Heart Attack ના કિસ્સાઓ વધતા રાજ્યના શિક્ષકોને અપાશે CPR Training, શિક્ષણ મંત્રીએ આ અંગે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-11-30 13:36:26

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે કોરોના બાદ. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે જેને કારણે તે મોતને ભેટે છે. એવા અનેક લોકો છે જે રાત્રે તો ઉંઘે છે પરંતુ સવારે નથી ઉઠી શક્તા. રાત્રે હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. અનેક બનાવો આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓના મોત હૃદયહુમલાને કારણે થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને લઈ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 લાખથી વધારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. 37 મેડિકલ કોલેજો ખાતે વિવિધ તજજ્ઞો દ્વારા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે તેવી ટ્વિટ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવી છે.

શિક્ષકોને આપવામાં આવશે સીપીઆરની ટ્રેનિંગ 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. 


3 અને 17 ડિસેમ્બરે ટ્રેનિંગ અભિયાનનું કરાયું છે આયોજન   

હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના 2 લાખથી વધારે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 3 અને 17 ડિસેમ્બર 2023ના રોજ રાજ્યની 37 મેડિકલ કોલેજોમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રીએ આપી છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી