બેંગલુરુમાં લોકાયુક્તના દરોડા, ભાજપના MLAનો પુત્ર 40 લાખની લાંચ લેતા ઝડપાયો, ઓફિસ અને ઘરેથી મળ્યા 7.7 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-03-03 14:25:18

કર્ણાટકમાં લોકાયુક્તની એન્ટી કરપ્શન વિંગે ગુરૂવારે મોટી કાર્યવાહી કરતા ભાજપના ધારાસભ્યના પુત્રને 40 લાખની લાંચ લેતા ઝડપી લીધો છે. ભાજપના ધારાસભ્ય મદલ વિરૂક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલની લાંચ કેશમાં તેની ઓફિસમાંથી જ ધરપકડ કરી છે. કરપ્શન વિંગે ઓફિસમાંથી 1.7 અને ઘરમાંથી 6 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. હાલ તો બેંગલુરૂની  લોકઆયુક્ત અદાલતે પ્રશાંતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પ્રશાંત ઉપરાંત અન્ય 4 લોકોની ને પણ ધરપકડ કરવામાં આવી છે. રોકડ એટલા મોટા પ્રમાણમાં હતી કે ટીમને રૂપિયા ગણાતા આખી રાત લાગી હતી. 


લોકાયુક્તને મળી હતી ફરિયાદ


કર્ણાયક લોકાયુક્તને લાંચ માગવાની ફરિયાદ મળી હતી,કર્ણાટક કેડરના અધિકારી પ્રશાંતે કાચા માલ માટે એક કોન્ટ્રાક્ટર પાસે 81 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લોકાયુક્તની આ કાર્યવાહી બાદ ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાએ કર્યાટકના સાબુ અને ડિટરર્જન્ટ લિમિટેડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું મારા પરિવાર સામે આ ષડયંત્ર છે, હું તેની નૈતિક લેતા મારી જવાબદારી સ્વિકારી રાજીનામું આપી રહ્યો છું કેમ કે આરોપ મારા વિરૂધ્ધ છે.

 

આ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી


ભાજપના ધારાસભ્યનો પુત્ર લાંચ લેતા ઝડપાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. કેમ કે રાજ્યમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે આ ઘટના મોટા રાજકીય ફટકા સમાન છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.