કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું 'PM મોદી ઝેરીલા સાપ છે', વિવાદ વધતા ફેરવી તોળ્યું


  • Published By :
  • Published Date : 2023-04-27 19:24:38

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગુરૂવારે કહ્યું કે પીએમ મોદી એક ઝેરીલા સાપ જેવા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે તેને ચાટશે તે મરી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક ચૂંટણી પ્રચાર અભિયાનમાં પોતાના મત વિસ્તારમાં જનમેદનીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 


હોબાળો થતા ખડગેએ સ્પષ્ટતા કરી


જો કે થોડા સમય બાદ તેમના આ નિવેદન બાદ હોબાળો મચી જતા મલ્લિકાર્જુન ખડગેએ બાદમાં સ્પષ્ટતા કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેમના આ નિવેદનને લઈ સફાઈ આપતા કહ્યું કે" નહીં, નહીં, મારો મતલબ પીએમ મોદીથી નહોતો પણ બીજેપીની વિચારધારાથી છે આ વિચારધારા સાપ જેવી છે. મેં આ નિવેદન મોદીને વ્યક્તિગત રૂપે ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું હતું કે તેમની વિચારધારા સાંપ જેવી છે, અને જો તમે તેનો સ્પર્શ પણ કરો છો, તો તમારૂ મૃત્યું ચોક્કસ છે" 


CM બોમ્મઈએ આપ્યો જવાબ


કોંગ્રેસના પ્રમુખના નિવેદન અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે "ખડગેના મનમાં જ ઝેર છે, તે પીએમ મોદી અને બીજેપી પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસિત મગજ ધરાવે છે. આ પ્રકારની વિચારધારા હતાશાના કારણે આવે છે કેમ કે તે તેમની સાથે રાજનૈતિક રીતે લડવા માટે અસમર્થ છે, અને તે જોઈ રહ્યા છે કે તેમનું વહાણ ડૂબી રહ્યું છે, લોકો તેમને બોધપાઠ શિખવાડશે"



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.