હિન્દુ હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવતા કેજરીવાલે ઉમિયા મંદિર જવાનું ટાળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:05:37

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. મહેસાણા ખાતે તેમણે જનસભા સંબોધી હતી. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ઉમિયા મંદિરે જવાના હતા. પરંતુ તેની પર વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદને કારણે તેમણે પોતોનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવી હિંદુ હિત રક્ષક સમિતિએ મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવા માગ કરી હતી. વિવાદ વધુ ન સર્જાય તે માટે કેજરીવાલે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરી દીધો છે.

ઉમિયા માતાના દર્શને નહીં જાય કેજરીવાલ 

ગુજરાતની રાજનીતિમાં થોડા સમયથી અગત્યના મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. ગુજરાતમાં ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મંત્રીનો એક વીડિયો વાયરલ થયો હતો જે બાદ ગુજરાતની રાજનીતિમાં એકાએક પરિવર્તન આવી ગયું. મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા. અને ધર્મ, અને જાતિ પર રાજનીતિ શરૂ થઈ ગઈ. વીડિયોના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાની કોશિશ કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલને ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા જવાના હતા પરંતુ હિંદુ હિત રક્ષક દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે જે બાદ મંદિર જવાના પ્લાનને કેજરીવાલે કેન્સલ કરી દીધો છે. 

ઉમિયા માતા મંદિર ઊંઝા || History of Umiya Mata Temple Unjha - YouTube


અરવિંદ કેજરીવાલને સતત કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો  

ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રડ્યો છે. કોઈ જગ્યાએ તેમના પોસ્ટર ફાટી રહ્યા છે તો કોઈ જગ્યા પર હિંદુ વિરોધીના બેનર લાગી રહ્યા છે. એક તરફ એમનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદી, ધર્મ તેમજ હીરા બા વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આવા બધા કિસ્સાઓને કારણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"