બેંગલુરુમાં લોકાયુક્તના દરોડા, ભાજપના MLAનો પુત્ર 40 લાખની લાંચ લેતા ઝડપાયો, ઓફિસ અને ઘરેથી મળ્યા 7.7 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-03-03 14:25:18

કર્ણાટકમાં લોકાયુક્તની એન્ટી કરપ્શન વિંગે ગુરૂવારે મોટી કાર્યવાહી કરતા ભાજપના ધારાસભ્યના પુત્રને 40 લાખની લાંચ લેતા ઝડપી લીધો છે. ભાજપના ધારાસભ્ય મદલ વિરૂક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલની લાંચ કેશમાં તેની ઓફિસમાંથી જ ધરપકડ કરી છે. કરપ્શન વિંગે ઓફિસમાંથી 1.7 અને ઘરમાંથી 6 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. હાલ તો બેંગલુરૂની  લોકઆયુક્ત અદાલતે પ્રશાંતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પ્રશાંત ઉપરાંત અન્ય 4 લોકોની ને પણ ધરપકડ કરવામાં આવી છે. રોકડ એટલા મોટા પ્રમાણમાં હતી કે ટીમને રૂપિયા ગણાતા આખી રાત લાગી હતી. 


લોકાયુક્તને મળી હતી ફરિયાદ


કર્ણાયક લોકાયુક્તને લાંચ માગવાની ફરિયાદ મળી હતી,કર્ણાટક કેડરના અધિકારી પ્રશાંતે કાચા માલ માટે એક કોન્ટ્રાક્ટર પાસે 81 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લોકાયુક્તની આ કાર્યવાહી બાદ ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાએ કર્યાટકના સાબુ અને ડિટરર્જન્ટ લિમિટેડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું મારા પરિવાર સામે આ ષડયંત્ર છે, હું તેની નૈતિક લેતા મારી જવાબદારી સ્વિકારી રાજીનામું આપી રહ્યો છું કેમ કે આરોપ મારા વિરૂધ્ધ છે.

 

આ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી


ભાજપના ધારાસભ્યનો પુત્ર લાંચ લેતા ઝડપાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. કેમ કે રાજ્યમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે આ ઘટના મોટા રાજકીય ફટકા સમાન છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.