મને રાજનીતિ નથી આવડતી પણ લોકોના કામ કરતા આવડે છે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:09:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારો તીવ્ર બન્યા છે. આમ તો આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયો ચૂંટણી જંગ મનાય છે. જો કે શાસક પક્ષ ભાજપને સૌથી મોટો પડકાર તો આપ તરફથી જ મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મને બીજેપી પર દયા આવે છે. તેના જેવી નિકકમી પાર્ટી મે ક્યારેય જોઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે મોદીના નારા નથી લાગતા હું ગુજરાત આવું ત્યારે બંને લોકો મારી વિરુધ નારા લગાવે છે.


ભાજપે મારા પર 169 કેસ કર્યાં: કેજરીવાલ


અત્યાર સુધી ભાજપે મારા પર 169 કેસ કર્યાં છે. પરંતુ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે મને રાજનીતિ નથી આવડતી મને લોકોના કામ કરતા આવડે છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, પંજાબમાં ભગવંત માન ખૂબ સારું કામ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનમાંથી ઉતારી દેવાની વાત બિલકુલ ખોટી હોવાનું કેજરીવાલે જણાવ્યું હતું.


વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા. જો કે વડોદરા એરપોર્ટ પર કેજરીવાલ પહોંચતા જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેથી આમ આદમી પાર્ટીના સમર્થકો અને મોદી સમર્થકો આમને સામને આવી ગયા હતા.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .