Karnataka Exit Poll 2023: વિવિધ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા, JDS બની શકે કિંગમેકર


  • Published By :
  • Published Date : 2023-05-10 20:29:17

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે, રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે યોજાયેલું મતદાન આજે સાંજે સમાપ્ત થઈ ગયું છે, રાજ્યમાં આ વખતે  લગભગ વોટિંગ 66 ટકા નોંધાયું છે. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો 13 મેનાં રોજ જાહેર થવાનાં છે. જો કે મતદાન પૂરૂ થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં વિપક્ષ કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર બનાવતી જોવા મળી રહી છે તો કેટલાક એક્ઝિટ પોલમાં તે બહુમતથી પાછળ છે. અલગ-અલગ એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો પણ કોંગ્રેસ આગળ છે. સત્તારૂઢ ભાજપને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગશે તેવું એક્ઝિટ પોલના અનુમાનો પરથી જાણવા મળી રહ્યું છે.


શું કહે છે એક્ઝિટ પોલના અનુમાનો?


(1)Times Now ETG Exit Poll Result:


કોંગ્રેસને બહુમતી મળી શકે છે, ભાજપને 78-92 બેઠકો મળી શકે છે Times Now ETG એ તેના એક્ઝિટ પોલમાં ભાજપને 78-92 બેઠકો મળવાની આગાહી કરી છે. તે જ સમયે, કોંગ્રેસને 106 થી 120 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં JDSને 20-26 બેઠકો મળવાની શક્યતા છે. બીજી તરફ અન્યના ખાતામાં બેથી ચાર બેઠકો જઈ શકે છે.


(2)ABP-C Voter Exit Poll: 


કોંગ્રેસ બહુમતની નજીક, 100થી 112 બેઠકો મેળવી શકે છે, ABP-C વોટરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતીની નજીક જોવા મળી રહી છે. પાર્ટીને 100 થી 112 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 83થી 95 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 41 અને ભાજપને 38 ટકા બેઠકો મળી શકે છે.


(3)ZEE-Matrize Exit Poll Result: 


કોંગ્રેસ છે સૌથી મોટી પાર્ટી, મળી શકે છે 103-118 સીટો ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. આંકડાઓ અનુસાર કોંગ્રેસને 103થી 118 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 79થી 94 અને જેડીએસને 25થી 33 બેઠકો મળી શકે છે. 2 થી 5 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર જેડીએસની ભૂમિકા કિંગ મેકરની હોઈ શકે છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.