કાશ્મીર: પત્રકારોને ધમકી આપવાના મામલામાં કાર્યવાહી, શ્રીનગર અને અનંતનાગ સહિત 10 સ્થળોએ દરોડા


  • Published By :
  • Published Date : 2022-11-19 12:28:08

જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે તાજેતરમાં પત્રકારોને આપવામાં આવેલી ધમકી સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં 10 સ્થળોએ મોટાપાયે સર્ચ શરૂ કર્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Jammu and Kashmir: Terrorists Attack 2 CRPF Camps In Shopian And Pulwama

આતંકી સંગઠને હિટ લિસ્ટ જાહેર કર્યું હતું

મંગળવારે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા કાશ્મીરના પત્રકારોનું હિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેઓને પરિણામની ચેતવણી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસની પૂર્વ સંધ્યાએ મોકલવામાં આવેલી ચેતવણીને મીડિયા સંસ્થાઓએ પ્રેસ પર હુમલો અને કાળો દિવસ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પત્રકારોના નામની આગળ, તેમને શા માટે ધમકી આપવામાં આવી હતી તે સમજાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે આતંકવાદીઓના ખતરાથી ડરીને કેટલાક પત્રકારોએ ફેસબુક પર પોતાના રાજીનામા આપી દીધા છે અને કેટલાક જમ્મુ ચાલ્યા ગયા છે.


TRFની ધમકી બાદ પત્રકારોની સુરક્ષા વધી

આતંકવાદી સંગઠન દ્વારા ઘાટીના પત્રકારોને ધમકી આપ્યા બાદ પોલીસે મામલાની તપાસ તેજ કરી છે. આ સાથે જ પત્રકારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. TRF સાથે સંકળાયેલા 12 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બધા પાછળ પાકિસ્તાનમાં બેઠેલા TRF કમાન્ડર સજ્જાદ ગુલનું નામ સામે આવી રહ્યું છે. આ માટે આજે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.