કર્ણાટકમાં CM પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ વચ્ચે પોસ્ટર વોર શરૂ, આજે સાંજે CLPની બેઠકમાં થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2023-05-14 12:22:08

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ હવે સર્વત્ર એક જ સવાલ થઈ રહ્યો છે કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. આ પદ માટે બે નેતાઓ એક પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે કોંગ્રેસના આ બંને નેતાઓના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.બેંગલુરૂમાં સૌથી પહેલા સિદ્ધારમૈયાના ઘરની બહાર અને ત્યાર બાદ ડી કે શિવકુમારના સમર્થકોએ તેમને ભાવી મુખ્યમંત્રી બતાવતા પોસ્ટરો લગાવ્યા હતા. જો કે આ મામલે કોંગ્રેસના અગ્રણી નેતા તથા કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો (CLP)ની એક બેઠક આજે સાંજે 6 વાગ્યે યોજાશે.  


CM પદના બંને દાવેદારોએ શું કહ્યું?


કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી 135 સીટો જીતીને સરકાર બનાવી રહી છે, ત્યારે રાજ્યનો મુખ્યમંત્રી કોણ બનશે તેની લઈને અવઢવની સ્થિતી જોવા મળી રહી છે. આ મુદ્દે સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું કે હાઈકમાન નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું મંતવ્ય જાણશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. હાઈકમાન દ્વારા રાજ્યમાં નિરિક્ષકોને મોકલવામાં આવશે, અને યોગ્ય પ્રક્રિયા બાદ જ આ મામલે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. જ્યારે શિવ કુમારે પણ કહ્યું હતું કે હાઈકમાન ફોન કરશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.