કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું 'PM મોદી ઝેરીલા સાપ છે', વિવાદ વધતા ફેરવી તોળ્યું


  • Published By :
  • Published Date : 2023-04-27 19:24:38

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગુરૂવારે કહ્યું કે પીએમ મોદી એક ઝેરીલા સાપ જેવા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે તેને ચાટશે તે મરી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક ચૂંટણી પ્રચાર અભિયાનમાં પોતાના મત વિસ્તારમાં જનમેદનીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 


હોબાળો થતા ખડગેએ સ્પષ્ટતા કરી


જો કે થોડા સમય બાદ તેમના આ નિવેદન બાદ હોબાળો મચી જતા મલ્લિકાર્જુન ખડગેએ બાદમાં સ્પષ્ટતા કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેમના આ નિવેદનને લઈ સફાઈ આપતા કહ્યું કે" નહીં, નહીં, મારો મતલબ પીએમ મોદીથી નહોતો પણ બીજેપીની વિચારધારાથી છે આ વિચારધારા સાપ જેવી છે. મેં આ નિવેદન મોદીને વ્યક્તિગત રૂપે ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું હતું કે તેમની વિચારધારા સાંપ જેવી છે, અને જો તમે તેનો સ્પર્શ પણ કરો છો, તો તમારૂ મૃત્યું ચોક્કસ છે" 


CM બોમ્મઈએ આપ્યો જવાબ


કોંગ્રેસના પ્રમુખના નિવેદન અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે "ખડગેના મનમાં જ ઝેર છે, તે પીએમ મોદી અને બીજેપી પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસિત મગજ ધરાવે છે. આ પ્રકારની વિચારધારા હતાશાના કારણે આવે છે કેમ કે તે તેમની સાથે રાજનૈતિક રીતે લડવા માટે અસમર્થ છે, અને તે જોઈ રહ્યા છે કે તેમનું વહાણ ડૂબી રહ્યું છે, લોકો તેમને બોધપાઠ શિખવાડશે"



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.