કાર્તિક આર્યને પાન-મસાલાની જાહેરાત માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:33:55

'ભૂલ ભુલૈયા 2' ના એક્ટર કાર્તિક આર્યને અન્ય કલાકારો માટે એક દ્રષ્ટાંત રજૂ કરતા પાન-મસાલાની જાહેરાત કરવા માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફરને ઠોકર મારી છે. બોલીવુડના ટોચના સ્ટાર્સ શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન પાન-મસાલાની જાહેરાતમાં કામ કરી ચુક્યા છે. જો કે આ પ્રકારની જાહેરાત માટે સોશિયલમ મીડિયા પર ખાસ્સા  ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કાર્તિક આર્યનને પાન-મસાલાની આ જાહેરાત માટે બહું મોટી રકમ મળવાની હતી. તેમ છતાં તેણે આ ઓફર ઠુકરાવી દેતા તેના આ નિર્ણયની ખુબ જ પ્રસંશા થઈ રહી છે. વખાણવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને પાન-મસાલાની કરોડોની જાહેરાત ઠુકરાવી હતી.


બોલિવુડના આ કલાકારો બન્યા હતા હાંસીને પાત્ર 


બોલિવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારે થોડાં મહિના પહેલાં પાન-મસાલાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ ઘણો જ વિવાદ થયો હતો. અંતે અક્ષય કુમારે માફી માગી હતી, અક્ષયે તેના ચાહકોને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં તે આવું ક્યારેય નહીં કરે. અક્ષય ઉપરાંત શાહરુખ ખાન, અજય દેવગન પણ ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી