કાર્તિક આર્યન એક્ટર હૃતિક રોશનની બહેનને ડેટ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 15:55:47


બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન હમેશા પોતાની અંગત અને પ્રોફેસનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે અને હવે એક નવી ચર્ચાએ જોર પકડ્યો છે કે હૃતિક રોશનની કઝિન સિસ્ટર  પશ્મીના રોશન તથા કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરે છે. બંને અવારનવાર એકબીજાને ઘરે મળે છે 


દિવાળીમાં બને સાથે હતા .. 


કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો કે દિવાળીના દિવસે કાર્તિક પોતાની નવી કાર મેકલારેનમાં પશ્મીના સાથે હતો. બંને મોડી રાત સુધી જિયો વર્લ્ડ ડ્રાઇવમાં સમય પસાર કરતા હોય છે. બંને હાલમાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.


કાર્તિક-પશ્મીનાને એકબીજા સાથે રહેવું ગમે છે કાર્તિકના નિકટના સૂત્રોએ દાવો કર્યો હતો, 'જ્યારે તે કામ કરતો હોતો નથી તો તે પશ્મીના સાથે ઘરમાં રહેવું પસંદ કરે છે. બંને ફોટોગ્રાફર્સથી બચવા માટે પોત-પોતાની કાર ઘરે પાછી મોકલાવી દે છે.'


કાર્તિક પહેલાં સારા અલી ખાન અને ક્રિતિ સેનનને ડેટ કરતો હોવાની ચર્ચા


પશ્મીના પહેલાં કાર્તિક આર્યનનું નામ સારા અલી ખાન તથા ક્રિતિ સેનન સાથે જોડાયું ચૂક્યું છે. ક્રિતિ સેનન તથા કાર્તિકે ફિલ્મ 'શહઝાદા'માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા હતી. સારા તથા કાર્તિકે 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું. સારાએ કરન જોહરના શો 'કૉફી વિથ કરન'માં કહ્યું હતું કે તેને કાર્તિક પ્રત્યે ક્રશ છે. 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.