કાશ્મીર: પત્રકારોને ધમકી આપવાના મામલામાં કાર્યવાહી, શ્રીનગર અને અનંતનાગ સહિત 10 સ્થળોએ દરોડા


  • Published By :
  • Published Date : 2022-11-19 12:28:08

જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે તાજેતરમાં પત્રકારોને આપવામાં આવેલી ધમકી સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં 10 સ્થળોએ મોટાપાયે સર્ચ શરૂ કર્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Jammu and Kashmir: Terrorists Attack 2 CRPF Camps In Shopian And Pulwama

આતંકી સંગઠને હિટ લિસ્ટ જાહેર કર્યું હતું

મંગળવારે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા કાશ્મીરના પત્રકારોનું હિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેઓને પરિણામની ચેતવણી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસની પૂર્વ સંધ્યાએ મોકલવામાં આવેલી ચેતવણીને મીડિયા સંસ્થાઓએ પ્રેસ પર હુમલો અને કાળો દિવસ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પત્રકારોના નામની આગળ, તેમને શા માટે ધમકી આપવામાં આવી હતી તે સમજાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે આતંકવાદીઓના ખતરાથી ડરીને કેટલાક પત્રકારોએ ફેસબુક પર પોતાના રાજીનામા આપી દીધા છે અને કેટલાક જમ્મુ ચાલ્યા ગયા છે.


TRFની ધમકી બાદ પત્રકારોની સુરક્ષા વધી

આતંકવાદી સંગઠન દ્વારા ઘાટીના પત્રકારોને ધમકી આપ્યા બાદ પોલીસે મામલાની તપાસ તેજ કરી છે. આ સાથે જ પત્રકારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. TRF સાથે સંકળાયેલા 12 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બધા પાછળ પાકિસ્તાનમાં બેઠેલા TRF કમાન્ડર સજ્જાદ ગુલનું નામ સામે આવી રહ્યું છે. આ માટે આજે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે