કાર્તિક આર્યને પાન-મસાલાની જાહેરાત માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:33:55

'ભૂલ ભુલૈયા 2' ના એક્ટર કાર્તિક આર્યને અન્ય કલાકારો માટે એક દ્રષ્ટાંત રજૂ કરતા પાન-મસાલાની જાહેરાત કરવા માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફરને ઠોકર મારી છે. બોલીવુડના ટોચના સ્ટાર્સ શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન પાન-મસાલાની જાહેરાતમાં કામ કરી ચુક્યા છે. જો કે આ પ્રકારની જાહેરાત માટે સોશિયલમ મીડિયા પર ખાસ્સા  ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કાર્તિક આર્યનને પાન-મસાલાની આ જાહેરાત માટે બહું મોટી રકમ મળવાની હતી. તેમ છતાં તેણે આ ઓફર ઠુકરાવી દેતા તેના આ નિર્ણયની ખુબ જ પ્રસંશા થઈ રહી છે. વખાણવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને પાન-મસાલાની કરોડોની જાહેરાત ઠુકરાવી હતી.


બોલિવુડના આ કલાકારો બન્યા હતા હાંસીને પાત્ર 


બોલિવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારે થોડાં મહિના પહેલાં પાન-મસાલાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ ઘણો જ વિવાદ થયો હતો. અંતે અક્ષય કુમારે માફી માગી હતી, અક્ષયે તેના ચાહકોને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં તે આવું ક્યારેય નહીં કરે. અક્ષય ઉપરાંત શાહરુખ ખાન, અજય દેવગન પણ ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .