હિન્દુ હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવતા કેજરીવાલે ઉમિયા મંદિર જવાનું ટાળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:05:37

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. મહેસાણા ખાતે તેમણે જનસભા સંબોધી હતી. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ઉમિયા મંદિરે જવાના હતા. પરંતુ તેની પર વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદને કારણે તેમણે પોતોનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવી હિંદુ હિત રક્ષક સમિતિએ મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવા માગ કરી હતી. વિવાદ વધુ ન સર્જાય તે માટે કેજરીવાલે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરી દીધો છે.

ઉમિયા માતાના દર્શને નહીં જાય કેજરીવાલ 

ગુજરાતની રાજનીતિમાં થોડા સમયથી અગત્યના મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. ગુજરાતમાં ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મંત્રીનો એક વીડિયો વાયરલ થયો હતો જે બાદ ગુજરાતની રાજનીતિમાં એકાએક પરિવર્તન આવી ગયું. મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા. અને ધર્મ, અને જાતિ પર રાજનીતિ શરૂ થઈ ગઈ. વીડિયોના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાની કોશિશ કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલને ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા જવાના હતા પરંતુ હિંદુ હિત રક્ષક દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે જે બાદ મંદિર જવાના પ્લાનને કેજરીવાલે કેન્સલ કરી દીધો છે. 

ઉમિયા માતા મંદિર ઊંઝા || History of Umiya Mata Temple Unjha - YouTube


અરવિંદ કેજરીવાલને સતત કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો  

ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રડ્યો છે. કોઈ જગ્યાએ તેમના પોસ્ટર ફાટી રહ્યા છે તો કોઈ જગ્યા પર હિંદુ વિરોધીના બેનર લાગી રહ્યા છે. એક તરફ એમનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદી, ધર્મ તેમજ હીરા બા વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આવા બધા કિસ્સાઓને કારણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે