ચૂંટણી પહેલા કેજરીવાલે કર્યો દાવો, કહ્યું ઈસુદાન, અલ્પેશ અને ગોપાલ મોટા માર્જિનથી જીતશે


  • Published By :
  • Published Date : 2022-11-28 13:15:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે જંગ જામવાનો છે. ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપના ત્રણ ઉમેદવારો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા માટે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ ત્રણ ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.

 

અરવિંદ કેજરીવાલે લખીને આપ્યું  

ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયાને લઈ દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે આ ત્રણેય ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.