બ્રેકિંગ ન્યૂઝ! કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ભાજપના 189 ઉમેદવારોની પહેલી યાદી જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-11 22:18:21

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આખરે તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે કર્ણાટક ચૂંટણી માટે 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની યાદીમાં 52 નવા ઉમેદવારો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના ઉમેદવારો યાદીની ઘણા લાબા સમયથી રાહ જોવામાં આવી કહી હતી. 


CM બોમાઈ શિગગાંવથી ચૂંટણી લડશે


મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ શિગગાંવથી ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપની યાદી અંગે ઘણા દિવસોથી સસ્પેન્સ અકબંધ હતું. આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને જેડીએસ પણ ભાજપને  નિશાન બનાવી આકરા પ્રહારો કરતી હતી.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.