કાશ્મીર: પત્રકારોને ધમકી આપવાના મામલામાં કાર્યવાહી, શ્રીનગર અને અનંતનાગ સહિત 10 સ્થળોએ દરોડા


  • Published By :
  • Published Date : 2022-11-19 12:28:08

જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે તાજેતરમાં પત્રકારોને આપવામાં આવેલી ધમકી સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં 10 સ્થળોએ મોટાપાયે સર્ચ શરૂ કર્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Jammu and Kashmir: Terrorists Attack 2 CRPF Camps In Shopian And Pulwama

આતંકી સંગઠને હિટ લિસ્ટ જાહેર કર્યું હતું

મંગળવારે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા કાશ્મીરના પત્રકારોનું હિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેઓને પરિણામની ચેતવણી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસની પૂર્વ સંધ્યાએ મોકલવામાં આવેલી ચેતવણીને મીડિયા સંસ્થાઓએ પ્રેસ પર હુમલો અને કાળો દિવસ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પત્રકારોના નામની આગળ, તેમને શા માટે ધમકી આપવામાં આવી હતી તે સમજાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે આતંકવાદીઓના ખતરાથી ડરીને કેટલાક પત્રકારોએ ફેસબુક પર પોતાના રાજીનામા આપી દીધા છે અને કેટલાક જમ્મુ ચાલ્યા ગયા છે.


TRFની ધમકી બાદ પત્રકારોની સુરક્ષા વધી

આતંકવાદી સંગઠન દ્વારા ઘાટીના પત્રકારોને ધમકી આપ્યા બાદ પોલીસે મામલાની તપાસ તેજ કરી છે. આ સાથે જ પત્રકારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. TRF સાથે સંકળાયેલા 12 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બધા પાછળ પાકિસ્તાનમાં બેઠેલા TRF કમાન્ડર સજ્જાદ ગુલનું નામ સામે આવી રહ્યું છે. આ માટે આજે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.