ઘરેથી નીકળતી વખતે સાથે રાખજો રેઈનકોટ, જાણો કયા જિલ્લાઓ માટે હવામાન વિભાગે કરી છે ધોધમાર વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-28 10:06:27

રાજ્યમાં હવે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પહેલા વરસાદ વરસતો હતો પરંતુ તે કમોસમી વરસાદ હતો અથવા તો વાવાઝોડાને કારણે થતો વરસાદ હતો. ત્યારે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદની ધમાકેદાર બેટિંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો પાણી ભરાઈ જાય તેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.45 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. 


આજે આ જગ્યાઓ પર વરસી શકે છે ધોધમાર વરસાદ

વરસાદને લઈ હવામાન વિભાગએ આગાહી કરી છે તે મુજબ આજે એટલે કે 28 તારીખે વલસાડ, દાદરા નગર હવેલીમાં તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત તેમજ વલસાડમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, ભરૂચ, ડાંગ તેમજ તાપીમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. અમદાવાદ માટે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આગામી પાંચ દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે. 


મંગળવારે અનેક જિલ્લાઓમાં જોવા મળી હતી મેઘમહેર 

જો મંગળવારે ખાબકેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત બપોર સુધીમાં ભાવનગર જિલ્લામાં 60 મીમીથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે વલ્લભીપુરમાં 50 મીમી, સુરેન્દ્રનગરમાં 22 મીમી અને અમદાવાદમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. જ્યારે 48 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઈંચથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.   


જુલાઈ મહિના માટે અંબાલાલ પટેલે કરી આ આગાહી     

જુલાઈ મહિનામાં વરસાદી સિઝન કેવી રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જૂન બાદ જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, જૂન મહિનાના અંતમાં વરસાદ થઇ રહ્યો છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે. જુલાઈ મહિનાની 8 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 18-19 જુલાઈએ પણ વરસાદની શક્યતા રહેશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.