કાર્તિક આર્યને ચાહકોનો પ્રેમ દર્શાવતો વિડિયો શેર કર્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 16:56:29


બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જે 'પ્યાર કા પંચનામા'થી લોકપ્રિય થયો છે.એ આજે અમદાવાદમાં આવ્યા તેવું સામે આવ્યું છે તે પોતાની આગામી ફિલ્મ 'સત્યનારાયણ કી કથા'ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે હાલમાં કાર્તિક આર્યન અમદાવાદની પોળમાં 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક અમદાવાદની પોળમાં ફરી રહ્યો છે અને ચાહકો તેના નામની બૂમ પાડીને તેની પાછળ પાછળ ચાલે છે. કાર્તિકને સિક્યોરિટી ગાર્ડ્સે કોર્ડન કરીને રાખ્યો છે.


કેટલા દિવસ રહશે ?

માનવામાં આવે છે કે કાર્તિક આર્યન 15-20 દિવસ ગુજરાતમાં શૂટિંગ કરશે. કાર્તિક આર્યનની સાથે એક્ટ્રેસ કિઆરા અડવાણી પણ છે.આ ફિલ્મને સમીર ડિરેક્ટ કરે છે. ફિલ્મનું નામ પહેલાં 'સત્યનારાયણ કી કથા' હતું. જોકે, ફિલ્મના નામ પર વિવાદ થતાં ફિલ્મનું નામ બદલીને 'સત્યપ્રેમ કી કથા' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 29 જૂને રિલીઝ થશે. કાર્તિક તથા કિઆરાએ આ પહેલાં 'ભૂલ ભુલૈયા 2'માં સાથે કામ કર્યું હતું.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.