કર્ણાટકમાં CM પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ વચ્ચે પોસ્ટર વોર શરૂ, આજે સાંજે CLPની બેઠકમાં થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2023-05-14 12:22:08

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ હવે સર્વત્ર એક જ સવાલ થઈ રહ્યો છે કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. આ પદ માટે બે નેતાઓ એક પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે કોંગ્રેસના આ બંને નેતાઓના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.બેંગલુરૂમાં સૌથી પહેલા સિદ્ધારમૈયાના ઘરની બહાર અને ત્યાર બાદ ડી કે શિવકુમારના સમર્થકોએ તેમને ભાવી મુખ્યમંત્રી બતાવતા પોસ્ટરો લગાવ્યા હતા. જો કે આ મામલે કોંગ્રેસના અગ્રણી નેતા તથા કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો (CLP)ની એક બેઠક આજે સાંજે 6 વાગ્યે યોજાશે.  


CM પદના બંને દાવેદારોએ શું કહ્યું?


કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી 135 સીટો જીતીને સરકાર બનાવી રહી છે, ત્યારે રાજ્યનો મુખ્યમંત્રી કોણ બનશે તેની લઈને અવઢવની સ્થિતી જોવા મળી રહી છે. આ મુદ્દે સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું કે હાઈકમાન નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું મંતવ્ય જાણશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. હાઈકમાન દ્વારા રાજ્યમાં નિરિક્ષકોને મોકલવામાં આવશે, અને યોગ્ય પ્રક્રિયા બાદ જ આ મામલે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. જ્યારે શિવ કુમારે પણ કહ્યું હતું કે હાઈકમાન ફોન કરશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.