કાર્તિક આર્યને પાન-મસાલાની જાહેરાત માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 19:33:55

'ભૂલ ભુલૈયા 2' ના એક્ટર કાર્તિક આર્યને અન્ય કલાકારો માટે એક દ્રષ્ટાંત રજૂ કરતા પાન-મસાલાની જાહેરાત કરવા માટે મળતા 9 કરોડ રૂપિયાની ઓફરને ઠોકર મારી છે. બોલીવુડના ટોચના સ્ટાર્સ શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન પાન-મસાલાની જાહેરાતમાં કામ કરી ચુક્યા છે. જો કે આ પ્રકારની જાહેરાત માટે સોશિયલમ મીડિયા પર ખાસ્સા  ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કાર્તિક આર્યનને પાન-મસાલાની આ જાહેરાત માટે બહું મોટી રકમ મળવાની હતી. તેમ છતાં તેણે આ ઓફર ઠુકરાવી દેતા તેના આ નિર્ણયની ખુબ જ પ્રસંશા થઈ રહી છે. વખાણવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને પાન-મસાલાની કરોડોની જાહેરાત ઠુકરાવી હતી.


બોલિવુડના આ કલાકારો બન્યા હતા હાંસીને પાત્ર 


બોલિવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારે થોડાં મહિના પહેલાં પાન-મસાલાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ ઘણો જ વિવાદ થયો હતો. અંતે અક્ષય કુમારે માફી માગી હતી, અક્ષયે તેના ચાહકોને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં તે આવું ક્યારેય નહીં કરે. અક્ષય ઉપરાંત શાહરુખ ખાન, અજય દેવગન પણ ચાહકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .