હિન્દુ હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવતા કેજરીવાલે ઉમિયા મંદિર જવાનું ટાળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:05:37

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. મહેસાણા ખાતે તેમણે જનસભા સંબોધી હતી. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ઉમિયા મંદિરે જવાના હતા. પરંતુ તેની પર વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદને કારણે તેમણે પોતોનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવી હિંદુ હિત રક્ષક સમિતિએ મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવા માગ કરી હતી. વિવાદ વધુ ન સર્જાય તે માટે કેજરીવાલે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરી દીધો છે.

ઉમિયા માતાના દર્શને નહીં જાય કેજરીવાલ 

ગુજરાતની રાજનીતિમાં થોડા સમયથી અગત્યના મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. ગુજરાતમાં ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મંત્રીનો એક વીડિયો વાયરલ થયો હતો જે બાદ ગુજરાતની રાજનીતિમાં એકાએક પરિવર્તન આવી ગયું. મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા. અને ધર્મ, અને જાતિ પર રાજનીતિ શરૂ થઈ ગઈ. વીડિયોના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાની કોશિશ કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલને ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા જવાના હતા પરંતુ હિંદુ હિત રક્ષક દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે જે બાદ મંદિર જવાના પ્લાનને કેજરીવાલે કેન્સલ કરી દીધો છે. 

ઉમિયા માતા મંદિર ઊંઝા || History of Umiya Mata Temple Unjha - YouTube


અરવિંદ કેજરીવાલને સતત કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો  

ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રડ્યો છે. કોઈ જગ્યાએ તેમના પોસ્ટર ફાટી રહ્યા છે તો કોઈ જગ્યા પર હિંદુ વિરોધીના બેનર લાગી રહ્યા છે. એક તરફ એમનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદી, ધર્મ તેમજ હીરા બા વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આવા બધા કિસ્સાઓને કારણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.