Karnataka Exit Poll 2023: વિવિધ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા, JDS બની શકે કિંગમેકર


  • Published By :
  • Published Date : 2023-05-10 20:29:17

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે, રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે યોજાયેલું મતદાન આજે સાંજે સમાપ્ત થઈ ગયું છે, રાજ્યમાં આ વખતે  લગભગ વોટિંગ 66 ટકા નોંધાયું છે. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો 13 મેનાં રોજ જાહેર થવાનાં છે. જો કે મતદાન પૂરૂ થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં વિપક્ષ કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર બનાવતી જોવા મળી રહી છે તો કેટલાક એક્ઝિટ પોલમાં તે બહુમતથી પાછળ છે. અલગ-અલગ એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો પણ કોંગ્રેસ આગળ છે. સત્તારૂઢ ભાજપને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગશે તેવું એક્ઝિટ પોલના અનુમાનો પરથી જાણવા મળી રહ્યું છે.


શું કહે છે એક્ઝિટ પોલના અનુમાનો?


(1)Times Now ETG Exit Poll Result:


કોંગ્રેસને બહુમતી મળી શકે છે, ભાજપને 78-92 બેઠકો મળી શકે છે Times Now ETG એ તેના એક્ઝિટ પોલમાં ભાજપને 78-92 બેઠકો મળવાની આગાહી કરી છે. તે જ સમયે, કોંગ્રેસને 106 થી 120 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં JDSને 20-26 બેઠકો મળવાની શક્યતા છે. બીજી તરફ અન્યના ખાતામાં બેથી ચાર બેઠકો જઈ શકે છે.


(2)ABP-C Voter Exit Poll: 


કોંગ્રેસ બહુમતની નજીક, 100થી 112 બેઠકો મેળવી શકે છે, ABP-C વોટરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતીની નજીક જોવા મળી રહી છે. પાર્ટીને 100 થી 112 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 83થી 95 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 41 અને ભાજપને 38 ટકા બેઠકો મળી શકે છે.


(3)ZEE-Matrize Exit Poll Result: 


કોંગ્રેસ છે સૌથી મોટી પાર્ટી, મળી શકે છે 103-118 સીટો ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. આંકડાઓ અનુસાર કોંગ્રેસને 103થી 118 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 79થી 94 અને જેડીએસને 25થી 33 બેઠકો મળી શકે છે. 2 થી 5 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર જેડીએસની ભૂમિકા કિંગ મેકરની હોઈ શકે છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.