કર્ણાટક હિજાબ મામલે સુપ્રીમમાં સુનાવણી ટળી, 5મી સપ્ટેમ્બરે થશે વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 11:37:12

સુનાવણી ટળી, વિવાદ યથાવત

કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કૉર્ટ સુધી તો પહોંચી ગયો છે પણ સુનાવણી ટળતી જ જાય છે, સુપ્રીમ કૉર્ટ આ મામલે હવે 5મી સપ્ટેમ્બરે સુનાવણી કરશે, જાન્યુઆરી 2022થી વકરેલો આ વિવાદ કર્ણાટકની સીમાને પાર પહોંચીને એક સમયે આખા દેશનો મુદ્દો બની ગયો હતો, કાનૂનનો મુદ્દો પહેલા ધાર્મીક અને પછી રાજકીય બન્યો હતો, અને આજે પણ ધર્મ-રાજનીતિના નામે ઉભેલો આ જ્વાળામુખી જીવતો જ છે જે ગમે ત્યારે ફાટી શકે છે



સુપ્રીમ કૉર્ટે રાજ્ય સરકારને પણ નોટીસ ઈશ્યુ કરી છે, કેમ કે હિજાબ કૉલેજમાં ના પહેરીને આવવાના નિર્ણયને કર્ણાટક હાઈકૉર્ટમાં અનેક લોકો પડકારી રહ્યા છે, આ વિવાદ શિક્ષણ-સંકુલમાં કોઈપણ ધાર્મીક પરિવેશ ના પહેરીને આવવો એમ જોવા કરતા ધર્મ અને એને પાળવાની આઝાદીના ખતરા તરીકે જોવાઈ રહ્યો છે, સુપ્રીમ કૉર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી તો કૉલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ જ છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી