કર્ણાટક હિજાબ મામલે સુપ્રીમમાં સુનાવણી ટળી, 5મી સપ્ટેમ્બરે થશે વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 11:37:12

સુનાવણી ટળી, વિવાદ યથાવત

કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કૉર્ટ સુધી તો પહોંચી ગયો છે પણ સુનાવણી ટળતી જ જાય છે, સુપ્રીમ કૉર્ટ આ મામલે હવે 5મી સપ્ટેમ્બરે સુનાવણી કરશે, જાન્યુઆરી 2022થી વકરેલો આ વિવાદ કર્ણાટકની સીમાને પાર પહોંચીને એક સમયે આખા દેશનો મુદ્દો બની ગયો હતો, કાનૂનનો મુદ્દો પહેલા ધાર્મીક અને પછી રાજકીય બન્યો હતો, અને આજે પણ ધર્મ-રાજનીતિના નામે ઉભેલો આ જ્વાળામુખી જીવતો જ છે જે ગમે ત્યારે ફાટી શકે છે



સુપ્રીમ કૉર્ટે રાજ્ય સરકારને પણ નોટીસ ઈશ્યુ કરી છે, કેમ કે હિજાબ કૉલેજમાં ના પહેરીને આવવાના નિર્ણયને કર્ણાટક હાઈકૉર્ટમાં અનેક લોકો પડકારી રહ્યા છે, આ વિવાદ શિક્ષણ-સંકુલમાં કોઈપણ ધાર્મીક પરિવેશ ના પહેરીને આવવો એમ જોવા કરતા ધર્મ અને એને પાળવાની આઝાદીના ખતરા તરીકે જોવાઈ રહ્યો છે, સુપ્રીમ કૉર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી તો કૉલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ જ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.