કાર્તિક આર્યને પાન-મસાલાની જાહેરાત માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:33:55

'ભૂલ ભુલૈયા 2' ના એક્ટર કાર્તિક આર્યને અન્ય કલાકારો માટે એક દ્રષ્ટાંત રજૂ કરતા પાન-મસાલાની જાહેરાત કરવા માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફરને ઠોકર મારી છે. બોલીવુડના ટોચના સ્ટાર્સ શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન પાન-મસાલાની જાહેરાતમાં કામ કરી ચુક્યા છે. જો કે આ પ્રકારની જાહેરાત માટે સોશિયલમ મીડિયા પર ખાસ્સા  ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કાર્તિક આર્યનને પાન-મસાલાની આ જાહેરાત માટે બહું મોટી રકમ મળવાની હતી. તેમ છતાં તેણે આ ઓફર ઠુકરાવી દેતા તેના આ નિર્ણયની ખુબ જ પ્રસંશા થઈ રહી છે. વખાણવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને પાન-મસાલાની કરોડોની જાહેરાત ઠુકરાવી હતી.


બોલિવુડના આ કલાકારો બન્યા હતા હાંસીને પાત્ર 


બોલિવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારે થોડાં મહિના પહેલાં પાન-મસાલાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ ઘણો જ વિવાદ થયો હતો. અંતે અક્ષય કુમારે માફી માગી હતી, અક્ષયે તેના ચાહકોને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં તે આવું ક્યારેય નહીં કરે. અક્ષય ઉપરાંત શાહરુખ ખાન, અજય દેવગન પણ ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.