આદિપુરૂષ ફિલ્મ અંગે ચાલી રહેલા વિવાદમાં હવે મોરારી બાપુએ પણ ઝંપલાવ્યું, ફિલ્મના મેકર્સને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-23 14:25:57

બોલિવુડની ફિલ્મ આદિપુરુષ રિલિઝ થઈ તે પૂર્વેથી વિવાદ ચાલી રહ્યો છે, તાજેતરમાં જ રીલીઝ થયેલી આ ફિલ્મના ડાયલોગ વિવાદનું સૌથી મોટું કારણ બન્યા છે. આ ફિલ્મનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે જાણીતા રામ કથાકાર મોરારી બાપુએ પણ ફિલ્મને લઈને તેના મેકર્સને ટકોર કરી છે. તેમણે કહ્યું કે " હું વિનમ્રતાથી વ્યાસપીઠ પરથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. કથાકાર મોરારી બાપુએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિશે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો.


આદિપુરૂષ ફિલ્મના મેકર્સને કરી આ અપીલ


મોરારી બાપુએ કહ્યું કે "આ વ્યાસપીઠપરથી વિનમ્રતાથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. મેં આ ફિલ્મ જોઇ નથી પરંતુ જ્યારે હું વ્યાસપીઠ પર બેઠો છું તો એ વિનય કરું છું કે, જ્યારે કોઇ રામાયણ વિશે કે પાત્ર વિશે ચલચિત્ર કે નાટક બનાવવા જઇ રહ્યાં છો. ત્યારે વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો. વિનમ્રતાથી કહીશ કે કમ સે કમ મોરારીબાપુને પૂછો. આપને કદાચ આ અંહાકાર લાગી શકે છે પરંતુ મેં તેના પર 65 વર્ષથી કામ કર્યું છે અને હું આદર આપુ છું દિવંગત રામાનંદ સાગરને જેને જ્યારે રામાયણ સિરિયલ બનાવી તો બે વ્યક્તિના મત લીધા હતા. એક તો રામકિર્કરજી મહારાજ અને તલગાજરડાના મોરારી બાપુનો. મને છોડી દો, પરંતુ ત્રિભુવનિય ગ્રંથ આપ્યો છે તેવા તુલસીદાસના શાસ્ત્રની મદદ લો. વાલ્મિકિજીની રામાયણનો આધાર લો. તેમણે કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે."        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.