આજે થશે કર્ણાટકના સીએમના નામની ઘોષણા? બેઠકોના દોર બાદ હાઈકમાન્ડને સોંપાયો રિપોર્ટ! સિદ્ધારમૈયાએ કર્યો સીએમ બનવાનો દાવો!


  • Published By :
  • Published Date : 2023-05-16 09:35:04

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ છે. નવા સીએમના નામને લઈ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયા તેમજ ડી.કે શિવકુમારના નામો મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે. ત્યારે મળતી માહિતી અનુસાર સીએમ પદની ઘોષણા કરતા પહેલા આ મામલે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીની સલાહ લેવાઈ શકે છે. સિદ્ધારમૈયા ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા જ્યારે ડી.કે શિવકુમાર આજે દિલ્હી પહોંચી શકે છે.

 


આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની થઈ શકે છે ઘોષણા!

13 મેના રોજ કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા હતા જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ત્યારે જીત્યા બાદ કર્ણાટકના સીએમ કોણ હશે તે માટે કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું હતું. સોમવારે બેંગલુરૂથી લઈ દિલ્હી ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો. સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ પોતાનો રિપોર્ટ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યો છે. આજ સાંજ સુધીમાં સીએમ અંગે ઘોષણા થઈ શકે છે તેવી સંભાવના છે.

રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે આ મામલે થશે ચર્ચા!

સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. આગામી મુખ્યમંત્રી અંગે તેમણે પોસ્ટરો લગાવ્યા હતા. આ બધા વચ્ચે સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવા માગે છે. તો ડી.કે શિવકુમારે કહ્યું કે મારા કોઈ ધારાસભ્યો નથી. હું બગાવત નહીં કરું ઉપરાંત બ્લેકમેલ પણ નહીં કરૂ. મહત્વનું છે કે શનિવારે પરિણામ આવ્યું હતું પરંતુ હજી સુધી મુખ્યમંત્રીના નામની ઘોષણા તો ઠીક પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે હજી નક્કી નથી કરી શકાયું. એવું માનવામાં આવી રહ્યું છે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે. મંગળવાર સાંજ સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.       




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.