કેદારનાથ ધામની યાત્રા 3 મે સુધી મુલતવી, ભારે હિમવર્ષાના કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-01 19:26:45

હવામાન બદલાતી પેટર્ન અને શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે રાજ્ય સરકારે કેદારનાથ યાત્રા 3 મે સુધી રોકી દીધી છે. આ સાથે જ, ઋષિકેશ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર કેદારનાથ માટે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મુસાફરોની ભીડને નિયંત્રિત કરી શકાય. આજે સોમવારે પણ કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ હતી.


3 મે પછી નવી તારીખ જાહેર


એડિશનલ કમિશનર ગઢવાલ એડમિનિસ્ટ્રેશન, નરેન્દ્ર સિંહ કુરિયાલે કહ્યું કે બાબા કેદારનાથ પ્રત્યે આસ્થાને લઈને મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. ધામમાં યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે અને ખરાબ હવામાનના કારણે તેમને રોકાવાની વ્યવસ્થા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પર્યટન વિભાગે કેદારનાથ યાત્રા માટે 3 મે સુધી નોંધણી મુલતવી રાખી છે. પર્યટન વિભાગ 3 મે પછી બાબા કેદારનાથની યાત્રાની તારીખ નક્કી કરશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.