હિન્દુ હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવતા કેજરીવાલે ઉમિયા મંદિર જવાનું ટાળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:05:37

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. મહેસાણા ખાતે તેમણે જનસભા સંબોધી હતી. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ઉમિયા મંદિરે જવાના હતા. પરંતુ તેની પર વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદને કારણે તેમણે પોતોનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવી હિંદુ હિત રક્ષક સમિતિએ મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવા માગ કરી હતી. વિવાદ વધુ ન સર્જાય તે માટે કેજરીવાલે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરી દીધો છે.

ઉમિયા માતાના દર્શને નહીં જાય કેજરીવાલ 

ગુજરાતની રાજનીતિમાં થોડા સમયથી અગત્યના મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. ગુજરાતમાં ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મંત્રીનો એક વીડિયો વાયરલ થયો હતો જે બાદ ગુજરાતની રાજનીતિમાં એકાએક પરિવર્તન આવી ગયું. મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા. અને ધર્મ, અને જાતિ પર રાજનીતિ શરૂ થઈ ગઈ. વીડિયોના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાની કોશિશ કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલને ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા જવાના હતા પરંતુ હિંદુ હિત રક્ષક દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે જે બાદ મંદિર જવાના પ્લાનને કેજરીવાલે કેન્સલ કરી દીધો છે. 

ઉમિયા માતા મંદિર ઊંઝા || History of Umiya Mata Temple Unjha - YouTube


અરવિંદ કેજરીવાલને સતત કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો  

ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રડ્યો છે. કોઈ જગ્યાએ તેમના પોસ્ટર ફાટી રહ્યા છે તો કોઈ જગ્યા પર હિંદુ વિરોધીના બેનર લાગી રહ્યા છે. એક તરફ એમનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદી, ધર્મ તેમજ હીરા બા વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આવા બધા કિસ્સાઓને કારણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.