આજે થશે કર્ણાટકના સીએમના નામની ઘોષણા? બેઠકોના દોર બાદ હાઈકમાન્ડને સોંપાયો રિપોર્ટ! સિદ્ધારમૈયાએ કર્યો સીએમ બનવાનો દાવો!


  • Published By :
  • Published Date : 2023-05-16 09:35:04

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ છે. નવા સીએમના નામને લઈ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયા તેમજ ડી.કે શિવકુમારના નામો મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે. ત્યારે મળતી માહિતી અનુસાર સીએમ પદની ઘોષણા કરતા પહેલા આ મામલે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીની સલાહ લેવાઈ શકે છે. સિદ્ધારમૈયા ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા જ્યારે ડી.કે શિવકુમાર આજે દિલ્હી પહોંચી શકે છે.

 


આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની થઈ શકે છે ઘોષણા!

13 મેના રોજ કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા હતા જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ત્યારે જીત્યા બાદ કર્ણાટકના સીએમ કોણ હશે તે માટે કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું હતું. સોમવારે બેંગલુરૂથી લઈ દિલ્હી ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો. સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ પોતાનો રિપોર્ટ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યો છે. આજ સાંજ સુધીમાં સીએમ અંગે ઘોષણા થઈ શકે છે તેવી સંભાવના છે.

રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે આ મામલે થશે ચર્ચા!

સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. આગામી મુખ્યમંત્રી અંગે તેમણે પોસ્ટરો લગાવ્યા હતા. આ બધા વચ્ચે સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવા માગે છે. તો ડી.કે શિવકુમારે કહ્યું કે મારા કોઈ ધારાસભ્યો નથી. હું બગાવત નહીં કરું ઉપરાંત બ્લેકમેલ પણ નહીં કરૂ. મહત્વનું છે કે શનિવારે પરિણામ આવ્યું હતું પરંતુ હજી સુધી મુખ્યમંત્રીના નામની ઘોષણા તો ઠીક પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે હજી નક્કી નથી કરી શકાયું. એવું માનવામાં આવી રહ્યું છે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે. મંગળવાર સાંજ સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.