Karnataka Exit Poll 2023: વિવિધ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા, JDS બની શકે કિંગમેકર


  • Published By :
  • Published Date : 2023-05-10 20:29:17

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે, રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે યોજાયેલું મતદાન આજે સાંજે સમાપ્ત થઈ ગયું છે, રાજ્યમાં આ વખતે  લગભગ વોટિંગ 66 ટકા નોંધાયું છે. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો 13 મેનાં રોજ જાહેર થવાનાં છે. જો કે મતદાન પૂરૂ થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં વિપક્ષ કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને આગળ બતાવવામાં આવી રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર બનાવતી જોવા મળી રહી છે તો કેટલાક એક્ઝિટ પોલમાં તે બહુમતથી પાછળ છે. અલગ-અલગ એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો પણ કોંગ્રેસ આગળ છે. સત્તારૂઢ ભાજપને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગશે તેવું એક્ઝિટ પોલના અનુમાનો પરથી જાણવા મળી રહ્યું છે.


શું કહે છે એક્ઝિટ પોલના અનુમાનો?


(1)Times Now ETG Exit Poll Result:


કોંગ્રેસને બહુમતી મળી શકે છે, ભાજપને 78-92 બેઠકો મળી શકે છે Times Now ETG એ તેના એક્ઝિટ પોલમાં ભાજપને 78-92 બેઠકો મળવાની આગાહી કરી છે. તે જ સમયે, કોંગ્રેસને 106 થી 120 બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલમાં JDSને 20-26 બેઠકો મળવાની શક્યતા છે. બીજી તરફ અન્યના ખાતામાં બેથી ચાર બેઠકો જઈ શકે છે.


(2)ABP-C Voter Exit Poll: 


કોંગ્રેસ બહુમતની નજીક, 100થી 112 બેઠકો મેળવી શકે છે, ABP-C વોટરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતીની નજીક જોવા મળી રહી છે. પાર્ટીને 100 થી 112 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 83થી 95 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 41 અને ભાજપને 38 ટકા બેઠકો મળી શકે છે.


(3)ZEE-Matrize Exit Poll Result: 


કોંગ્રેસ છે સૌથી મોટી પાર્ટી, મળી શકે છે 103-118 સીટો ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. આંકડાઓ અનુસાર કોંગ્રેસને 103થી 118 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 79થી 94 અને જેડીએસને 25થી 33 બેઠકો મળી શકે છે. 2 થી 5 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર જેડીએસની ભૂમિકા કિંગ મેકરની હોઈ શકે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.