મને રાજનીતિ નથી આવડતી પણ લોકોના કામ કરતા આવડે છે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:09:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારો તીવ્ર બન્યા છે. આમ તો આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયો ચૂંટણી જંગ મનાય છે. જો કે શાસક પક્ષ ભાજપને સૌથી મોટો પડકાર તો આપ તરફથી જ મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મને બીજેપી પર દયા આવે છે. તેના જેવી નિકકમી પાર્ટી મે ક્યારેય જોઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે મોદીના નારા નથી લાગતા હું ગુજરાત આવું ત્યારે બંને લોકો મારી વિરુધ નારા લગાવે છે.


ભાજપે મારા પર 169 કેસ કર્યાં: કેજરીવાલ


અત્યાર સુધી ભાજપે મારા પર 169 કેસ કર્યાં છે. પરંતુ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે મને રાજનીતિ નથી આવડતી મને લોકોના કામ કરતા આવડે છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, પંજાબમાં ભગવંત માન ખૂબ સારું કામ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનમાંથી ઉતારી દેવાની વાત બિલકુલ ખોટી હોવાનું કેજરીવાલે જણાવ્યું હતું.


વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા. જો કે વડોદરા એરપોર્ટ પર કેજરીવાલ પહોંચતા જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેથી આમ આદમી પાર્ટીના સમર્થકો અને મોદી સમર્થકો આમને સામને આવી ગયા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.