અધિક માસ નિમિત્તે Kutchમાં સમુન્દ્ર કિનારે પ્રથમ વખત કરાયું કથાનું આયોજન, ધારાસભ્ય બન્યા કથાના વક્તા


  • Published By :
  • Published Date : 2023-08-04 16:39:02

આપણા હિંદુ ધર્મમાં પૂરૂષોત્તમ મહિનો એટલે કે અધિક મહિનાનું ખૂબ મહત્વ રહેલું છે. એવું પણ કહેવામાં આવે છે કે આ સમયે મંત્ર-જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિના દરમિયાન અનેક કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં પણ જો કોઈ નદીના કિનારે કથાનું આયોજન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાની વિશેષતા એ હતી કે આ કથાનું રસપાન માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કરાવ્યું હતું. 


ધારાસભ્યએ કરાવ્યું કથાનું રસપાન 

અનેક લોકો કથાનું આયોજન કરાવતા હોય છે. પરંતુ કોઈ ધારાસભ્ય કથાનું આયોજન કરે તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવે દ્વારા કરાયું હતું. આ કથામાં અનેક ભાવિકો જોડાયા હતા અને 28 જેટલા દંપત્તિએ આ કથાનો લાભ લીધો હતો. આ કથાનું આયોજન રમણીય બીચ ખાતે કરવામાં આવ્યું હતું. પાંચમા અધ્યાયનું રસપાન ધારાસભ્યએ પોતે કરાવ્યો હતો. કથાનું રસપાન કરાવતી વખતે ધારાસભ્યે લોકોને ઉપદ્દેશ આપ્યો હતો. 


કથામાં 21 જેટલા સમુદાયના લોકોએ આપી હતી હાજરી 

પોતાના ધાર્મિક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે "દરિયા કિનારે અધિક માસમાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા રહેલો ખાસ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિમાં અધિક માસમાં પૂજાનું મહત્વ રહેલું હોય છે.  હાલમાં જી-20 નું પ્રતિનિધિત્વ પણ ભારત પાસે છે અને મુખ્ય ઉદેશ્ય પણ વસુદેવ કુટુંબકમની ભાવનાનો રહેલો છે.વિશ્વના કલ્યાણ અર્થે આ આયોજન કરવામાં આવ્યું હતું." વધુમાં તેમણે કહ્યું કે માંડવીના બીચ પર સમરસ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે 21 સમાજના લોકો જેમાં વાલ્મિકી સમાજ, મહેશ્વરી સમાજ,જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, દર્જી સમાજ, સોલંકી સમાજ, જોગી સમાજ તમામ સમાજો તેમજ 28 જેટલા જોડલા જોડાયા હતા. અહીં પ્રસાદમાં આપવામાં આવેલી તુલસી અને બીલીપત્રના પાન જ મંદિરમાં જ્યારે ચડાવવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિભેદ રહેશે નહીં.

   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી