કેદારનાથ ધામની યાત્રા 3 મે સુધી મુલતવી, ભારે હિમવર્ષાના કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-01 19:26:45

હવામાન બદલાતી પેટર્ન અને શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે રાજ્ય સરકારે કેદારનાથ યાત્રા 3 મે સુધી રોકી દીધી છે. આ સાથે જ, ઋષિકેશ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર કેદારનાથ માટે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મુસાફરોની ભીડને નિયંત્રિત કરી શકાય. આજે સોમવારે પણ કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ હતી.


3 મે પછી નવી તારીખ જાહેર


એડિશનલ કમિશનર ગઢવાલ એડમિનિસ્ટ્રેશન, નરેન્દ્ર સિંહ કુરિયાલે કહ્યું કે બાબા કેદારનાથ પ્રત્યે આસ્થાને લઈને મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. ધામમાં યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે અને ખરાબ હવામાનના કારણે તેમને રોકાવાની વ્યવસ્થા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પર્યટન વિભાગે કેદારનાથ યાત્રા માટે 3 મે સુધી નોંધણી મુલતવી રાખી છે. પર્યટન વિભાગ 3 મે પછી બાબા કેદારનાથની યાત્રાની તારીખ નક્કી કરશે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.