કાર્તિક આર્યને ચાહકોનો પ્રેમ દર્શાવતો વિડિયો શેર કર્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 16:56:29


બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જે 'પ્યાર કા પંચનામા'થી લોકપ્રિય થયો છે.એ આજે અમદાવાદમાં આવ્યા તેવું સામે આવ્યું છે તે પોતાની આગામી ફિલ્મ 'સત્યનારાયણ કી કથા'ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે હાલમાં કાર્તિક આર્યન અમદાવાદની પોળમાં 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક અમદાવાદની પોળમાં ફરી રહ્યો છે અને ચાહકો તેના નામની બૂમ પાડીને તેની પાછળ પાછળ ચાલે છે. કાર્તિકને સિક્યોરિટી ગાર્ડ્સે કોર્ડન કરીને રાખ્યો છે.


કેટલા દિવસ રહશે ?

માનવામાં આવે છે કે કાર્તિક આર્યન 15-20 દિવસ ગુજરાતમાં શૂટિંગ કરશે. કાર્તિક આર્યનની સાથે એક્ટ્રેસ કિઆરા અડવાણી પણ છે.આ ફિલ્મને સમીર ડિરેક્ટ કરે છે. ફિલ્મનું નામ પહેલાં 'સત્યનારાયણ કી કથા' હતું. જોકે, ફિલ્મના નામ પર વિવાદ થતાં ફિલ્મનું નામ બદલીને 'સત્યપ્રેમ કી કથા' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 29 જૂને રિલીઝ થશે. કાર્તિક તથા કિઆરાએ આ પહેલાં 'ભૂલ ભુલૈયા 2'માં સાથે કામ કર્યું હતું.




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.