કેદારનાથ ધામની યાત્રા 3 મે સુધી મુલતવી, ભારે હિમવર્ષાના કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-01 19:26:45

હવામાન બદલાતી પેટર્ન અને શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે રાજ્ય સરકારે કેદારનાથ યાત્રા 3 મે સુધી રોકી દીધી છે. આ સાથે જ, ઋષિકેશ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર કેદારનાથ માટે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મુસાફરોની ભીડને નિયંત્રિત કરી શકાય. આજે સોમવારે પણ કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ હતી.


3 મે પછી નવી તારીખ જાહેર


એડિશનલ કમિશનર ગઢવાલ એડમિનિસ્ટ્રેશન, નરેન્દ્ર સિંહ કુરિયાલે કહ્યું કે બાબા કેદારનાથ પ્રત્યે આસ્થાને લઈને મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. ધામમાં યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે અને ખરાબ હવામાનના કારણે તેમને રોકાવાની વ્યવસ્થા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પર્યટન વિભાગે કેદારનાથ યાત્રા માટે 3 મે સુધી નોંધણી મુલતવી રાખી છે. પર્યટન વિભાગ 3 મે પછી બાબા કેદારનાથની યાત્રાની તારીખ નક્કી કરશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.