ચૂંટણી પહેલા કેજરીવાલે કર્યો દાવો, કહ્યું ઈસુદાન, અલ્પેશ અને ગોપાલ મોટા માર્જિનથી જીતશે


  • Published By :
  • Published Date : 2022-11-28 13:15:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે જંગ જામવાનો છે. ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપના ત્રણ ઉમેદવારો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા માટે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ ત્રણ ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.

 

અરવિંદ કેજરીવાલે લખીને આપ્યું  

ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયાને લઈ દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે આ ત્રણેય ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.