અધિક માસ નિમિત્તે Kutchમાં સમુન્દ્ર કિનારે પ્રથમ વખત કરાયું કથાનું આયોજન, ધારાસભ્ય બન્યા કથાના વક્તા


  • Published By :
  • Published Date : 2023-08-04 16:39:02

આપણા હિંદુ ધર્મમાં પૂરૂષોત્તમ મહિનો એટલે કે અધિક મહિનાનું ખૂબ મહત્વ રહેલું છે. એવું પણ કહેવામાં આવે છે કે આ સમયે મંત્ર-જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિના દરમિયાન અનેક કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં પણ જો કોઈ નદીના કિનારે કથાનું આયોજન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાની વિશેષતા એ હતી કે આ કથાનું રસપાન માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કરાવ્યું હતું. 


ધારાસભ્યએ કરાવ્યું કથાનું રસપાન 

અનેક લોકો કથાનું આયોજન કરાવતા હોય છે. પરંતુ કોઈ ધારાસભ્ય કથાનું આયોજન કરે તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. ત્યારે કચ્છમાં પ્રથમ વખત સમુદ્રના કિનારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવે દ્વારા કરાયું હતું. આ કથામાં અનેક ભાવિકો જોડાયા હતા અને 28 જેટલા દંપત્તિએ આ કથાનો લાભ લીધો હતો. આ કથાનું આયોજન રમણીય બીચ ખાતે કરવામાં આવ્યું હતું. પાંચમા અધ્યાયનું રસપાન ધારાસભ્યએ પોતે કરાવ્યો હતો. કથાનું રસપાન કરાવતી વખતે ધારાસભ્યે લોકોને ઉપદ્દેશ આપ્યો હતો. 


કથામાં 21 જેટલા સમુદાયના લોકોએ આપી હતી હાજરી 

પોતાના ધાર્મિક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે "દરિયા કિનારે અધિક માસમાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા રહેલો ખાસ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિમાં અધિક માસમાં પૂજાનું મહત્વ રહેલું હોય છે.  હાલમાં જી-20 નું પ્રતિનિધિત્વ પણ ભારત પાસે છે અને મુખ્ય ઉદેશ્ય પણ વસુદેવ કુટુંબકમની ભાવનાનો રહેલો છે.વિશ્વના કલ્યાણ અર્થે આ આયોજન કરવામાં આવ્યું હતું." વધુમાં તેમણે કહ્યું કે માંડવીના બીચ પર સમરસ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે 21 સમાજના લોકો જેમાં વાલ્મિકી સમાજ, મહેશ્વરી સમાજ,જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, દર્જી સમાજ, સોલંકી સમાજ, જોગી સમાજ તમામ સમાજો તેમજ 28 જેટલા જોડલા જોડાયા હતા. અહીં પ્રસાદમાં આપવામાં આવેલી તુલસી અને બીલીપત્રના પાન જ મંદિરમાં જ્યારે ચડાવવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિભેદ રહેશે નહીં.

   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.