આજે થશે કર્ણાટકના સીએમના નામની ઘોષણા? બેઠકોના દોર બાદ હાઈકમાન્ડને સોંપાયો રિપોર્ટ! સિદ્ધારમૈયાએ કર્યો સીએમ બનવાનો દાવો!


  • Published By :
  • Published Date : 2023-05-16 09:35:04

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ છે. નવા સીએમના નામને લઈ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયા તેમજ ડી.કે શિવકુમારના નામો મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે. ત્યારે મળતી માહિતી અનુસાર સીએમ પદની ઘોષણા કરતા પહેલા આ મામલે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીની સલાહ લેવાઈ શકે છે. સિદ્ધારમૈયા ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા જ્યારે ડી.કે શિવકુમાર આજે દિલ્હી પહોંચી શકે છે.

 


આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની થઈ શકે છે ઘોષણા!

13 મેના રોજ કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા હતા જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ત્યારે જીત્યા બાદ કર્ણાટકના સીએમ કોણ હશે તે માટે કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું હતું. સોમવારે બેંગલુરૂથી લઈ દિલ્હી ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો. સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ પોતાનો રિપોર્ટ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યો છે. આજ સાંજ સુધીમાં સીએમ અંગે ઘોષણા થઈ શકે છે તેવી સંભાવના છે.

રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે આ મામલે થશે ચર્ચા!

સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. આગામી મુખ્યમંત્રી અંગે તેમણે પોસ્ટરો લગાવ્યા હતા. આ બધા વચ્ચે સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવા માગે છે. તો ડી.કે શિવકુમારે કહ્યું કે મારા કોઈ ધારાસભ્યો નથી. હું બગાવત નહીં કરું ઉપરાંત બ્લેકમેલ પણ નહીં કરૂ. મહત્વનું છે કે શનિવારે પરિણામ આવ્યું હતું પરંતુ હજી સુધી મુખ્યમંત્રીના નામની ઘોષણા તો ઠીક પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે હજી નક્કી નથી કરી શકાયું. એવું માનવામાં આવી રહ્યું છે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે. મંગળવાર સાંજ સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.       




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.