કાર્તિક આર્યન એક્ટર હૃતિક રોશનની બહેનને ડેટ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 15:55:47


બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન હમેશા પોતાની અંગત અને પ્રોફેસનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે અને હવે એક નવી ચર્ચાએ જોર પકડ્યો છે કે હૃતિક રોશનની કઝિન સિસ્ટર  પશ્મીના રોશન તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. બંને અવારનવાર એકબીજાને ઘરે મળે છે 


દિવાળીમાં બને સાથે હતા .. 


કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો કે દિવાળીના દિવસે કાર્તિક પોતાની નવી કાર મેકલારેનમાં પશ્મીના સાથે હતો. બંને મોડી રાત સુધી જિયો વર્લ્ડ ડ્રાઇવમાં સમય પસાર કરતા હોય છે. બંને હાલમાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.


કાર્તિક-પશ્મીનાને એકબીજા સાથે રહેવું ગમે છે કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો, 'જ્યારે તે કામ કરતો હોતો નથી તો તે પશ્મીના સાથે ઘરમાં રહેવું પસંદ કરે છે. બંને ફોટોગ્રાફર્સથી બચવા માટે પોત-પોતાની કાર ઘરે પાછી મોકલાવી દે છે.'


કાર્તિક પહેલાં સારા અલી ખાન અને ક્રિતિ સેનનને ડેટ કરતો હોવાની ચર્ચા


પશ્મીના પહેલાં કાર્તિક આર્યનનું નામ સારા અલી ખાન તથા ક્રિતિ સેનન સાથે જોડાયું ચૂક્યું છે. ક્રિતિ સેનન તથા કાર્તિકે ફિલ્મ 'શહઝાદા'માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા હતી. સારા તથા કાર્તિકે 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું. સારાએ કરન જોહરના શો 'કૉફી વિથ કરન'માં કહ્યું હતું કે તેને કાર્તિક પ્રત્યે ક્રશ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.