેવાના છિએ, તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છિએ. તમારા બધાના જીવનમાં પણ રંગ, પ્રેમ અને ખુશીઓનો વરસાદ થાય. હેપ્પી હોળી". રસપ્રદ બાબત એ છે કે આ હોળીની ઉજવણીમાં સૈફ અલી ખાન જોવા મળ્યા નહોતા.  


કરિશ્મા કપૂરે પણ કરી ઉજવણી


હોળી પર, તૈમૂર અને જેહે ઘણા રંગો અને ગુલાલ ઉડાડ્યા હતા. તસવીરમાં બંને ભાઈઓ રંગે રંગાયેલા અને ભીંજાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે , કરિશ્મા કપૂરે પણ હોળીની ઉમંગભેર ઉજવણી કરી અને રંગ-ઉલાલ ઉડાડ્યો હતો. કરિશ્મા તેના ઘરે હોળી રમી હતી, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કપૂર પરિવારમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. રાજ કપૂર પણ તેમના મિત્રો અને કિન્નર સમુદાય સાથે આર કે સ્ટુડિયોમાં હોળી મનાવતા હતા. 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.