ઘરેથી નીકળતી વખતે સાથે રાખજો રેઈનકોટ, જાણો કયા જિલ્લાઓ માટે હવામાન વિભાગે કરી છે ધોધમાર વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-28 10:06:27

રાજ્યમાં હવે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પહેલા વરસાદ વરસતો હતો પરંતુ તે કમોસમી વરસાદ હતો અથવા તો વાવાઝોડાને કારણે થતો વરસાદ હતો. ત્યારે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદની ધમાકેદાર બેટિંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો પાણી ભરાઈ જાય તેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.45 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. 


આજે આ જગ્યાઓ પર વરસી શકે છે ધોધમાર વરસાદ

વરસાદને લઈ હવામાન વિભાગએ આગાહી કરી છે તે મુજબ આજે એટલે કે 28 તારીખે વલસાડ, દાદરા નગર હવેલીમાં તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત તેમજ વલસાડમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, ભરૂચ, ડાંગ તેમજ તાપીમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. અમદાવાદ માટે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આગામી પાંચ દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે. 


મંગળવારે અનેક જિલ્લાઓમાં જોવા મળી હતી મેઘમહેર 

જો મંગળવારે ખાબકેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત બપોર સુધીમાં ભાવનગર જિલ્લામાં 60 મીમીથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે વલ્લભીપુરમાં 50 મીમી, સુરેન્દ્રનગરમાં 22 મીમી અને અમદાવાદમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. જ્યારે 48 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઈંચથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.   


જુલાઈ મહિના માટે અંબાલાલ પટેલે કરી આ આગાહી     

જુલાઈ મહિનામાં વરસાદી સિઝન કેવી રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જૂન બાદ જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, જૂન મહિનાના અંતમાં વરસાદ થઇ રહ્યો છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે. જુલાઈ મહિનાની 8 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 18-19 જુલાઈએ પણ વરસાદની શક્યતા રહેશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.