કાર્તિક આર્યને ચાહકોનો પ્રેમ દર્શાવતો વિડિયો શેર કર્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 16:56:29


બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જે 'પ્યાર કા પંચનામા'થી લોકપ્રિય થયો છે.એ આજે અમદાવાદમાં આવ્યા તેવું સામે આવ્યું છે તે પોતાની આગામી ફિલ્મ 'સત્યનારાયણ કી કથા'ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે હાલમાં કાર્તિક આર્યન અમદાવાદની પોળમાં 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક અમદાવાદની પોળમાં ફરી રહ્યો છે અને ચાહકો તેના નામની બૂમ પાડીને તેની પાછળ પાછળ ચાલે છે. કાર્તિકને સિક્યોરિટી ગાર્ડ્સે કોર્ડન કરીને રાખ્યો છે.


કેટલા દિવસ રહશે ?

માનવામાં આવે છે કે કાર્તિક આર્યન 15-20 દિવસ ગુજરાતમાં શૂટિંગ કરશે. કાર્તિક આર્યનની સાથે એક્ટ્રેસ કિઆરા અડવાણી પણ છે.આ ફિલ્મને સમીર ડિરેક્ટ કરે છે. ફિલ્મનું નામ પહેલાં 'સત્યનારાયણ કી કથા' હતું. જોકે, ફિલ્મના નામ પર વિવાદ થતાં ફિલ્મનું નામ બદલીને 'સત્યપ્રેમ કી કથા' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 29 જૂને રિલીઝ થશે. કાર્તિક તથા કિઆરાએ આ પહેલાં 'ભૂલ ભુલૈયા 2'માં સાથે કામ કર્યું હતું.




સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે